Karjan-Shinor
કરજણ પંથકમાં વરસાદી પાણી ઘરો તેમજ ખેતરોમાં ફરી વળતા ખેડૂતોની ચિંતા વધી
Published
2 years agoon
વડોદરા જિલ્લાના કરજણ પંથકમાં રાત્રી તેમજ સવાર દરમિયાન ખાબકેલ વરસાદે ભારે નુકસાન કર્યું હતું અને પંથકના સાંસરોદ, કોલીયાદ, વલણ ગામ સહીત અનેક નીચાણવાળા ગામડાઓમાં ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા વરસાદી પાણી ભરાઈ જતા કોલીયાદ તરફના માર્ગથી ભરૂચના પાલેજ તરફનો વાહનવ્યવહાર ખોરવાયો હતો.
સાસરોલ ગામે સરકારી આવાસોના ઘરોમાં વરસાદી પાણી આવી જતા ઘરવખરી ને ભારે નુકશાન પહોંચ્યું હતું તો બીજી તરફ બે ઈંચ વરસાદ વરસતા વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યાં હતા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા પાકને નુકસાન થવાની ધરતીપુત્રોમાં ભીતિ સેવાઈ રહી છે ધરતી પુત્રો એ મોંઘા બિયારણ, ખાતર અને દવાનો છટકાવ કરી ને પાક ને તૈયાર કર્યો હતો ત્યારે વરસાદી પાણી ખેતરો માં ફરી વળતા પાકને નુકશાન થવાની ભીતિને લઇ કરજણ પંથકના ખેડૂતો ચિતા માં મુકાયા છે
You may like
-
શેરબજારમાં રોકાણના નામે ઠગાઇનું મોટું કૌભાંડ ઝડપાયું, એક ડઝન સામે ફરિયાદ
-
રાજસ્થાનથી મુંબઇ અને મુંબઈથી વડોદરા લાવવામાં આવતા વિદેશી શરાબના કન્ટેનરને જીલ્લા LCBએ ઝડપી પાડ્યું
-
લાજવાની બદલે ગાજ્યો રોમિયો: હોટલમાં પરિણીતાની છેડતી કરી મહિલાના પતિ-દિયરને મારી નાંખવાની ધમકી
-
શિનોર: ઇક્કો કાર ચાલકે બાઈક અને મોપેડને અડફેટે લેતા બેના મોત, ત્રણ ગંભીર
-
દિલ્હીના ઠેકેદારે મોકલેલો 23.76 લાખનો શરાબનો જથ્થો કરજણ ટોલનાકા પાસે ઝડપાયો
-
હરિયાણાથી શરાબનો જથ્થો ભરીને અમદાવાદ જઇ રહેલા આઇસર ટેમ્પોને જીલ્લા LCBએ ઝડપી પાડ્યો