Connect with us

Padra

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

Published

on

સારવાર દરમિયાન પ્રેમિકાનું મોત પ્રેમીની હાલત ગંભીર

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એક ગામ માં રહેતા પ્રેમી-પંખીડાએ લગ્ન માટે પરિવાર સહમતી નહિ આપે જેથી તેમનું સ્વપ્ન પૂરું થશે નહિં તેમ વિચારી પ્રેમી પંખીડાએ એક સાથે જીવન ટૂંકાવા નું નક્કી કરી ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ત્રણ વર્ષના પ્રેમ-પ્રકરણનો અંત આવ્યો હતો ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવા નો પ્રયાસ કરનાર બને પ્રેમી-પંખીડાને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પ્રેમિકાનું મોત નિપજતા યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, યુવાને દીકરીને વધુ પ્રમાણમાં ઝેર પીવડાવ્યું હતું અને પોતે ઓછું પીધું છે અમારી દીકરીના મોત માટે યુવાન જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો સમગ્ર મામલે પાદરા પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

પાદરા તાલુકાના લુણા ગામમાં રહેતા 21 વર્ષિય અમીત ચૌહાણ અને 18 વર્ષની સ્નેહા પઢીયાર વચ્ચે આંખ મળી જતા પ્રણય ના ફણગા ફૂટ્યા હતા અને એક બીજા ને સાથે જીવવા મરવા ના કોલ આપ્યા હતા પ્રેમી અમિત અને સ્નેહા અવાર-નવાર મળતા હતા કલાકો સુધી એક બીજા સાથે મોબાઇલ ફોન ઉપર પણ પ્રેમાલાપ કરતા હતા બંનેએ એકબીજાને લગ્ન કરવાના કોલ આપ્યા હતા પરંતુ બને ની જ્ઞાતીની અલગ હોવાથી પરિવાર તેમના પ્રેમ લગ્ન માટે સહમત નહિ થાય તેવો બને પ્રેમી પખીડાને ડર હતો

જે તે સમયે સ્નેહા સગીર વયની હોવાથી અમિતે પોતાના પરિવારને સ્નેહા સાથે લગ્ન કરવાની વાત મૂકી ન હતી પરંતુ સ્નેહા 18 વર્ષની ઉંમર વટાવતાની સાથેજ તેને અમિતે ને લગ્ન કરી લેવા માટે જણાવ્યું હતું જેથી અમિતે હિંમત કરીને પોતાના પરિવારને પોતે સ્નેહા ને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગુ છે તેમ જાણવતા અમિત નો પરિવાર રોષે ભરાઈ ગયો હતો અને સ્નેહા જ્ઞાતીની અલગ છે જેથી તેની સાથે તારું લગ્ન શક્ય નથી અને હવે પછી સ્નેહા સાથે લગ્ન કરવાની વાત કરીશ નહિં જેથી અમિતે પોતાના પરિવાર તરફથી મળેલો જવાબ સ્નેહા ને જણાવ્યો હતો અને પરિવારે તરફ થી લગ્ન કરવાની મંજૂરી ન મળતા બને દુઃખી થઇ ગયા હતા આથી બંનેએ સાથે રહી ના શક્યે તો સાથે જીવન ટૂંકાવવા નું નક્કી કરીને ગામની સીમમાં જઇ ઝેરી દવા ગટગટાવી લીધી હતી

પ્રેમી પંખીડાઓ ઝેરી દવા પી જીવન ટૂંકાવવા નો પ્રયાશ કર્યો હોવાની જાણ પરિવારજનોને થતાં તેઓ ખેતરમાં દોડી આવ્યા હતા અને બેભાન થઇ ને ખેતર માં પડેલ અમીત અને સ્નેહા ને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જયાં ટૂંકી સારવાર દરમિયાન પ્રેમિકા સ્નેહા નું મોત નીપજ્યું હતું જયારે પ્રેમી અમિત ની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું સમગ્ર મામલે પાદરા પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી હતી

Advertisement

સ્નેહાના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, અમીતે અમારી દીકરી સ્નેહાને વધારે ઝેર પીવડાવ્યું હતું અને પોતે ઓછું ઝેર પીધું હતું અને સ્નેહાના મોત માટે અમીત જવાબદાર ગણાવી તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી પાદરા પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement
Continue Reading
Advertisement

Padra

પાદરા: ગામેઠા ગામે જાતિવિષયક શબ્દને લઈને બે સમુદાય વચ્ચે તંગદિલી,પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

Published

on

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામમાં જાતિ વિષયક શબ્દ ને લઈને બે સમુદાયના જૂથે વચ્ચે ઉગ્ર બોલા ચાલી બાદ મામલો બિચક્યો હતો અને ગામમાં વધુ એક વારબબાલ સર્જાઈ હતી. અગાઉ ગામેઠા ગામમાં રહેતા દલિત સમાજના વૃધ્ધનું અવસાન થતા ગામના એક માત્ર સ્મશાનમાં ગામના સરપંચના પતિ સહિત 13 લોકો એ અંતિમ વિધી ના કરવા દેતા દલિતોને ગામના સ્મશાનથી દૂર અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી હતી.

ત્યારે આજે એ ઘટના ના પડઘા ફરી થી પડતા પાદરા પોલીસ તેમજ જિલ્લા કક્ષાના અધિકારી DYSP સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે મામલો નિયંત્રણ માં લીધા હતો જોકે ગામમાં અજંપાભરી શાંતિ છે.

Advertisement

પાદરા તાલુકાના ગામેઠા ગામમાં 15 દિવસ પેહલા દલિત સમાજના વૃધ્ધનું અવસાન થતા તેમના સમાજના તમામ લોકો આવી ગયા બાદ તેઓની અંતિમ યાત્રાની તૈયારીઓ કરવામાં આવી હતી. અને તેમના અંતિમ સંસ્કાર કરવા ગામ માં આવેલ એક માત્ર સ્મશાનમાં ગામના સરપંચના પતિ સહિત 13 લોકો એ અંતિમ વિધી ના કરવા દેતા ભારે વિવાદ સર્જાયો હતો. અને 15 કલાક સુધી મૃતદેહ પડી રહ્યા બાદ મોડી સાંજે સવર્ણોની સુચનાથી દલિતોને સ્મશાનથી દૂર અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી હતી.

દલિત સમાજ સાથે થયેલા આ કૃત્ય થતાં સમાજના અગ્રણીઓ વડુ પોલીસ મથકે પહોંચ્યા હતા. અને અંતિમ સંસ્કાર કરવા ન દેનાર સરપંચના પતિ સહિત 13 સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ફરી બે સમાજના જૂથો વચ્ચે બબાલ થતા મામલો ફરી થી બિચકે નહિ તે માટે પોલીસ નો કાફલો ગામમાં ખડકી દેવામાં આવતા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.

Advertisement
Continue Reading

Padra

વડોદરાના પાદરામાં બની માનવતાને શર્મશાર કરે તેવી ઘટના ગામેઠા ગામના સ્મશાનમાં દલિત વૃધ્ધના અંતિમ સંસ્કાર કરવા ન દેતા વિવાદ, 13 સામે પોલીસ ફરિયાદ

Published

on

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામમાં રહેતા દલિત સમાજના ઉંમરના કારણે અવસાન પામેલા 65 વર્ષિય વૃધ્ધના ગામના એક માત્ર સ્મશાનમાં સવર્ણોએ અંતિમ સંસ્કાર કરવા ન દેતા ભારે વિવાદ સર્જાયો છે. કલાકો સુધી મૃતદેહ પડી રહ્યા બાદ મોડી સાંજે સ્મશાનથી દૂર અંતિમ સંસ્કાર કરવાની દલિતોને ફરજ પડી હતી. આ ઘટનાને પગલે દલિત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સમાજના લોકો આજે વડુ ખાતે પહોંચ્યા હતા અને અંતિમ સંસ્કાર અટકાવનાર 13 લોકો સામે વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મળેલી માહિતી પ્રમાણે પાદરા તાલુકાના ગામેઠા ગામમાં આવેલા દલિતવાસમાં રહેતા 65 વર્ષિય કંચનભાઇ વણકરનું ઉંમરના કારણે બુધવારે અવસાન થયું હતું. પરિવારજનોના રોકકડ વચ્ચે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ફળિયાના અને સમાજના લોકો જોડાયા હતા. અંતિમ યાત્રા ગામના એક માત્ર સ્મશાનમાં પહોંચ્યા બાદ ડાઘુઓ દ્વારા અંતિમ સંસ્કારની તૈયારી કરવામાં આવી રહી હતી. તે સમયે ગામના સવર્ણો પહોંચી જઇ અંતિમ સંસ્કાર અટકાવી દેતા ભારે હોબાળો મચ્યો હતો.

Advertisement

અંતિમ સંસ્કાર અટકાવી દેતા દલિત સમાજ અને સવર્ણો વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. સવારે અવસાન પામેલા કંચનભાઇના મૃતદેહના મોડી સાંજ સુધી અંતિમ સંસ્કાર થયા ન હતા. વિવાદ સર્જાતા વડુ પોલીસ સ્મશાનમાં પહોંચી ગઇ હતી. અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આખરે મૃતક કંચનભાઇના અંતિમ સંસ્કાર ગામના સ્મશાનથી દૂર ખૂલ્લી જગ્યામાં દલિત સમાજને ફરજ પડી હતી.

જોકે,ગામેઠા ગામમાં બુધવારે દલિત સમાજ સાથે થયેલા જાતીવાદના કૃત્યના દલિત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આજે પાદરા તાલુકા તેમજ વડોદરા દલિત સમાજના અગ્રણીઓ ભરતભાઇ સહિતના લોકો વડુ પોલીસ મથકે પહોંચી ગયા હતા. અને ગામના સ્મશાનમાં દલિત સમાજના વ્યકિતના અંતિમ સંસ્કાર થવા ન દેનાર ગામના નગીનભાઇ પટેલ સહિત 13 સામે ફરિયાદ નોંધાવી હતી.

દલિત સમાજના અગ્રણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમારા દલિત સમાજના વ્યક્તિનું મોત નીપજતા ગામના સવર્ણોએ ગામના સ્મશાનમાં અંતિમ સંસ્કાર થવા દીધા નથી. જાતી વિરૂધ્ધ અપશબ્દો બોલી ધમકી આપવામાં આવી છે. અમે દલિત સમાજને રક્ષણ આપવાની માંગણી કરી છે. અને અંતિમ સંસ્કાર કરવા ન દેનારાઓ વિરૂધ્ધ વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે,

વડુ પોલીસ મથકના પી.આઇ. વી.એમ. ટાંકે જણાવ્યું હતું કે, ગામેઠા ગામના દલિત સમાજના વૃધ્ધનું અવસાન થયું હતું. ગામ લોકોએ તેઓના અંતિમ સંસ્કાર ગામના સ્મશાનમાં થવા દીધા ન હતા. આજે દલિત સમાજના લોકોએ વડુ પોલીસ મથકમાં ગામેઠા ગામના સરપંચના પતિ નગીનભાઇ પટેલ સહિત 13 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Continue Reading

Padra

કાવી- કંબોઈ સ્તંભેશ્વર તીર્થસ્થાને દરિયામાં કાર તણાઈ: પોલીસ અને સ્થાનિકોએ કારને દોરડા થી ખેંચી બહાર કાઢી

Published

on

ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ નીચે તાજેતરમાં જ નર્મદા નદીમાં યુવાનોની કાર ડૂબી હોવાનો વિડીયો સામે આવ્યો હતો અને સ્થાનિકો, માછીમારો અને તરવૈયાઓએ ભારે જહેમતે બાદ નદીમાંથી માંડ માંડ કાર બહાર કાઢી હતી ત્યારે આવીજ બીજી ઘટના શ્રાવણ માસ નો આરંભ થતાં જંબુસરના દરિયા કાંઠેથી સામે આવેલ કાવી- કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ સ્થાનેભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું ત્યારે એક દર્શનાર્થી કાર દરિયામાં તણાઈ ગઈ હતી.

https://www.instagram.com/reel/Cu1eh4zBlx8/?igshid=MzRlODBiNWFlZA==

પવિત્ર શ્રાવણ માસ નો પ્રારંભ થતાં દક્ષિણ ગુજરાતના મીની સોમનાથ એવા સ્તંભેશ્વર તીર્થ સ્થાને સોમવતી અમાસે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને સ્તંભેશ્વર તીર્થ સ્થાને આવેલ દર્શનાર્થી મધ્યપ્રદેશ પાસિંગની કાર દરિયા કિનારે પાર્ક કરી દર્શન કરવા ગયા હતા.

Advertisement

સોમવતી અમાસે સ્તંભેશ્વર તીર્થ સ્થાને દર્શન કરી સાંજે પરત આવતા દર્શનાર્થીએ કિનારે મુકેલી કાર અમાસની ભરતીના લીધે પાણીમાં તણાઈ ગઈ હતી અને કારને બહાર કાઢવા ભારે જેહમત કરી પરંતુ કાર બહાર ના નીકળતા સ્થાનિકો તેમજ અન્ય દર્શનાર્થીઓ સહીત પોલીસ દરિયામાં ડૂબતી કારને બહાર કાઢવા મદદે આવી હતી અને કારને દોરડા થી બાંધી દોરડાનો એક છેડો એક ટેમ્પા માં બાંધી ટેમ્પા સહીત 20 થી 25 લોકોએ કલાકો સુધી કારને પાણીમાંથી બહાર કાઢવા દોરડું ખેંચ્યું અને આખરે મહેનત રંગ લાવી અને ભારે જેહમત બાદ કારને બહાર કાઢવામાં સફળતા મળી હતી

Advertisement
Continue Reading

Trending