ગંગા દશાહરા જેઠ સુદ એકમ 7 જૂન થી જેઠ સુદ દશમ 16 જૂન સુધી ના દિવસીય ગંગા દશાહરા પર્વ યાત્રાધામ ચાંદોદ ના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ,ચક્રતીર્થ ઘાટ ના કિનારે મહાઆરતી પૂજન સાથે નર્મદા સ્નાન અર્થે ગુજરાત ભરમાંથી રોજે રોજ સેંકડો શ્રદ્ધાળુઓ પધારી આરતીનો લાભ લે છે. જેઠ મહિનાના જેઠ સુદ એકમ થી દશમી તિથિએ આ પર્વ ઊજવવામાં આવે છે. આ ગંગાજીના પૃથ્વી ઉપર અવતરણનો દિવસ છે. આ દિવસે ગંગા નદીમાં સ્નાન, દાન અને ઉપવાસ રાખવાનું ખાસ મહત્ત્વ છે. માંગલિક કાર્યો માટે પણ આ દિવસ ખૂબ જ સારો માનવામાં આવે છે.
ત્યારે ગતરોજ સાતમા માં દિવસે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ પરિવાર સહિત અનેક મહાનુભાવોએ આરતીનો લાભ લીધો હતો. આ પર્વમાં ગંગાજી કે આસપાસની કોઈપણ પવિત્ર નદી, સરોવર કે ઘરમાં ગંગાજળથી નાહવાની પરંપરા છે. તે પછી દેવી ગંગા સાથે નારાયણ, શિવ, બ્રહ્મા, સૂર્ય, રાજા ભગીરથ અને હિમાલય પર્વતનું પણ પૂજન કરવું જોઈએ. આ દિવસે આ 10 યોગની માન્યતા છે દસ યોગમાં ગંગા ધરતી ઉપર આવ્યા હતાં.
જેઠ મહિનાના સુદ પક્ષની એકમ થી દશમ એ 10 યોગમાં દેવીનું પૃથ્વી ઉપર અવતરણ થયું હતું. એટલે આ પર્વને દશહરા કહેવામાં આવે છે. ગંગા દશાહરા મહોત્સવ માં દાન કરવાનું મહત્ત્વ અનેરું મહત્વ છે જે આ દિવસે 10 અંકનું ખાસ મહત્ત્વ હોય છે. એટલે કે ગંગા દશાહરાના દિવસે તમે જે પણ દાન કરો તેની સંખ્યા 10 હોવી શુભ માનવામાં આવે છે.
ગંગા દશાહરા મહોત્સવ માં મલ્હારરાવ ઘાટ તેમજ ચક્રતીર્થ ઘાટ પર ચાંદોદ ના વિધ્વાન ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને પુણ્ય સલીલા નર્મદાજીની મહાઆરતી માં શ્રદ્ધાળુઓ જોડાઈ ને માતાજીને ચુંદડી,દૂધ,કુમકુમ,શ્રીફળ,જેવી સામગ્રી માતાજીને અર્પણ કરી હર હર ગંગે…હર હર નર્મદે…ના નાદ સાથે સ્નાન નો લાભ લઇ ધન્યતા અનુભવે છે.