Connect with us

Dabhoi

ડભોઈ હાઇવે પર આઇસર ટેમ્પાની અડફેટે 31 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત, ચાલક ફરાર પોલીસે તપાસ હાથ ધરી

Published

on

વડોદરાના ડભોઈ તાલુકાના નેશનલ હાઇવે વડોદરા ટ્રેક ઉપર ગોઝારો અકસ્માત સર્જાયો હતો 31 વર્ષીય યુવકની મોટરસાયક્લને આઇસર ટેમ્પા ચાલકે ટક્કર મારતા ગંભીર ઇર્જાગ્રસ્ત યુવકને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જયાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો ડભોઇ પોલીસે ફરાર આઇશર ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના હરણી સમા રિંગરોડ વિસ્તારમાં આવેલ ઓમ રેસીડેન્સી ખાતે રહેતા 31 વર્ષીય નિલેશભાઈ ફાટુભાઈ તડવી પોતાની મોટર સાઇકલ લઇ કામ અર્થ ડભોઈ જઈ રહ્યા હતા નિલેશભાઈ ડભોઈ સરિતા ઓવર બ્રિજ નજીક એસટી ડેપો પાસે થી પસાર થઇ રહ્યા હતા દરમિયાન પુરઝડપે આવી રહેલ આઇસર ટેમ્પા ચાલકે નિલેશભાઈ ની મોટરસાયક્લને અડફેટે લેતા તેઓ ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયા હતા

અકસ્માતમાં નિલેશ ભાઈને માથાના અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા હોસ્પિટલમાં પરિવારના આક્રંદથી સન્નાટો પથરાઈ ગયો હતો ડભોઈ પોલીસે અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલ આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે

Dabhoi

દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદમાં ગંગા દશાહરા મહોત્સવના સાતમાં દિવસે પૂર્વ સાંસદે સહપરિવાર મહાઆરતી કરી

Published

on

ગંગા દશાહરા જેઠ સુદ એકમ 7 જૂન થી જેઠ સુદ દશમ 16 જૂન સુધી ના દિવસીય ગંગા દશાહરા પર્વ યાત્રાધામ ચાંદોદ ના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ,ચક્રતીર્થ ઘાટ ના કિનારે મહાઆરતી પૂજન સાથે નર્મદા સ્નાન અર્થે ગુજરાત ભરમાંથી રોજે રોજ સેંકડો શ્રદ્ધાળુઓ પધારી આરતીનો લાભ લે છે. જેઠ મહિનાના જેઠ સુદ એકમ થી દશમી તિથિએ આ પર્વ ઊજવવામાં આવે છે. આ ગંગાજીના પૃથ્વી ઉપર અવતરણનો દિવસ છે. આ દિવસે ગંગા નદીમાં સ્નાન, દાન અને ઉપવાસ રાખવાનું ખાસ મહત્ત્વ છે. માંગલિક કાર્યો માટે પણ આ દિવસ ખૂબ જ સારો માનવામાં આવે છે.

ત્યારે ગતરોજ સાતમા માં દિવસે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ પરિવાર સહિત અનેક મહાનુભાવોએ આરતીનો લાભ લીધો હતો. આ પર્વમાં ગંગાજી કે આસપાસની કોઈપણ પવિત્ર નદી, સરોવર કે ઘરમાં ગંગાજળથી નાહવાની પરંપરા છે. તે પછી દેવી ગંગા સાથે નારાયણ, શિવ, બ્રહ્મા, સૂર્ય, રાજા ભગીરથ અને હિમાલય પર્વતનું પણ પૂજન કરવું જોઈએ. આ દિવસે આ 10 યોગની માન્યતા છે દસ યોગમાં ગંગા ધરતી ઉપર આવ્યા હતાં.

જેઠ મહિનાના સુદ પક્ષની એકમ થી દશમ એ 10 યોગમાં દેવીનું પૃથ્વી ઉપર અવતરણ થયું હતું. એટલે આ પર્વને દશહરા કહેવામાં આવે છે. ગંગા દશાહરા મહોત્સવ માં દાન કરવાનું મહત્ત્વ અનેરું મહત્વ છે જે આ દિવસે 10 અંકનું ખાસ મહત્ત્વ હોય છે. એટલે કે ગંગા દશાહરાના દિવસે તમે જે પણ દાન કરો તેની સંખ્યા 10 હોવી શુભ માનવામાં આવે છે.

ગંગા દશાહરા મહોત્સવ માં મલ્હારરાવ ઘાટ તેમજ ચક્રતીર્થ ઘાટ પર ચાંદોદ ના વિધ્વાન ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને પુણ્ય સલીલા નર્મદાજીની મહાઆરતી માં શ્રદ્ધાળુઓ જોડાઈ ને માતાજીને ચુંદડી,દૂધ,કુમકુમ,શ્રીફળ,જેવી સામગ્રી માતાજીને અર્પણ કરી હર હર ગંગે…હર હર નર્મદે…ના નાદ સાથે સ્નાન નો લાભ લઇ ધન્યતા અનુભવે છે.

Continue Reading

Dabhoi

ડભોઈમાં નવનિર્મિત સરિતા ઓવરબ્રિજ 7 દિવસ માટે બંધ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું,કેવડિયા-રાજપીપળા તરફ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા જાણો..

Published

on

વડોદરા જિલ્લાના ડભોઇ નગરમાં તાજેતરમાં તૈયાર થયેલા સરિતા ફાટક ઓવરબ્રિજ ની કામગીરી હજી પણ પ્રગતિમાં છે. એક તરફના બ્રિજના નિર્માણ બાદ બીજી તરફના બ્રિજની કામગીરી હાલ ચાલુ કરવામાં આવી છે. આ સાથે હયાત બ્રિજ ઉપર ડામર લેયરની બાકી કામગીરી કરવા માટે તેમજ વારંવાર થતાં અકસ્માત રોકવા બ્રિજની હેડ વૉલ પર રંગકામ કરવા માટે આ બ્રિજને સાત દિવસ માટે બંધ કરવાનું જાહેરનામુ જિલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિજ પર છેલ્લા ઘણા સમયથી વારંવાર અકસ્માતો સર્જાઇ રહ્યા હતા. આ સાથે સાથે એક્સપાન્શન જોઈન્ટ માંથી બ્રિજ તૂટી ગયો હોવાની પણ વાતો વહેતી થઈ હતી. જેના સમારકામ માટે પણ આ સાત દિવસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ભારદારી વાહનો તેમજ હળવા વાહનો માટે વડોદરા થી ડભોઇ જવા માટેનો ફક્ત આ એક જ મુખ્યમાર્ગ હતો ત્યારે હવે સાત દિવસ માટે રાજપીપળા- કેવડીયા થી વડોદરા તરફ તેમજ વડોદરા થી કેવડિયા અને રાજપીપળા તરફ જવા માટે જિલ્લા કલેકટર દ્વારા ડાયવર્ઝનની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.

Continue Reading

Dabhoi

ડભોઇની “ધી ડભોઇ પીપલ્સ બેંક”ના ચેરમેન સહિત તમામ કર્મચારીઓ ભૂગર્ભમાં જતા ખાતેદારો ટેંશનમાં આવ્યા

Published

on


વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે વધુ એક બેંકનું શટર બંધ થતા હોબાળો સર્જાયો.  ડભોઇ પીપલ્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી બેંક છેલ્લા ચાર દિવસ બંધ હાલત છે. અનેક ખાતેદારો રોજે રોજ બેન્કના ધક્કા ખાઇ રહ્યા છે. 20 વર્ષથી ખાતેદારોનો વિશ્વાસ જીતી હવે છેલ્લા ચાર દિવસ થી બેંકનાં ચેરમેન સહિત તમામ કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી જતા ખાતેદારો ટેંશનમાં આવી ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડભોઇમાં માંકણી બજારમાં આવેલી ધી ડભોઇ પીપલ્સ કો. ઓ.ક્રેડિટ સોસાયટી લી. બેંકના ખાતેદારોમાં મૂંઝવણમાં મુકાઈ ગયા છે. કારણકે, આ બેંક છેલ્લા ચાર દિવસ બંધ છે. મેનેજરે રાજીનામું આપતા કર્મચારી બેંક નથી ખોલી રહ્યા. જેના કારણે અનેક ખાતેદારો રોજિંદાપણે બેંકના ધક્કા ખાઇ રહ્યા છે.  વર્ષ 1998 થી કાર્યરત બેંક અચાનક બંધ થઇ જતા ખાતેદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

છેલ્લા 20 વર્ષથી બેન્કે ખાતેદારોનો વિશ્વાસ જીતતા સંખ્યાબંધ ખાતેદારોની થાપણ બેંકમાં જમા છે. અને હવે ખાતેદારોના નાણા ફસાયાનો ખાતેદારોનો આક્ષેપ છે. બેંકનાં ચેરમેન સહિત તમામ કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કોઈનો પણ સંપર્ક ન થતા ખાતેદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાતેદારોના આશરે 3 થી 4 કરોડની થાપણ બેંકમાં જમા છે. સ્થાનિકો દ્વારા આશરે 2.5 કરોડના કૌભાંડનાં આક્ષેપ કરવામાં આવ્યા છે.

Continue Reading

Trending