જિલ્લાના વાઘોડિયા અને કરજણમાં મહિલાની અને પાદરામાં વૃધ્ધની માથું કાપીને કરાયેલી હત્યાનો ભેદ ઉકેલાયો નથી. ત્યાં
સાવલી તાલુકાના ટુંડાવ ગામની સીમમાંથી વડોદરાના 32 વર્ષિય વર્ષીય યુવાનનો મારમારીને હત્યા કરાયેલો મૃતદેહ પોલીસને મળી આવતાં ચકચાર મચી ગઇ છે. પોલીસે મૃતદેહનો કબજો લઇ પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે સાવલી તાલુકાના ટુંડાવ સાવલી રોડ નજીકની ખૂલ્લી જગ્યામાંથી મંજુસર પોલીસને મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની તપાસમાં મૃતક વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી વૈકુંઠ સોસાયટીનો રહેવાસી રાહુલ રાજેન્દ્રકુમાર સોની (ઉ.વ. 33) હોવાનું ખૂલ્યું હતું. પોલીસને મૃતદેહ પાસેથી મોટર સાયકલ પણ મળી આવી છે. પોલીસે મૃતદેહ અને મોટર સાયકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
મંજુસર પોલીસ મથકના પીઆઇ સિસોદિયાએ જણાવ્યું હતું કે, મૃતક રાહુલ સોની કેટરીગનો વ્યવસાય કરતો હતો. ત્રણ વર્ષ પહેલા તેના છૂટાછેડા થયા હતા. રાહુલ સોનીના પરિવારજનોને બનાવની જાણ કરતાં આવી પહોંચ્યા હતા. હાલ વડોદરા સયાજી હોસ્પિટલમાં મૃતકના મૃતદેહનુ પોસ્ટ મોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં મૃતકના લાકડીઓ જેવા હથિયારોથી માર મારવામાં આવતા મોત નિપજ્યું હોવાનું જણાય છે. છતાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ બહાર આવશે.
કેટરીગનો વ્યવસાય કરતાં 33 વર્ષિય રાહુલ સોનીની હત્યા થઇ હોવાની વાત સુભાનપુરા વૈકુંઠ સોસાયટી વિસ્તારમાં થતાં ચકચાર મચી ગઇ હતી. રાહુલ સોનીની હત્યા કોણે કરી અને શા માટે કરી તે અંગે મંજુસર પોલીસે તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે.યાનું રહસ્ય અકબંધ
જિલ્લાના વાઘોડિયા અને કરજણમાં મહિલાની અને પાદરામાં વૃધ્ધની માથું કાપીને કરાયેલી હત્યાનો ભેદ ઉકેલાયો નથી. ત્યાં
સાવલી તાલુકાના ટુંડાવ ગામની સીમમાંથી વડોદરાના 32 વર્ષિય વર્ષીય યુવાનનો મારમારીને હત્યા કરાયેલો મૃતદેહ પોલીસને મળી આવતાં ચકચાર મચી ગઇ છે. પોલીસે મૃતદેહનો કબજો લઇ પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે સાવલી તાલુકાના ટુંડાવ સાવલી રોડ નજીકની ખૂલ્લી જગ્યામાંથી મંજુસર પોલીસને મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની તપાસમાં મૃતક વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી વૈકુંઠ સોસાયટીનો રહેવાસી રાહુલ રાજેન્દ્રકુમાર સોની (ઉ.વ. 33) હોવાનું ખૂલ્યું હતું. પોલીસને મૃતદેહ પાસેથી મોટર સાયકલ પણ મળી આવી છે. પોલીસે મૃતદેહ અને મોટર સાયકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
મંજુસર પોલીસ મથકના પીઆઇ સિસોદિયાએ જણાવ્યું હતું કે, મૃતક રાહુલ સોની કેટરીગનો વ્યવસાય કરતો હતો. ત્રણ વર્ષ પહેલા તેના છૂટાછેડા થયા હતા. રાહુલ સોનીના પરિવારજનોને બનાવની જાણ કરતાં આવી પહોંચ્યા હતા. હાલ વડોદરા સયાજી હોસ્પિટલમાં મૃતકના મૃતદેહનુ પોસ્ટ મોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં મૃતકના લાકડીઓ જેવા હથિયારોથી માર મારવામાં આવતા મોત નિપજ્યું હોવાનું જણાય છે. છતાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ બહાર આવશે.
કેટરીગનો વ્યવસાય કરતાં 33 વર્ષિય રાહુલ સોનીની હત્યા થઇ હોવાની વાત સુભાનપુરા વૈકુંઠ સોસાયટી વિસ્તારમાં થતાં ચકચાર મચી ગઇ હતી. રાહુલ સોનીની હત્યા કોણે કરી અને શા માટે કરી તે અંગે મંજુસર પોલીસે તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે.