Connect with us

Vadodara

નર્મદા નિગમના નિવૃત્ત ડે.એન્જિનિયર સહિત 15 લોકો સાથે કેનેડાના વિઝાના બહાને રુ.4.97 કરોડની ઠગાઈ

Published

on

પાંચ વર્ષ દરમિયાન વિઝાની કોઈ પ્રોસેસ કરી નહિ અને રૂપિયા પણ પરત આપતા નથી

છેતરપિંડી કરનાર ચાર ભેજાબાજો સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ

કેનેડાના વિઝા બનાવી આપવાના બહાને સરદાર સરોવર નર્મદા નિગમના નિવૃત્ત ડેપ્યુટી એન્જિનિયર સહિત 15 લોકો પાસેથી ચાર ઠગોએ 4.97 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. પાંચ વર્ષ દરમિયાન કોઈ વિઝાની પ્રોસેસ કરી ન હોય તેમ જ રૂપિયા પણ પરત નહીં આપતા તેમની સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વડોદરા શહેરના લક્ષ્મીપુરા રોડ પર આવેલા દુર્ગા ડુપ્લેક્સ માં રહેતા નવનીતભાઈ હીરાભાઈ પરીખ(ઉ.વર્ષ- 57)સરદાર સરોવર નર્મદા નિગમના નિવૃત્ત ડેપ્યુટી એન્જીનીયર છે. વૃદ્ધ પ્રવિણચંદ્ર મણીલાલ સોલંકી અને ડો .નિરવ અંબાલાલ ચૌહાણને વર્ષ 2019માં મારા દિકરા ધ્રુવને સ્ટુન્ડટ વીઝા પર કેનેડા મોકલવાનો વિચાર કરી રહ્યા હતા. ત્યારે ડો.નિરવ અંભાલાલ ચૌહાણ અને પ્રવિણચંદ્ર મણીલાલ સોલંકીએ જણાવ્યું હતું કે, તમે જેટલો ખર્ચ તમારા છોકરાના ત્રણ વર્ષના વિઝા માટે કરશો તેટલા ખર્ચમાં બિઝનેશ સ્ટાર્ટઅપ વિઝા હેઠળ તમારું આખું ફેમિલીના કેનેડા જઈ પી.આર કેટેગરીના બિઝનેસ સ્ટાર્ટઅપ વિઝા થઈ જશે.

ત્યારબાદ મેહુલ છત્રભુજ ઠકક્કર ( રહે. સ્વામીનારાયણ નગર, નિઝામપુરા બસ સ્ટેન્ડ પાસે, વડોદરાના સંચાલક સાથે મારો પરીચય કરાવ્યો હતો. ત્યારે મેહુલ છત્રભુજ ઠક્કર, પ્રવિણચંદ્ર મણીલાલ સોલંકી અને ડો. નિલ અંબાલાલ ચૌહાણએ પોતાની સ્કીમ મને સમજાવી જેમાં તેમને રૂા.40 લાખનું ઈન્વેસ્ટમેન્ટ કરવા કહ્યું હતું. માસ્ટર ટચ કોન્સેપ્ટ આઈ.ટી. બીપીઓ કંપની જે કેનેડામાં આવેલી છે જે કંપનીના ડાયરેક્ટર તરીકે મેહુલ છત્રભુજ ઠક્કર તથા તેની પત્ની પલક મેહુલ ઠક્કર છે. જ્યાં મુળ એપ્લીકન્ટને કેનેડામાં 3 હજાર કેનેડીયન ડોલર સેલેરી મળશે અને મને 40લાખથી વધુ કોઈ ખર્ચ કરવાનો રહેશે નહીં અને કંપનીમાં 12% નો હિસ્સો મળશે.

શરૂઆતના પંદર દિવસના રહેવાનો ખર્ચ પણ મેહુબ ઠકક્કર પોતે ભોગવશે અને ત્યાં જતાની સાથે ૩ હજાર કેનેડીયન ડોલરની બ્રાઈટ કોલર જોખ પણ ચાલુ થઈ જશે એવી લોભામણી લાલચ પણ મને આપી હતી અને મને જણાવેલ કે તમારો વિઝાનો પ્રોસેસ ન થાય તો તમામ રકમ તમોને પાછી આપી દેવામાં આવશે એવું મને મેહુલ પ્રવિણચંદ્ર સોલંકી તથા ડો.નિરવ ચૌહાણે પાકો ભરોસો આપ્યો હતો.

સ્કીમનો ઈન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ અને શેર હોલ્ડર એગ્રીમેન્ટ કર્યા બાદ પ્રવિણચંદ્ર સોલંકી તથા ડો, નિવ ચૌહાણ નાઓ સાથે ઘણા સમયથી પરીચીત હોય જાશામાં આવી ગયા હતા અને તેઓના કહ્યા મુજબ કેનેડા જવા માટે વિઝા મેળવવા માટે રુ.40 લાખ ચૂકવી દીધા હતા. ત્યારબાદ વર્ષ2020માં ઓફર ઓફ એમ્પલોયમેન્ટ અને રીક્વેટસ ઓફ લેટર ઓફ સપોર્ટની કામગીરીના ફોર્મ ભરાવ્યા હતા. બાદમાં કોરોનાની મહામારી ચાલતી હોય વિઝા પ્રોસેસનું કામ હાલ બંધ છે તેવા બહાના બતાવી સચોટ માહિતી આપતા ન હતા.


જેથી વૃદ્ધ સહિત કેનેડાની ફાઈલ માટે પ્રોસેસ કરાવનારા મિત્રો મેહુલભાઈ ઠક્કરની ઓફીસે તપાસ કરતા મેહુલ ઠક્કર સહિતના એજન્ટોએ 14 લોકો પાસેથી બીજાના બહાને 4.97 કરોડ રૂપિયા પડાવી છેતરપિંડી કરી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં મેહુલ ઠક્કર તેમજ તેના મળતિયાઓ પ્રષિણચંદ્ર મણીલાલ સોલંકી, ડો.નિરવ ચૌહાણ અને ડો.જીગ્નેશ હરીભાઈ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

મેહુલ ઠક્કર અને પ્રવીણ સોલંકી અમેરિકા ભાગી ગયા

મેહુલ ઠક્કરની ઓફિસે જઈ તપાસ કરતા ત્યાં હાજર કર્મીઓએ એવું કહ્યું કે તેઓ તેમની માતાની સારવાર કરાવવા માટે મુંબઈ ગયા છે. જ્યારે ડોક્ટર નિરવની ઓફિસે જઈ તપાસ કરતા મેહુલ ઠક્કર તથા પ્રવિણચંદ્ર સોલંકી અમેરિકા જતો રહ્યો હોવાનો જાણવા મળ્યું હતું. છેતરપીંડી કરેલ હોવાનો અહેસાસ થતા આશરે 40-50 લોકોને 2023માં બરોડા પ્રોડકટીવીટી કાઉન્સીલ હોલ, અલકાપુરી, વડોદરા ખાતે ભેગા થઈ મીટીંગ કરી હતી. પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.

કોની પાસેથી કેટલા રૂપિયા ઠગોએ પડાવ્યા

આશિષ જગદિશભાઈ જોષીના રૂ.50 લાખ
વિજયભાઈ અમરભાઈ પરીખ રૂ.34 લાખ
પરીમલ હસમુખભાઈ મહંત રૂ.35 લાખ
4.ક્રિષ્ણાબેન ગૌસંગ ભાઈ ગજ્જર રૂ.12.50 લાખ
અનિલકુમાર સંગારામ પરમાર રૂ.35 લાખ
ભાવેશ કુમાર જશવંતભાઈ ચૌહાણ રૂ.47 લાખ
લોમેશ શરણભાઈ બારોટ રૂ.25 લાખ
8.મોનલકુમાર ૨જનીકાંત પટેલ રૂ.25 લાખ
જલ્પામેન ધનેન્દ્રભાઈ પટેલ રૂ.40 લાખ
સુરજભાઈ મહેન્દ્રકુમાર જાદવ રૂ.5 લાખ
શંકરભાઈ ચતુરભાઈ પટેલ રૂ.35 લાખ
પરિચયભાઈ ૨મેરાચંદ્ર રાઠોડ રૂ.8 લાખ
જયકુમાર મુકેશભાઈ પટેલ રૂ.26 લાખ
સોનલબેન હિરેનકુમાર પટેલ રૂ.40 લાખ
નવનીતભાઈ હીરાભાઈ પરીખ રૂ.40 લાખ

વિશ્વાસ આવે માટે બાયોમેટ્રિક કરાવવા અમદાવાદ મોકલ્યા

કોરોના મહામારીની અસર ઓછી થતા જનજીવન સામાન્ય બનતા વૃદ્ધે મેહુલ ઠક્કર પાસેથી અમારા વિઝા પ્રોસેસ માટેની વાત કરી હતી અને વિઝા પ્રોસેસ વિષે જાણાવા માટે અવાર-નવાર જતા હતા.જેથી મેહુલ ઢક્કરે તેમને વર્ષ 2021માં લેટર ઓફ સપોર્ટ અને ત્યારબાદ બાયોમેટ્રીક લેટર ઈ-મે ઇલ દ્વારા મોકલ્યો હતો. ત્યારબાદ તેમને વિશ્વાસ આવે માટે અમદાવાદ ખાતે બાયોમેટ્રીક કરાવવા માટે મોકલ્યા હતા. જેના આધારે અમદાવાદ ખાતે આવેલા એપોલો હોસ્પિટલમાં વૃદ્ધે પોતાના ખર્ચે મેડીકલ ચેકઅપ કરાવ્યું હતું. જે બાદ સુધીમાં તેઓના જણાવ્યા મુજબ વર્ષ 2021 સુધી અમારા વિઝા નહીં આવતા તે બાબતે પુછતા યોગ્ય જવાબ નહીં આપી બહાના બતાવતા હતા.

Vadodara

ઘોડા છૂટી ગયા બાદ તબેલા ને તાળા મારવાનો શું અર્થ?, સત્તાધીશો જ શહેરમાં પૂર લાવ્યાનો પુરાવો સામે આવ્યો!

Published

on

  • જે ઇજારો ચોમાસુ શરૂ થાય તે પહેલા આપવો જોઈએ, એ ઇજારો શહેરને પૂરમાં ધકેલ્યા બાદ મંજૂરી માટે મુકાયો
  • અધિકારીઓ એ અગાઉથી તાકીદ કરી હતી,પણ નફ્ફટ સત્તાધીશોએ ધ્યાન ન આપ્યું
  • મેયર અને કમિશ્નરને સજાગ કરવા અનેક વાર પત્ર લખાયા,તેમ છતાંય પેટનું પાણી હાલ્યું નહીં

વડોદરા શહેરમાં એક જ દિવસમાં પડેલા ધોધમાર વરસાદ બાદ સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ સ્થિતિ માટે જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. પૂરને કુદરતી આફત ગણાવનારા આ સત્તાધીશોએ જાણી જોઈને પૂરની સ્થિતિનું નિર્માણ કર્યું હોય તેવા પુરાવા પણ સામે આવી રહ્યા છે. જે કામગીરી ચોમાસા પહેલા કરવાની હોય તે કામગીરી સમગ્ર શહેર પૂરમાં ડૂબ્યા બાદ કરવામાં આવી રહી છે.

વડોદરા મહાનગરપાલિકા દર વર્ષે પ્રી મોનસુન કામગીરીનો ડોળ ઉભો કરે છે. કાગળ પર થતી પ્રિમોન્સૂન કામગીરી ક્યારેય વાસ્તવિક રીતે જોવા મળતી નથી. વરસાદીકાંસના હજારો ચેમ્બર સાફ કરી દીધા હોવાનું ઓન પેપર દર્શાવવામાં આવે છે. જોકે ટૂંકા સમયમાં આ કામગીરી પૂર્ણ થાય તેવી કોઈ શકયતા હોતી નથી. વરસાદના સમયે તેમજ ત્યારબાદ વરસાદી ગટરના દુરસ્તીકરણની કામગીરી માટે ઇજારો ખૂબ જરૂરી બને છે. એક સમયે ભારે વરસાદના કારણે કોઈ વિસ્તારમાં પાણી ભરાય તો તેના નિકાલ માટે તાત્કાલિક મશીનરીને કામે લગાડવાની જવાબદારી જે તે ઇજારદારની હોય છે. પરંતુ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આજ દિન સુધી વરસાદી ગટર દુરસ્તીકરણના કામ માટે ઇજારો સોંપવામાં આવ્યો નથી.

પૂર્વ ઝોનના કાર્યપલક ઇજનેરે એક મહિના પહેલા જ ચિંતા વ્યક્ત કરી હતી

આજે જ્યારે વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોએ ત્રણ દિવસ પૂરની સ્થિતિના દર્શન કર્યા બાદ આજની સ્થાયી સમિતિની બેઠકમાં વરસાદી ગટરના દુરસ્તીકરણના કામોને મંજૂરી અર્થે મુકવામાં આવ્યા છે.સ્થાયી સમિતિની આજની મળેલી બેઠકમાં શહેરના દક્ષિણ ઝોન ઉત્તર ઝોન તેમજ પૂર્વ ઝોન ના વરસાદી ગટર દુરસ્તીકરણના કામોનો વાર્ષિક ઇજારો મંજૂરી અર્થે મુકવામાં આવ્યો હતો. જ્યારે શહેરના પશ્ચિમ ઝોન તેમજ ઉત્તર ઝોનમાં વરસાદી ગટર સફાઈ કરવાના કામનો વાર્ષિક ઇજારો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યો છે. વરસાદી ગટરની સફાઈ ચોમાસા પહેલા જ થઈ જવી જોઈએ છતાં સફાઈનો ઈજારો મધ્ય ચોમાસે મંજૂરી માટે મૂકવામાં આવી રહ્યો છે. આ કોઈ ટેકનિકલ ખામી નથી પરંતુ અધિકારીઓ અને સત્તાધીશોની નફ્ફટાઈને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

વડોદરા શહેરના પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર દ્વારા 5 જૂનના રોજ ડ્રેનેજ તેમજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખાના કાર્યપાલક ઈજનેર પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે,પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર દ્વારા 18 જાન્યુઆરી 2024 થી હયાત વરસાદી ગટર દુરસ્તી કરણના કામના વાર્ષિક ઇજારા માટે માંગણી કરવામાં આવી હતી. 13 જુલાઈના રોજ પૂર્ણ થતાં ઇજારામાં નવી ટેન્ડર પ્રક્રિયા ન થાય ત્યાં સુધી વચગાળાના સમય માટે 25 લાખની મર્યાદામાં બે મહિના માટે કામગીરી સોંપવાની માંગણી કરાઈ હતી. ઇજારો 13 જુલાઈ 2024 ના રોજ પૂર્ણ થયો હતો અને ત્યાર પછીની સ્થિતિ માટે ઈજારદારને હંગામી વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો ન હતો.પૂર્વ ઝોનના કાર્યપાલક ઈજનેર દ્વારા નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં ન આવે ત્યાં સુધી 25 લાખની નાણાકીય મર્યાદામાં વરસાદી ગટર દૂરસ્તી કરણ કરવાના કામ માટે બે માસના એક્સટેન્શનની માંગણી કરવામાં આવી હતી. છતાં પણ પાલિકાના ડ્રેનેજ શાખાના અધિકારીઓ દ્વારા આ રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી ન હતી

13 જુલાઈ 2024 થી 26 જુલાઈ 2024 ના સમયગાળામાં પાલિકા પાસે વરસાદી ગટર દુરસ્તી કરણ કરવા માટે કોઈ ઇજારદારને કામગીરી સોંપવામાં આવી ન હતી. આજે 26 જુલાઈના રોજ સ્થાયી સમિતિની બેઠકમાં આ કામગીરીને મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી છે. અને આગામી 10 દિવસમાં ઈજારદારને તેનો વર્ડ ઓર્ડર સોંપવામાં આવશે જો પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ સમય સૂચકતા જાળવીને ઇજારો જાહેર કર્યો હોત તો આજે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ભરાયેલા પાણી કાઢવામાં લાંબો સમય વીત્યો ન હોત.

    Continue Reading

    Vadodara

    17 જેટલા પ્રોહિબિશન ગુન્હામાં સંડોવાયેલા બુટલેગર નરેન્દ્ર રામચંદાણીને વિદેશી શરાબના જથ્થા સાથે પીસીબીએ ઝડપી પાડ્યો

    Published

    on

    વડોદરા શહેરના ભારતીય વિસ્તારમાં આવેલા સુદામા નગર ઝૂંપડપટ્ટીમાં વિદેશી શરાબનો વેપલો કરતા નરેન્દ્ર ઉર્ફે ગણેશ રામચાંદાણીને વડોદરા શહેર પીસીબી શાખાની ટીમે ઝડપી પાડ્યો હતો.

    પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર pcb શાખાની ટીમને બાતમી મળી હતી કે, વારસિયા વિસ્તારમાં સુદામા નગર ઝૂંપડપટ્ટીમાં રહેતો નરેન્દ્ર ઉર્ફે ગણેશ ઉર્ફે ડેડર રામચંદાણી પોતાના ઘરની બાજુમાં આવેલી ઓરડીયોમાં વિદેશી શરાબનો જથ્થો રાખીને તેનું વેચાણ કરે છે.

    જે માહિતીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી 195 નંગ વિદેશી શરાબની બોટલો મળી આવી હતી. જ્યારે બુટલેગર નરેન્દ્ર ઉર્ફે ગણેશ રામ ચંદાણી સ્થળ પરથી ઝડપાઈ ગયો હતો.

    વડોદરા શહેરમાં કુલ 17 જેટલા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા બુટલેગર નરેન્દ્ર ઉર્ફે ગણેશ રામચંદાણીની ધરપકડ કરીને પોલીસે શરાબનો જથ્થો મોકલનાર મન્ની સિંધી, હિમાંશુ હરી સિંધી તેમજ રફીકને વોન્ટેડ જાહેર કર્યા છે. જ્યારે શરાબનો જથ્થો, મોબાઇલ ફોન તેમજ રોકડ મળીને પોલીસે 60,800ની કિંમતનો મુદ્દા માલ કબજે લીધો છે.

    Continue Reading

    Vadodara

    વડોદરાના સ્થાનિક તંત્ર પરથી લોકોનો ભરોસો ઉઠી ગયો!, નાગરિકોએ PMOને ટ્વીટ કરવાની કરી શરૂઆત

    Published

    on

    વડોદરામાં જળબંબાકારની સ્થિતી વચ્ચે વડોદરાવાસીઓને સ્થાનિક તંત્ર પરથી ભરોસો ઉઠ્યો હોવાની પ્રતિતિ કરાવે તેવી ઘટના સામે આવી છે. તાજેતરમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યાના કારણે એક નાગરિકે પ્રધાનમંત્રી કાર્યાલયને ટ્વીટર માકરફતે સમાધાન માંગતી રજુઆત કરી છે. જેના કારણે પહેલા વરસાદમાં જ લોકોને તંત્ર પરનો વિશ્વાસ ડગમગી ગયો હોય તેવું લાગી રહ્યું છે. જો આવુને આવું ચાલશે તો આખું ચોમાસુ લોકો સ્થાનિક ફરિયાદ વડાપ્રધાન કાર્યાલયને કરતા રહેશે.

    વડોદરામાં પહેલા જ વરસાદમાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે. વડોદરા પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓની પોલ પહેલા વરસાદે જ ખોલી નાંખી છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો સહિત ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. આ વચ્ચે તંત્ર લોકોની આશાઓ પર ખરુ ઉતરી શક્યું નથી. કેટલાક વિસ્તારોમાં લોકો ભગવાન ભરોસે હોય તેવું અનુભવી રહ્યા છે. તેવામાં વડોદરાના ડભોઇ રીંગ રોડ પર પાણી ભરાઇ જવાની ઘટના અંગે નિરાલી રાઠોડ નામના યુઝર એકાઉન્ટ દ્વારા વડાપ્રધાન કાર્યાલય ને ટ્વીટ મારફતે મેસેજ કરવામાં આવ્યો છે.

    નિરાલી રાઠોડે કરેલા મેસેજમાં લખ્યું કે, ડિયર સર, વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર આવેલા આદિત્ય હાઇટ્સ વિસ્તારમાં પાણી ભરાઇ ગયું છે. આ અંગે મે અગાઉ પીએમઓ પોર્ટલ પર ફરિયાદ કરી હતી. ત્યારે તેનું પંપ મુકીને નિરાકરણ લાવી આપવામાં આવ્યું હતું. છેલ્લા બે દિવસથી અમારા વિસ્તારમાં પાણી ભરાયેલું છે. આ સમસ્યાનો ઉકેલ લાવી આપો.

    આ ટ્વીટ પરથી અંદાજો લગાડી શકાય કે, વડોદરામાં પાણી ભરાય તો પણ સ્થાનિક તંત્ર કરતા વડાપ્રધાન કાર્યાલય પર લોકોને વધારે ભરોસો છે. જો સ્થાનિક તંત્ર દ્વારા લોકોનો વિશ્વાસ જીતવા અસરકારક કામગીરી કરવામાં નહી આવે તો આવનાર સમયમાં વડાપ્રધાન કાર્યાલયમાં વડોદરાવાસીઓની ફરિયાદોનો ઢગલો થઇ જશે.

    Continue Reading

    Trending