Connect with us

Waghodia

શિક્ષણ સહિત સ્પર્ધાત્મક ઇવેન્ટ્સ અને શૈક્ષણિક પ્રવાસો સાથે આદિવાસી વિદ્યાર્થીઓની પ્રતિભાને મદદ કરતી શાળા એટલે EMRS

Published

on

  • ઈએમઆરએસ વાઘોડિયાની ૩ વિદ્યાર્થીનીઓએ રાજ્ય કક્ષાની રમતગમત અને સાંસ્કૃતિક સ્પર્ધામાં નામના મેળવી
  • સાંસ્કૃતિક સ્પર્ધામાં શાળા અને રાજ્યનું પ્રથમ વખત પ્રતિનિધિત્વ સાથે બેંગ્લોર જવા પ્રથમ વાર પ્લેનમાં બેસવાનો મને અનુભવ થયો, જે ક્યારેય ભૂલી શકું નહીં. – નિરાલી રાઠવા, વિદ્યાર્થિની


ગુજરાતમાં અત્યારે ૩૬ જેટલી ઈએમઆરએસ શાળાઓ ચાલી રહી છે, જેમાં આદિવાસી વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવામાં આવે છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલે પણ આદિવાસી વિદ્યાર્થીઓને તેઓના શિક્ષણની સાથોસાથ સપનાને સાકાર કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.

છોટા ઉદેપુરના આદિવાસી વિસ્તારની નિરાલીએ જ્યારે પ્લેનની અંદર પહેલું પગલું ભર્યું ત્યારે તેની લાગણી તેને એક અલગ જ દુનિયામાં લઈ ગઈ. એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની ધોરણ ૯ માં ભણતી આ છોકરીએ તેના ગૌરવની ક્ષણો જીવી અને હવે તેનું સ્વપ્ન જીવી રહી હોવાનું તેને ગર્વ છે. હવે તેના માતા-પિતાને એક દિવસ આવી હવાઈ સફર પર લઈ જવાનું સપનું છે. નિરાલી રાષ્ટ્રીય ગાયન સ્પર્ધા માટે તેની શાળાનું પ્રતિનિધિત્વ કરવા બેંગ્લોર ગઈ જે તેના જીવનની સૌથી યાદગાર ક્ષણ હતી.

નિરાલી વાઘોડિયા ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ શાળા આદિજાતિ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર, ગુજરાત રાજ્ય આદિજાતિ શિક્ષણ સોસાયટી ગાંધીનગર દ્વારા સંચાલિત છે. નિરાલી ધોરણ ૬ થી આ શાળામાં અભ્યાસ કરે છે. તેનું સ્વપ્ન ભવિષ્યમાં શિક્ષિકા બનવાનું અને આદિવાસી વિસ્તારની છોકરીઓને ભણાવવાનું છે.

નિરાલી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતાં કરતાં તેના સપનાનો પીછો કરી રહી છે. વેકેશન દરમિયાન તે ઘરે જાય ત્યારે તે પોતે પોતાના હાથે માતા-પિતા માટે ચા અને ભોજન તૈયાર કરે છે. આટલી નાનકડી ઉંમરે પણ અભ્યાસની સાથે જવાબદારી પ્રત્યે સભાનતા. તે શિક્ષિકા બનીને પોતાના જેવી આદિવાસી છોકરીઓને શિક્ષિત કરવામાં અને તેમના સપનાને સાકાર કરવામાં મદદરૂપ થવા માંગે છે.

ઈ એમ આર એસ આદિવાસી છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ છાત્રાલયો સાથેની સહ-શિક્ષણ શાળા છે. તમામ વર્ગો સ્માર્ટ છે, વિદ્યાર્થીઓ રહેવા, જમવા અને અન્ય સુવિધાઓ જેવી કે આરોગ્યપ્રદ ખોરાક, દર મહિને મફત કરિયાણા, ગણવેશ, ટ્રેક, બ્લેઝર, શૂઝ, પુસ્તકો સહિત સંપૂર્ણ મફત શિક્ષણ મેળવે છે. પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન પણ આપવામાં આવે છે.અહીંથી પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ એન્જીનીયરીંગ, ડેન્ટલ, બી,એસસી અને નર્સીંગમાં અભ્યાસ કરે છે જે અમારા માટે ગર્વની વાત છે. શાળા દ્વારા સાયન્સ સિટીની ટુર પણ યોજવામાં આવે છે. અમદાવાદ અને વિદ્યાર્થીઓ માટે દર વર્ષે શૈક્ષણિક પ્રવાસ હોય છે. એમ ત્યાંના કમ્પ્યુટર શિક્ષક પ્રતિકસિંહ મહિડાએ જણાવ્યું હતું.

શૈક્ષણિક ઉપરાંત વિદ્યાર્થીઓ ખાસ કરીને છોકરીઓ રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રહી છે. ૩ છોકરીઓ તાજેતરમાં રમતગમત અને ગાયન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરે છે જે ઉલ્લેખનીય છે. નિરાલી રાઠવા (ગાયન), તૃષા રાઠવા (તીરંદાજી), નિરાલી મુકેશભાઈ રાઠવા (બેડમિન્ટન) એ રાષ્ટ્રીય સ્તરે તેમની શાળાનું પ્રતિનિધિત્વ કર્યું જે તેમના આત્મવિશ્વાસને આગળના સ્તરે લઈ જાય છે.

૨૦૧૯ માં એક છોકરી તિલકવાડા ખાતે આયોજિત રાજ્ય કક્ષાની સાંસ્કૃતિક ટુર્નામેન્ટમાં પ્રથમ ક્રમે આવી અને રાષ્ટ્રીય સ્પર્ધા માટે રાજસ્થાનના ઉદયપુર ગઈ. ૨૦૨૩ માં ધોરણ ૯ ની વિદ્યાર્થીની નિરાલી રાઠવા વેજલપુર ખાતે રાજ્ય કક્ષાની આદિવાસી ગાયન સ્પર્ધા જીતીને રાષ્ટ્રીય સ્પર્ધા માટે બેંગ્લોર ગઈ. તેણીની સંસ્કૃતિ ગાયન સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે રજૂ કરે છે. નિરાલી છોટા ઉદેપુર ખાતે ખેતી કરતા પરિવારમાંથી આવે છે અને ત્રણ બાળકોમાં સૌથી મોટી છે. અગાઉ તેણીએ છોટાઉદેપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો અને બાદમાં પરીક્ષા આપ્યા પછી અહીં શિફ્ટ થઈ ગઈ એમ પ્રતીકસિંહ મહિડાએ વધુમાં કહ્યું હતું.

શાળા છોકરીઓને અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રેરિત કરે છે અને તેઓએ વિશ્વાસપૂર્વક ભાગ લીધો અને રાષ્ટ્રીય સ્તરે તેમની શાળાનું પ્રતિનિધિત્વ કર્યું. “મેં આદિવાસી ગીત ‘આદિવાસી નારી’ ગાયું હતું અને વેજલપુર ખાતેની રાજ્ય સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. બાદમાં હું રાષ્ટ્રીય સ્પર્ધા માટે રાજ્યની ટીમ સાથે બેંગ્લોર ગયો હતો અને જીવનમાં પ્રથમ વખત વિમાનમાં મુસાફરી કરી હતી. પ્રવેશતાં જ હું ધ્રૂજી ઊઠી હતી. પ્લેનની અંદર અને કાર્પેટથી લઈને સીટ સુધી બધું જ મારા માટે નવું હતું. મને આકાશમાં ઉડવાનો એ પ્રથમ અને અદ્ભુત અનુભવ હતો. આ ઉંમરે પ્લેનમાં મુસાફરી કરવાનો મને ગર્વ છે. હું મારા પરિવારમાંથી પ્લેનમાં મુસાફરી કરનાર પ્રથમ વ્યક્તિ છું અને હવે મારા માતા-પિતાને એક દિવસ રાઈડ પર લઈ જવાનું સપનું છે,” એમ તેણીએ હસતાં હસતાં કહ્યું હતું.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Vadodara

વાઘોડિયાના પૂર્વ ધારાસભ્યના પૂર્વ પીએ એ વિધવા મહિલા સાથે દુષ્કર્મ આચર્યું,જવાહરનગર પોલીસે ગુન્હો નોંધ્યો

Published

on


વડોદરા જિલ્લાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્યના પૂર્વ પીએ રણોલીમાં રહેતી 33 વર્ષીય વિધવા મહિલા સાથે લોનના હપ્તામાં મદદ કરવાની લાલચે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ જવાહરનગર પોલીસ મથકે નોંધાય છે. જ્યારે પોલીસે ધારાસભ્યના પૂર્વ પીએની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.



શહેર નજીક રણોલી ગામે રહેતી 33 વર્ષીય વિધવા મહિલાને સંતાનમાં બે બાળકો છે. 2020માં પતિ સાથે તેના છૂટાછેડા થયા હતા. મહિલાએ પદમલા વિસ્તારમાં એક બેંકમાંથી 15 લાખની લોન લીધી હતી મહિલા રણોલીમાં એક નાની હોટલ ચલાવતી હતી. બીમારીમાં સપડાતા  હોટલ બંધ થઈ ગઈ હતી અને લોનના ત્રણ હપ્તા ભરી શકે તેમ ન હતી. 36 દિવસમાં હપ્તા નહીં ભરો તો મકાનને તાળા વાગશે તેવી બેંકની નોટિસથી મહિલા ટેન્શનમાં આવી ગઈ હતી. જેથી આ મહિલા તેની પુત્રી સાથે ગત વર્ષે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મળવા નિઝામપુરા બસ સ્ટેન્ડ પાસેની ઓફિસે ગઈ હતી. પરંતુ ધર્મેન્દ્રસિંહ ના સ્થાને તેમના પીએ રાજેશ ગોહિલ મળ્યો હતો.

રાજેશે મદદના બહાને મહિલા સાથે વાત કરતો હતો. ગત તારીખ ચોથીએ રાજેશ મહિલાના ઘરે ગયો હતો જે બાદ તેને મહિલા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. મહિલા કરગરતી રહી પણ રાજેશ મહિલાને છોડતો ન હતો. દરમિયાન મહિલાના દીકરી અને જમાઈ ઘરે આવ્યા હતા. બંનેને કઠંગી હાલતમાં જોયા હતા. ત્યારે રાજેશ તમારાથી થાય તે કરી લેજો તમારાથી કંઈ થવાનું નથી તેમ કહીને ટુવાલ લપેટીને મકાનના પાછળના ભાગેથી ફરાર થઈ ગયો હતો.

રાજેશે ધમકી પણ આપી હતી કે. આજે જે થયું તેની કોઈને જાણ કરી તો મારી નાખીશ. આ ઘટનાથી ગભરાયેલી મહિલાએ સમાજના ડરથી ફરિયાદ કરી ન હતી. જ્યારે આજે જવાહર નગર પોલીસે પાદરાના રાજેશ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

Continue Reading

Waghodia

વાઘોડિયા ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખની “બારીકાઈથી બાદબાકી!”

Published

on

દિવાળી તેમજ નુતાનવર્ષની શુભકામનાઓ આપવા માટે રાજકીય પક્ષો અને નેતાઓ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જોકે આવા કેટલાક કાર્યક્રમોમાં રાજકીય જાણે અજાણે રાજકીય દ્વેશભાવ સામે આવી જાય છે. જેમાં વાઘોડિયા ધારાસભ્યના સ્નેહમિલન કાર્યક્રમની પત્રિકામાં આ પ્રકારની વૃત્તિ સ્પષ્ટ જણાઈ આવી હતી.

વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને હજી વિધિવત ભાજપમાં પ્રવેશ મળ્યો નથી.ધારાસભ્યએ ચૂંટણીના પરિણામ બાદ ભાજપ સરકારને સમર્થન જાહેર કર્યુ હતું. જોકે તેઓને હાલ સુધી પ્રદેશના નેતા દ્વારા ખેસ ધારણ કરાવીને પક્ષમાં આમંત્રિત કરવામાં આવ્યા નથી. અન્ય ભાજપના ધારાસભ્યોને રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણીમાં કેટલીક જવાબદારીઓ પણ સોંપવામાં આવે છે. જોકે ધર્મેન્દ્રસિંહ વાઘેલાની તેમાં પણ બાદબાકી કરવામાં આવે છે. છતાંય ભાજપને બહારથી સમર્થન જાહેર કરનાર ધર્મેન્દ્રસિંહ બાપુ, ભાજપના કાર્યક્રમોમાં અચૂક હાજરી આપે છે. પોતાના પોસ્ટર બેનરમાં પણ ભાજપના નેતાઓના ફોટો તેઓ પ્રકાશિત કરે છે.તાજેતરમાં સ્નેહમિલન કાર્યક્રમની નિમંત્રણ પત્રિકામાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,અમિત શાહ, સહિત રાષ્ટ્રીય નેતાગીરી અને પ્રદેશ પ્રમુખ મુખ્યમંત્રી તેમજ જીલ્લા પ્રમુખ અને સાંસદની તસવીરો પ્રકાશિત કરવામાં આવ્યા છે.

અપક્ષ ધારાસભ્યની આ નિમંત્રણ પત્રિકામાં જીલ્લા ભાજપ મહામંત્રીઓ,મંત્રીઓ, વાઘોડિયા તાલુકા ભાજપ પ્રમુખ, વાઘોડિયા તાલુકાના જીલ્લા પંચાયત સભ્યો,વાઘોડિયા તાલુકા પંચાયતના હોદ્દેદારો,વડોદરા તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે ખૂબ ચોકસાઈ થી જીલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડાના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. જેને લઈને જીલ્લાના રાજકારણમાં ભારે ચર્ચા ચાલી છે.

24 નવેમ્બર,શુક્રવારે સાંજે 4.30 કલાકે, વાઘોડિયાના અમોદર ગામે હરસિધ્ધિ ફાર્મમા યોજાનાર સ્નેહમિલન કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખની ખૂબ બારીકાઈથી બાદબાકી કરવામાં આવી છે. જેનાથી જીલ્લા ભાજપમાં ચાલી રહેલી જુઠબંધીના પણ દર્શન થયા છે. જો આ ફક્ત વિધાનસભા કક્ષાનો “ભાજપ”નો સ્નેહમિલન કાર્યક્રમ હોય તો વાઘોડિયા વિધાનસભામાં ભાજપના ચિન્હ સાથે ચૂંટણી લડેલા અશ્વિન પટેલ કોયલીને કેમ આમંત્રિત ન કરાયા? અને જીલ્લા કક્ષાનો કાર્યકમ ગણીએ તો જીલ્લા પંચાયત પ્રમુખની કેમ બાદબાકી? એવા અનેક સવાલો ઉભા થાય છે.

Continue Reading

Waghodia

વડોદરા શહેર તરફ કારમાં લઇ જવાતો વિદેશી શરાબનો જથ્થો ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમેં ઝડપી પાડી બે આરોપીની ધરપકડ કરી

Published

on

ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જરોદ પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે, હાલોલ તરફથી એક સફેદ કલરની વરના ફોર વ્હીલ ગાડી માં ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ભરી જરોદ થઇ વડોદરા તરફ લઇ જવા માં આવી રહ્યો છે.

ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળતા બાતમી આધારિત સ્થળ પર ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોચ ગોઠવી ઉભી થઇ ગઈ હતી. અને બાતમી આધારિત સફેદ કલરની વરના ફોર વ્હીલ ગાડી આવતા તેને કોર્ડન કરી કારચાલક અને અન્ય એક ઈસમને કારમાંથી નીચે ઉતારી તેમને સાથે રાખી કારમાં તપાસ કરતા કાર માંથી 115 નંગ નાની મોટી વિદેશી શરાબની બોટલો તેમજ બીયરના ટીન મળી આવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમેં કારચાલક સહીત કારમાં સવાર અન્ય એક ઈસમની ધરપકડ કરી જરોદ પોલીસ મથકે બને આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કાર માંથી વિદેશી શરાબનો જથ્થો મળી આવતા પોલીસે વડોદરાના સુલય લાખાભાઇ મચ્છાર તેમજ ડુંગરપૂરના નરહરિ રૂપલાલ ડામોરની ધરપકડ કરી તેમની પાસે થી રૂ. 54,675 ની કિંમતનો વિદેશી શરાબના જથ્થા સાથે કાર અને મોબાઇલ ફોન સહીત કુલ રૂ. 3,64,675ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

Continue Reading

Trending