Connect with us

Savli

બોગસ ખેડૂત બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરી ધારાસભ્ય કેતન ઇનામદાર ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન પહોંચ્યા

Published

on

  • ખોટા પેઢીનમાં,સોગંદનામા કરીને મરણ ગયેલા વ્યક્તિઓ સાથે સબંધ બતાવી કેટલાક ભૂમાફિયાઓ ખેડૂત બની ગયા
  • બોગસ દસ્તાવેજોથી બનેલા પેઢીનામાંની પાકી નોંધ પણ પડી ગઈ
  • કરોડોના કૌભાંડમાં અનેક ખેડૂતો છેતરાયા,અન્ય ગામોમાં પણ કૌભાંડ થયાની આશંકા

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ખોટા દસ્તાવેજો બનાવીને જમીનોમાં ખોટી એન્ટ્રી પાડીને એક જ ગામના આઠ જેટલા પરિવારોની જમીનમાં છેતરપીંડી નો કિસ્સો સામે આવતા સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર તમામ ફરિયાદીઓ ને લઈને પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ રેવન્યુ વિભાગના અધિકારીઓ અને ભુમાફિયાઓની મિલીભગતના ગંભીર આક્ષેપો કર્યા હતા.

સાવલી તાલુકાના ગોઠડા ગામના સામંતપુરા પેટાપરામાં વર્ષ 2018 થી 2021 સુધીના સમય દરમિયાન 8 જેટલા ખેડૂત ખાતેદારો ની જમીનમાં ખોટા પેઢીનમાં,મરણના દાખલા મૂકીને કેટલીક વ્યક્તિઓ ને ખેડૂત બનવવાનો કારસો ઘડાયો હતો. જે વ્યક્તિ અગાઉથી મૃત્યુ પામેલ હોય તેવા વ્યક્તિનો બનાવટી મરણ નો દાખલો બનાવીને બોગસ પેઢીનામાંને આધારે મૂળ જમીન માલિકના પરિવાર સાથે કોઈ લેવાદેવા જ ન હોય તેવા વ્યક્તિઓના નામની એન્ટ્રી પાડી દેવામાં આવી હતી.

આ કૌભાંડમાં વડીલોપાર્જીત જમીન ધરાવતા જમીન માલિકોને 135-ડીની નોટિસ પણ બજાવવામાં આવી નથી.ખોટા સોગંદનામા,પેઢીનામાં અને મામલતદાર કચેરીએ થી કાચી એન્ટ્રીને પાકી એન્ટ્રી કરી આપવામાં આવી છે. જેમાં અનેક વ્યક્તિઓને ખેડૂત બનાવી દેવામાં આવ્યા છે.

Advertisement

બોગસ ખેડૂત બનાવવાના કૌભાંડમાં રેવન્યુ વિભાગના કેટલાક અધિકારીઓની મિલીભગત સામે આવી છે. જ્યારે વર્ષ2018 થી 2021 દરમિયાન થયેલા આ કૌભાંડમાં હજીતો એક જ ગામની વિગતો સામે આવી છે. જેતે સમય મર્યાદામાં આવા અન્ય કેટલા ગામોમાં બોગસ ખેડૂત બનવવા માટે કૌભાંડ આચરવામાં આવ્યું તે દિશામાં તપાસની માંગણી ધારાસભ્ય કેતન ઇનામદારે કરી છે.

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Savli

ડેસર તાલુકામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, ઘરમાં પ્રવેશી વૃદ્ધ દંપતીનું ગળુ દબાવી તસ્કરોએ લૂંટ કરી 

Published

on

શિયાળાની શરૂઆત થતા જ તસ્કરોએ ડેસર તાલુકાને નિશાન બનાવ્યું છે. ગત રાત્રી દરમિયાન ડેસરના મોટી વરણોલી ગામે પાંચ જેટલા તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને ચાર મકાનના તાળા તોડી રોકડા અને દાગીના સહિત લાખોની માતાની ચોરી કરી બિન્દાસ પણે રફુચક્કર થઈ ગયા હતા. અને જાગી ગયેલા મકાન માલિકે બૂમરાણ કરતાં તસ્કરોએ ગળુ દબાવી સોનાની ચેન અને બુટ્ટી લૂંટી લીધી હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રીના ડેસર તાલુકાના મોટી વરણોલી ના રાઠોડ ફળિયામાં રહેતા તખતસિંહ પર્વતસિંહ રાઠોડ, બળવંતસિંહ છત્રસિંહ રાઠોડ, રંજનબેન મોહનસિંહ રાઠોડ, મધુબેન અમરસિંહ રાઠોડ ના મકાનોને તસ્કરો એ નિશાન બનાવી મોડી રાત્રીના પાંચ જેટલા તસ્કરોએ મોઢે રૂમાલ બાંધીને રંજનબેન રાઠોડ ના મકાનમાં પાછળથી તાળું તોડી પ્રવેશ કર્યો હતો.

Advertisement

તસ્કરો રંજનબેનના મકાન માં પ્રવેશી તિજોરી નું તાળું તોડતા અવાજ થતા ઓસરીમાં સૂઈ રહેલા રંજનબેન રાઠોડ અને મોહન સિંહ રાઠોડ જાગી ગયા હતા અને લાઇટ ચાલુ કરી મકાનની બારીમાંથી અંદર જોતા તસ્કરો તિજોરી તોડી રહ્યા હતા ત્યારે રંજનબેન એ બુમરાણ મચાવતા બે તસ્કરોએ રંજનબેન નું મોઢું દબાવીને તેઓના ગળામાંથી સોનાની ચેન અને કાનમાંથી બુટ્ટી કાઢી ધક્કો મારી દીધો હતો જ્યારે બૂમાબૂમ કરતા મોહન સિંહ રાઠોડ ને ધક્કો મારી જમીન ઉપર પાડી દઈ મકાનમાંથી પાછળના દરવાજે ભાગી છુટયા હતા.

તસ્કરો તિજોરીમાંથી રોકડા રૂપિયા 25 હજાર, સવા તોલાની સોનાની ચેન અને બુટ્ટી ચોરી ગયા હતા જ્યારે બળવંતસિંહ રાઠોડ ના મકાનની ત્રણ તિજોરી તોડીને 4 હજાર રોકડા અને બે વીંટી સહીત કુલ 88 હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જ્યારે અન્ય બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા તેમાંથી કેટલી ચોરી થઈ છે તે પોલીસ તપાસમાં બહાર આવશે સમગ્ર મામલે ડેસર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા વધુ તપાસ હાથ ધરી હતી

Advertisement
Continue Reading

Savli

સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી આપઘાત કરવાની દુષ્પ્રેરણા આપનાર આરોપીને 1 લાખ રૂપિયાના દંડ સહીત 10 વર્ષની સખત કેદની સજા ફટકારી

Published

on

વડોદરા જિલ્લાના ડેસરમાં હવસખોર નરાધમ દ્ધારા સગીરા પર દુષ્કર્મના આચરી ગર્ભવતી બનવતા સગીરાએ આપઘાત કર્યો હતો. જે કેસમાં ડેસર પોલીસે પોકસો, બળાત્કાર અને મૃત્યુ માટે દુષ્પ્રેરણા આપવા સહિતની કલમો હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, જે કેસ સાવલીની સ્પેશિયલપોક્સો કોર્ટ માં ચાલી જતા સ્પેશિયલપોક્સો કોર્ટ દ્ધારા સમાજ માં દાખલારૂપ ચુકાદો આપતા આવ્યો છે. આરોપીને 10 વર્ષની સખત કેદની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેમજ ડિસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા પીડિતા ના પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા ભલામણ કરવામાં આવી છે.

ડેસર પોલીસ મથકે વર્ષ 2016માં નોંધાયેલ ફરિયાદ અનુસાર સાવલી તાલુકાના વેજપુર ગામે રહેતો હવસખોર ગુરુજી હીરાલાલ સોલંકીએ સગીરાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી સગીરા સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધીને તેને ગર્ભવતી બનાવી સગીરાને તરછોડી દેતા સગીરાએ સમાજ માં બદનામી ના ડરે સુસાઇડ નોટ લખીને કુવામાં ભૂસકો મારીને જીવન ટૂંકાવી લીધું હતું. ડેસર પોલીસે પોકસો, બળાત્કાર અને મૃત્યુ માટે દુષ્પ્રેરણા આપવા સહિતની કલમો હેઠળ આરોપી ગુરુજી સોલંકી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો,

Advertisement

જે કેસ સાવલી સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સી જી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને પૉકસો કોર્ટના જજ જે એ ઠક્કરે આરોપીને તકસીર વાર ઠેરવ્યો હતો અને ચુકાદામાં આરોપી ગુરુજી હીરાલાલ સોલંકીને 10 વર્ષની સજા અને વિવિધ ગુનાઓમાં કુલ એક લાખ રૂપિયાનો દંડ સાવલી કોર્ટ દ્વારા ફટકાર્યો છે.

Advertisement
Continue Reading

Savli

સાવલી લસુન્દ્રાની પાઠશાળા હોસ્ટેલમાં રાજસ્થાનની 15 વર્ષીય વિદ્યાર્થીનીનું અગમ્ય કારણોસર મોત,વીજ કરંટ થી મોત નીપજ્યું હોવની ચર્ચા

Published

on

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લસુન્દ્રા ગામ પાસે આવેલ પાઠશાળા નામની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી મૂળ રાજસ્થાનની 15 વર્ષીય વિદ્યાર્થીનીનું અગમ્ય કારણોસર મોત નિપજતા હોસ્ટેલ માં સાથી વિધાર્થીઓ સહીત શિક્ષકોમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. સમગ્ર ઘટના અંગે મંજુસર પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લસુન્દ્રા ગામ પાસે આવેલ પાઠશાળા નામની હોસ્ટેલમાં રહેતી 15 વર્ષીય ખુશી તીરગર મૂળ રાજસ્થાનના બાંશવાળાની રહેવાસી હતી અને પાઠશાળા હોસ્ટેલમાં રહી ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી. ખુશી અભ્યાસમાં પણ તેજસ્વી હતી. ત્યારે અચાનક ખુશીનું અગમ્ય કારણોસર હોસ્ટેલમાં મોત નિપજતાં ચકચાર મચી ગઈ હતી. વિધાર્થીની ના મોતની જાણ પરિવારજનો ને કરવામાં આવતા પરિવારની ખુશી છીનવાઈ ગઈ હતી અને પરિવાર હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પરિવારના રુદન થી સન્નાટો છવાઈ ગયો હતો.

Advertisement

પાઠશાળા હોસ્ટેલના સેક્રેટરી મોસમી દત્તાએ જણાવ્યું હતું કે, દર રવિવારે પાઠશાળામાં ટી સ્ટોલ કાર્યક્રમ થતો હોય છે. જેમાં ખુશી ડાન્સ કરવા માટે મ્યુઝિક સિસ્ટમ શરૂ કરવા માટે ગઈ હતી. અને અચાનક ત્યાં ઢળી પડી હતી તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં તેનું મોત થયું હોવાનું તબીબો એ જણાવ્યું હતું. વીજળીનો વાયર તૂટેલો હતો એવી કોઈ જાણકારી મારી પાસે નથી અને પોલીસ પણ તપાસ કરી રહી છે. જોકે ગઈકાલે વરસાદ પડ્યો હતો એટલે ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા હતા.

સમગ્ર ઘટનાની જાણ મંજુસર પોલીસને કરવામાં આવતા મંજુસર પોલીસ મથકનો સ્ટાફ પાઠશાળા હોસ્ટેલ ખાતે દોડી આવ્યો હતો અને ખુશીના મૃતદેહનો કબ્જો લઇ મૃતદેહને પીએમ અર્થે સાવલીની જન્મોત્રી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક ખુશીના સાથી વિધાર્થીઓમાં ચર્ચાઈ રહ્યું છે કે, ખુશીનું મોત કરંટ લાગવાના કારણે નીપજ્યું છે. જોકે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે.

Advertisement

Continue Reading

Trending