Karjan-Shinor

કરજણ પંથકમાં વરસાદી પાણી ઘરો તેમજ ખેતરોમાં ફરી વળતા ખેડૂતોની ચિંતા વધી

Published

on

વડોદરા જિલ્લાના કરજણ પંથકમાં રાત્રી તેમજ સવાર દરમિયાન ખાબકેલ વરસાદે ભારે નુકસાન કર્યું હતું અને પંથકના સાંસરોદ, કોલીયાદ, વલણ ગામ સહીત અનેક નીચાણવાળા ગામડાઓમાં ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા વરસાદી પાણી ભરાઈ જતા કોલીયાદ તરફના માર્ગથી ભરૂચના પાલેજ તરફનો વાહનવ્યવહાર ખોરવાયો હતો.

સાસરોલ ગામે સરકારી આવાસોના ઘરોમાં વરસાદી પાણી આવી જતા ઘરવખરી ને ભારે નુકશાન પહોંચ્યું હતું તો બીજી તરફ બે ઈંચ વરસાદ વરસતા વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યાં હતા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા પાકને નુકસાન થવાની ધરતીપુત્રોમાં ભીતિ સેવાઈ રહી છે ધરતી પુત્રો એ મોંઘા બિયારણ, ખાતર અને દવાનો છટકાવ કરી ને પાક ને તૈયાર કર્યો હતો ત્યારે વરસાદી પાણી ખેતરો માં ફરી વળતા પાકને નુકશાન થવાની ભીતિને લઇ કરજણ પંથકના ખેડૂતો ચિતા માં મુકાયા છે

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version