Connect with us

Vadodara

દેવદુર્લભ કાર્યકરોની દાદાગીરી: દુકાનદારે કોર્પોરેટરને ખુરશી નહિ આપી તો,2000નો દંડ કરાવ્યો!

Published

on


ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે નીકળતા દેવદુર્લભ કાર્યકરોની દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક દુકાનદારે ભાજપના નેતાઓને બેસવા માટે ખુરશી નહિ આપતા કાર્યકર્તાઓએ તેની દુકાન બંધ કરાવી દેવા સુધીની ધમકી ઉચ્ચારી દીધી હતી. એટલું જ નહિ પાલિકાના અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોચી જઈને દુકાનદારને દુકાનની બહાર ગંદકી કરવા બદલ 2000 રૂ. નો દંડ પણ ફટકારી દીધો હતો.

વડોદરા શહેરના વોર્ડ 10 વિસ્તારમાં ભાજપ દ્વારા ફેરણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં એક કોમર્શીયલ કોમ્પ્લેક્ષ પાસે ભાજપના કાર્યકરો અને નગરસેવકો સહીત વોર્ડના આગેવાનો એકત્રિત થયા હતા.તે સમયે  પાન પડીકીના દુકાનદારે દુકાનની બહાર મુકેલી ગ્રાહકો માટેની ખુરશીઓ ઉઠાવીને દુકાનની અંદર મૂકી દીધી હતી. જે બાદ એક કાર્યકર્તાએ દુકાનદાર પાસે આવીને મહિલા કાઉન્સિલરને બેસવા માટે એક ખુરશી માંગી હતી.

દુકાનદારે દુકાનની અંદર મૂકી દીધેલી ખુરશી પૈકી એક ખુરશી કાર્યકર્તાને આપી હતી.એટલી વારમાં અન્ય કાર્યકરો આવી ગયા હતા. અને “તું કોર્પોરેટરને ખુરશી નથી આપતો?” તેમ કહીને દુકાનદારને ખખડાવવાનું શરુ કરી દીધું હતું. દુકાનદારે એમ કહ્યું કે, “મેં ખુરશી આપવાની ક્યાં ના પાડી છે? આવવા જવાનો રસ્તો છે. એટલે ખુરશી લીધી છે,તમે દાદાગીરી કેમ કરો છો?” એટલામાં એક કાર્યકર આવીને દુકાનદારને કહેવા લાગ્યો કે હવે છેને સાંજે ખુરશીઓ દુકાનની બહાર મુકતો જ ના..એટલામાં બીજા ઉત્સાહી કાર્યકરે આવીને દુકાનદારને માપમાં રહેવા ધમકાવી અને હવે અહિયાં કોઈ દારૂ પીશે ને તો તારી પણ દુકાન બંધ કરાવી દઈશ તેવી ધમકી ઉચ્ચારી હતી.

એક કાર્યકરે દુકાનની બહાર મુકેલા સ્ટેન્ડ ઉઠાવીને પણ થોડે આગળ મૂકી દીધા હતા. અને દુકાનની બહાર કોઈ સામાન નહિ મુકવા અંગે ગર્ભિત ધમકી આપી દીધી હતી. ઘટનાબાદ થોડા જ સમયમાં પાલિકાના વોર્ડ 10ના સેનેટરી શાખાના અધિકારીઓ દુકાનદાર પાસે પહોચી ગયા હતા અને દુકાન બહાર ગંદકી રાખે છે તેમ કહીને દુકાનદારને 2000 રૂ. નો દંડ કરીને પાવતી આપી દેવામાં આવી હતી.

ભાજપના આ દેવ દુર્લભ કાર્યકરોની દાદાગીરીની ચર્ચા સમગ્ર વેપારી આલમમાં ચાલી છે. એક ખુરશી માટે દુકાનદાર પર કરવામાં આવેલા દબાણ અને બોલાચાલીના સીસીટીવી પણ સામે આવ્યા છે. જોકે શિસ્તના નામે ચાલતી પાર્ટીમાં હાલ કશું શિસ્તમાં નથી. ભાજપના કાર્યકરો છાશવારે સામાન્ય નાગરિકોને ધમકાવતા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.અને ભાજપ પક્ષના આગેવાનો આવા કાર્યકરો પર કાર્યવાહી કરવાને બદલે તેઓને છાવરે છે.     

Blog

પોરથી વડોદરા જાંબુઆ બ્રિજ પર લાંબો ટ્રાફિકજામ,વાહનચાલકો અટવાયા

Published

on

વડોદરામાં એક તરફ વરસાદે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડાવી દીધા છે. બીજી તરફ રસ્તાઓ ધોવાતા માર્ગો પર ખાડા રાજ ઉભું થયું છે. ત્યારે શનિવારે સવારે 9:15 કલાકની આસપાસ પોરથી વડોદરા જાંબુઆ બ્રિજ પર 5 કિમી લાંબો ટ્રાફિકજામ થયો હતો. જેના દ્રશ્યો વડોદરાના એક નાગરિકે પોતાની કારમાંથી મોબાઈલમાં કેદ કરી લીધા હતા.

કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરાની તંત્રના પાપે દુર્દશા થઈ છે. જ્યાં જુવો ત્યાં ખાડા-ખાડા તો કેટલાક વિસ્તારોમાં ગાબડા અને ભુવા નિર્માણ પામ્યા હતા. જ્યારે કેટલાક માર્ગો પર તો આખા રોડ પણ બેસી ગયા હોવાના કિસ્સા બન્યા હતા. ત્યારે હવે શહેર બાદ શહેરને જોડતા માર્ગની પણ બિસ્માર હાલત થઈ છે. જેના કારણે સવારે કામ ધંધે જઈ રહેલા અનેક લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.

લાખો કરોડો રૂપિયા રોડ રસ્તા પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યા હોવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. ત્યારે, શનિવારે વહેલી સવારથી પોર થી વડોદરા – જામ્બુવા બ્રિજ પર 5 કિમી ટ્રાફિક જામ થયો હતો. તંત્ર ના વાંકે અને ટ્રાફિક પોલીસની અણઆવડતના કારણે જામ્બુવા બ્રિજ પર દરરોજ ટ્રાફિક જામ થાય છે. જેના કારણે કિલોમિટર સુધીનો ટ્રાફિક જામ થાય છે.

આજે સવારે પણ આજ રીતે જામ્બુવા બ્રિજ પર પડેલા મોટા ખાડા ઓના કારણે આલમગીરથી જામ્બુવા બ્રિજ સુધી ટ્રાફિક જામ થયો હતો. જેના કારણે હજારો નાગરિકો ટ્રાફિકમાં ફસાયા હતા. જેના વીડિયો વડોદરાના એક નાગરિકે પોતાના મોબાઈલમાં ચાલુ કારમાંથી ઉતારી વાયરલ કર્યા હતા.

Continue Reading

Dabhoi

ડભોઇના કરણેટ ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા,રેતી ખનન ઝડપાયું

Published

on

વડોદરા શહેર-જિલ્લામાં પહેલા વરસાદમાં જ પૂર જેવી સ્થિતીનું નિર્માણ થયું હતું. આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. તેવામાં પણ ડભોઇ પાસેના કરનેટ ગામે ખનીજ માફીયાઓ દ્વારા રેતી ઉલેચવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. ખાણ-ખનીજ વિભાગના દરોડામાં કરનેટ ગામેથી લાખો રૂપિયાના મુદ્દામાલની મશીનરી જપ્ત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આમ, પૂર જેવી સ્થિતી પણ ખનીજ માફીયાઓના હોંસલા નબળા પાડી શકી ન હોવાનું સપાટી પર આવ્યું છે.

22, જુલાઇના રોજ અવિરત વરસેલા વરસાદના કારણે વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરમાં નવા નીર આવ્યા હતા. આજવા સરોવરે સલામત સપાટી વટાવતા તેમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જે બાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, તો બીજી તરફ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. પરંતુ આવી સ્થિતી પણ ખનીજ માફીયાઓની હિંમત ડગમગાવી શકી ન્હતી.

ડભોઇના કરનેટ ગામે છેલ્લા લાંબા સમયથી નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ઉલેચવાનું કાર્ય ચાલુ હતું. બેરોકટોક ચાલતા ખનીજચોરીના કૌભાંડ પર તાજેતરમાં ખાણ-ખનીજ વિભાગની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 5 ટ્રક અને જેસીબી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા. આ મુદ્દામાલની કિંમત આશરે રૂ. 80 લાખથી વધુ આંકવામાં આવી રહી છે. ખાણ-અને ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની ચોતરફથી સરાહના કરવામાં આવી રહી છે. તો બીજી તરફ તંત્ર દ્વારા મનાઇ છતાં ગેરકાયદેસર ખનન કરનારા તત્વોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે.

Continue Reading

Vadodara

ઘોડા છૂટી ગયા બાદ તબેલા ને તાળા મારવાનો શું અર્થ?, સત્તાધીશો જ શહેરમાં પૂર લાવ્યાનો પુરાવો સામે આવ્યો!

Published

on

  • જે ઇજારો ચોમાસુ શરૂ થાય તે પહેલા આપવો જોઈએ, એ ઇજારો શહેરને પૂરમાં ધકેલ્યા બાદ મંજૂરી માટે મુકાયો
  • અધિકારીઓ એ અગાઉથી તાકીદ કરી હતી,પણ નફ્ફટ સત્તાધીશોએ ધ્યાન ન આપ્યું
  • મેયર અને કમિશ્નરને સજાગ કરવા અનેક વાર પત્ર લખાયા,તેમ છતાંય પેટનું પાણી હાલ્યું નહીં

વડોદરા શહેરમાં એક જ દિવસમાં પડેલા ધોધમાર વરસાદ બાદ સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ સ્થિતિ માટે જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. પૂરને કુદરતી આફત ગણાવનારા આ સત્તાધીશોએ જાણી જોઈને પૂરની સ્થિતિનું નિર્માણ કર્યું હોય તેવા પુરાવા પણ સામે આવી રહ્યા છે. જે કામગીરી ચોમાસા પહેલા કરવાની હોય તે કામગીરી સમગ્ર શહેર પૂરમાં ડૂબ્યા બાદ કરવામાં આવી રહી છે.

વડોદરા મહાનગરપાલિકા દર વર્ષે પ્રી મોનસુન કામગીરીનો ડોળ ઉભો કરે છે. કાગળ પર થતી પ્રિમોન્સૂન કામગીરી ક્યારેય વાસ્તવિક રીતે જોવા મળતી નથી. વરસાદીકાંસના હજારો ચેમ્બર સાફ કરી દીધા હોવાનું ઓન પેપર દર્શાવવામાં આવે છે. જોકે ટૂંકા સમયમાં આ કામગીરી પૂર્ણ થાય તેવી કોઈ શકયતા હોતી નથી. વરસાદના સમયે તેમજ ત્યારબાદ વરસાદી ગટરના દુરસ્તીકરણની કામગીરી માટે ઇજારો ખૂબ જરૂરી બને છે. એક સમયે ભારે વરસાદના કારણે કોઈ વિસ્તારમાં પાણી ભરાય તો તેના નિકાલ માટે તાત્કાલિક મશીનરીને કામે લગાડવાની જવાબદારી જે તે ઇજારદારની હોય છે. પરંતુ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આજ દિન સુધી વરસાદી ગટર દુરસ્તીકરણના કામ માટે ઇજારો સોંપવામાં આવ્યો નથી.

પૂર્વ ઝોનના કાર્યપલક ઇજનેરે એક મહિના પહેલા જ ચિંતા વ્યક્ત કરી હતી

આજે જ્યારે વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોએ ત્રણ દિવસ પૂરની સ્થિતિના દર્શન કર્યા બાદ આજની સ્થાયી સમિતિની બેઠકમાં વરસાદી ગટરના દુરસ્તીકરણના કામોને મંજૂરી અર્થે મુકવામાં આવ્યા છે.સ્થાયી સમિતિની આજની મળેલી બેઠકમાં શહેરના દક્ષિણ ઝોન ઉત્તર ઝોન તેમજ પૂર્વ ઝોન ના વરસાદી ગટર દુરસ્તીકરણના કામોનો વાર્ષિક ઇજારો મંજૂરી અર્થે મુકવામાં આવ્યો હતો. જ્યારે શહેરના પશ્ચિમ ઝોન તેમજ ઉત્તર ઝોનમાં વરસાદી ગટર સફાઈ કરવાના કામનો વાર્ષિક ઇજારો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યો છે. વરસાદી ગટરની સફાઈ ચોમાસા પહેલા જ થઈ જવી જોઈએ છતાં સફાઈનો ઈજારો મધ્ય ચોમાસે મંજૂરી માટે મૂકવામાં આવી રહ્યો છે. આ કોઈ ટેકનિકલ ખામી નથી પરંતુ અધિકારીઓ અને સત્તાધીશોની નફ્ફટાઈને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

વડોદરા શહેરના પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર દ્વારા 5 જૂનના રોજ ડ્રેનેજ તેમજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખાના કાર્યપાલક ઈજનેર પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે,પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર દ્વારા 18 જાન્યુઆરી 2024 થી હયાત વરસાદી ગટર દુરસ્તી કરણના કામના વાર્ષિક ઇજારા માટે માંગણી કરવામાં આવી હતી. 13 જુલાઈના રોજ પૂર્ણ થતાં ઇજારામાં નવી ટેન્ડર પ્રક્રિયા ન થાય ત્યાં સુધી વચગાળાના સમય માટે 25 લાખની મર્યાદામાં બે મહિના માટે કામગીરી સોંપવાની માંગણી કરાઈ હતી. ઇજારો 13 જુલાઈ 2024 ના રોજ પૂર્ણ થયો હતો અને ત્યાર પછીની સ્થિતિ માટે ઈજારદારને હંગામી વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો ન હતો.પૂર્વ ઝોનના કાર્યપાલક ઈજનેર દ્વારા નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં ન આવે ત્યાં સુધી 25 લાખની નાણાકીય મર્યાદામાં વરસાદી ગટર દૂરસ્તી કરણ કરવાના કામ માટે બે માસના એક્સટેન્શનની માંગણી કરવામાં આવી હતી. છતાં પણ પાલિકાના ડ્રેનેજ શાખાના અધિકારીઓ દ્વારા આ રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી ન હતી

13 જુલાઈ 2024 થી 26 જુલાઈ 2024 ના સમયગાળામાં પાલિકા પાસે વરસાદી ગટર દુરસ્તી કરણ કરવા માટે કોઈ ઇજારદારને કામગીરી સોંપવામાં આવી ન હતી. આજે 26 જુલાઈના રોજ સ્થાયી સમિતિની બેઠકમાં આ કામગીરીને મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી છે. અને આગામી 10 દિવસમાં ઈજારદારને તેનો વર્ડ ઓર્ડર સોંપવામાં આવશે જો પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ સમય સૂચકતા જાળવીને ઇજારો જાહેર કર્યો હોત તો આજે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ભરાયેલા પાણી કાઢવામાં લાંબો સમય વીત્યો ન હોત.

    Continue Reading

    Trending