Connect with us

Politics

પત્રિકા કાંડમાં તપાસની દિશા બદલવાનો પ્રયાસ?: આવેદન આપવા આવેલા આગેવાનોએ સાંસદના ભાવિ ઉમેદવારની પણ જાહેરાત કરી દીધી!

Published

on

  • ભાજપની આંતરિક ભાંજગઢમાં રોટલા શેકવાનો નવો પેંતરો?
  • અલ્પેશ લીમ્બાચીયાને પૂર્વ મેયર કેયુર રોકડિયા સાથે જોડવાનો પ્રયાસ!
  • હજી મૂળ ક્ષત્રિય સમાજ દ્વારા કોઈ અધિકૃત પ્રતિક્રિયા આપવામાં આવી નથી

(ન્યુઝ ડેસ્ક) પાલિકાના મેયર નીલેશ રાઠોડ સામે વાયરલ કરવામાં આવેલી પત્રિકામાં પાલિકા ના જ પક્ષના નેતા અલ્પેશ લીમ્બાચીયાની સંડોવણી બહાર આવતા તેઓની ધરપકડ કરવામાં આવી હતી .જોકે અલ્પેશ લીમ્બાચીયા ને કોણે પીઠબળ પૂરું પાડ્યું તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. જયારે આજે મહેન્દ્રસિંહ રાઠોડ અને અન્ય ચાર જેટલા વ્યક્તિઓ પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપીને પૂર્વ મેયર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે.


વિધાનસભાની ચુંટણી સમયે સાવલી બેઠક પર ક્ષત્રીયાવાદ મુદ્દાને લઈને વિવાદમાં આવેલા મહેન્દ્રસિંહ રાઠોડ આજે તેઓના ચાર સમર્થકો સાથે પોલીસ ભવન ખાતે પહોચ્યા હતા. જ્યાં તેઓએ ક્ષત્રિય સમાજના મેયર નીલેશ રાઠોડ માટે સંવેદના વ્યક્ત કરીને પોતાનો બળાપો કાઢ્યો હતો. જેમાં અલ્પેશ લીમ્બાચીયાને કોને પીઠબળ પૂરું પાડ્યું તે અંગે પણ તેઓએ આક્ષેપો કર્યા છે.


મહેન્દ્રસિંહ રાઠોડનું કહેવું છે કે, અલ્પેશ લીમ્બાચીયા ભૂતકાળમાં પૂર્વ મેયર અને હાલના ધારાસભ્ય કેયુર રોકડિયાના વહીવટદાર હતા. અને તેઓના કાર્યકાળમાં થયેલા ભ્રષ્ટાચારનું ઠીકરું નીલેશ રાઠોડના માથે ફોડવામાં આવી રહ્યું છે. પત્રિકા કાંડમાં પણ કેયર રોકડિયાએ પીઠબળ પૂરું પાડ્યું હોવાની પુરેપુરી શક્યતાઓ છે. અને તે દિશામાં તપાસ થાય તો અન્ય અનેક મોટા નામો સામે આવી શકે છે. મહેન્દ્રસિંહ રાઠોડે ત્યાં સુધી કહી દીધું કે કેયર રોકડિયા પહેલે થી જ ક્ષત્રિય વિરોધી પ્રવૃત્તિ કરવા માટે પંખાયેલા છે. આ સાથે તેઓએ આક્ષેપ કર્યો હતો કે મેયર નીલેશ રાઠોડ સામે થયેલા કાવતરામાં કેયુર રોકડિયાની તપાસ થાય તો અનેક માથાઓના નામો સામે આવે તેમ છે.


જોકે તોએ સાથે આવેલા એક સમાજિક કાર્યકર્તાએ ભાવી સાંસદ માટે ડો. વિજય શાહના નામની મહોર લગાવતાની સાથે જ આખો મામલો સાફ થઇ ગયો છે. શું ખરેખર આ રજૂઆત સાચા ગુન્હેગારોને શોધવા માટે હતી? કે પછી તપાસને અવળા માર્ગે લઇ જવા માટે આ ખેલ રચવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજની જ્યાં વાત થતી હોય તો હજી વડોદરા રાજપૂત યુવા એસોસિએશન સહીત અન્ય કેટલાક ક્ષત્રિય સંગઠનો દ્વારા આ મામલે કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી.


રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, આ આવેદનપત્રનો સાચો આશય જાણવો હોય તો મનુભાઈ ટાવર ભાજપ કાર્યાલયના સીસીટીવી તપાસવા જોઈએ. કોના ઈશારે ક્યાં તીર છોડવામાં આવી રહ્યું છે તેની માહિતી ખુલ્લી પડી શકે છે!

Politics

મનસુખ વસાવાએ અને તેમની પત્નીની સંપત્તિમાં મોટો ઉછાળો,સોગંદનામાં માં રજૂ કરી વિગતો

Published

on

ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તેમજ સાંસદ મનસુખ વસાવાએ સાતમી વખત ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ સાંસદ મનસુખ વસાવાએ કરેલા સોગંદનામાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં એવું જાણવા મળ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં સાંસદ અને તેમની પત્નીની સંપત્તિમાં મોટો ઉછાળો થયો છે.

ભાજપના સાંસદ મનસુખ વસાવાના સોગંદનામા અનુસાર, સાંસદ અને તેમની પત્નીની જંગમ અને સ્થાવર સંપત્તિમાં છેલ્લા 5 વર્ષમાં રૂપિયા 1.18 કરોડનો વધારો થયો છે. સાંસદે 2019ની ચૂંટણીમાં તેમની કુલ સંપત્તિ 68.35 લાખ હોવાનું દર્શાવ્યું હતું. જે હવે 2024માં વધીને 1.28 કરોડના આંક પર પહોંચી ગઈ છે. એટલે કે, 2019 થી લઈને 2024 સુધીના સમયગાળા દરમિયાન સાંસદ મનસુખ વસાવાની કુલ સંપતિમાં રૂ. 78.98 લાખનો વધારો થયો છે.

અગાઉ 2019ના સોગંદનામા અનુસાર, મનસુખ વસાવાની જંગમ સંપતિ રૂ.30,96,044 અને સ્થાવર સંપત્તિ રૂ.20,50,000 હતી. આ સાથે જ મનસુખ વસાવાના પત્નીની જંગમ સંપતિ 16,89,913 રૂપિયા હતી. અને હવે 2024ના મનસુખ વસાવાના સોગંદનામા અનુસાર, છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં તેમની જંગમ સંપતિમાં રૂ.2.28 લાખ અને તેમની પત્નીની જંગમ સંપત્તિમાં રૂ.41.46 લાખનો વધારો થયો છે.

સોંગદનામામાં મનસુખભાઈએ પોતાની ઉંમર 66 વર્ષ અને શિક્ષણમાં પોતે B.A. MSW હોવાનું દર્શાવ્યું છે. તેમજ મનસુખ વસાવાએ હાલમાં કરેલ સોગંદનામામાં તેમની પાસે 5 તોલા જેટલું સોનું અને 100 ગ્રામ જેટલું ચાંદી હોવાનું દર્શાવ્યું છે. જયારે તેમના પત્ની સરસ્વતીબેન પાસે કુલ 35 તોલા જેટલું સોનું જયારે 500 ગ્રામ ચાંદી હોવાનું દર્શાવ્યું છે.

તો આ સાથે જ વાહનોમાં તેમની પાસે એક ઇનોવા કાર અને તેમની પત્ની સરસ્વતીબેન પાસે એક સ્કોર્પિયો ગાડી છે. જેમાં કાર લોનમાં તેમના માથે 2.04 લાખ અને તેમના પત્નીના માથે 9 લાખનું દેવું દર્શાવવામાં આવ્યું છે. તો આ સિવાય તેઓના માથે એક પણ રૂપિયાનું સરકારી દેવું ન હોવાનું અને કોઈ પોલીસ કે કોર્ટ કેસ ન હોવાનું પણ સોગંદનામામાં દર્શાવ્યું છે.

Continue Reading

Politics

ભરૂચ AAPના ઉમેદવાર ચૈતર વસાવાની બંને પત્નીઓ એક સાથે ચૂંટણી પ્રચારમાં જોડાઈ

Published

on


લોકસભા 2024 ના ઇલેક્શનને લઈને ભરૂચ લોકસભા બેઠક માટે ઇન્ડિયા ગઠબંધનમાં ઉમેદવાર જાહેર કરાયેલા AAPના ચૈતર વસાવા આદિવાસી મતદારોને રીઝવવા માટે ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. જેમાં તેમની સાથે પાર્ટીના આગેવાનો અને સમર્થકો પ્રચાર કરી રહ્યા છે. પરંતુ હવે ચૈતર વસાવાના ધર્મપત્નીઓએ પણ પોતાના પતિની ચૂંટણી કમાન સંભાળી છે.

આદિવાસીઓના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાને લોકસભાની ચૂંટણીમાં વિજય બનાવવા માટે તેમના પરિવારે કમર કસી લીધી છે. એક તરફ ધારાસભ્ય ચૈતર વસવાનો પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. ત્યાં જ બીજી તરફ હવે આ ચૂંટણી પ્રચારના યુદ્ધમાં તેમની બંને પત્નીઓ પોતાના પતિની જીત માટે પ્રચાર મેદાનમાં ઉતરી છે. બંને પત્નીઓ નર્મદા જિલ્લામાં એક સાથે ફરી પુરજોશમાં પ્રચાર કરી રહી છે. ચૈતર વસાવાના બંને પત્ની વર્ષાબેન વસાવા અને શકુંતલાબેન વસાવા ડોર ટુ ડોર પ્રચાર કરી રહી છે.

તો બીજી તરફ ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા પણ ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. તેમની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને આગેવાનો પ્રચાર કરી રહ્યા છે. ગામે -ગામ, શેરીએ શેરીએ ફરીને ચૈતર વસાવા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આવામાં ચૈતર વસાવાને સપોર્ટ કરવા તેમની ધર્મપત્નીઓ પણ ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ગયા છે.

Continue Reading

Politics

ચૈતર વસાવા પર લાગેલી નર્મદા જીલ્લાની પ્રવેશબંધી હાઈકોર્ટે દૂર કરી,આવતીકાલે ઉમેદવારી નોંધાવશે

Published

on

નર્મદા જીલ્લામાં આદિવાસી નેતા તરીકે ઉભરી આવેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસવા સામે વનવિભાગના અધિકારીને માર મારવાનો અને ધાકધમકીનો આરોપ હતો જે આરોપ બાદ લાંબા જેલવાસ ભોગવ્યા પછી કોર્ટે તેઓને શરતી જામીન આપી હતી.

જામીનની શરતોમાં તેઓ નર્મદા જીલ્લામાં પ્રવેશ નહિ કરી શકે તે મુખ્ય શરત હતી.જોકે હાલ તેઓ લોકસભાના ઉમેદવાર હોય હાઈકોર્ટમાં તેઓએ નર્મદા જીલ્લામાં પ્રવેશ માટે માંગણી કરતા નામદાર હાઈકોર્ટે તેઓને પ્રવેશ માટે છૂટ આપવામાં આવી છે.

ભાજપ વિરુદ્ધ ઇન્ડિયા એલાયન્સ દ્વારા ભરૂચ લોકસભાની બેઠક આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે અનામત કરવામાં આવી છે. ત્યારે આ બેઠક પ્રપ દેડિયાપાડા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ચુંટણી લડવા જઈ રહ્યા છે.

આવતીકાલે તેઓ પોતાના સમર્થકો સાથે ચુંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરનાર છે. ત્યારે ઉમેદવારી નોંધાવવાના એક દિવસ પહેલા જ તેઓને હાઈકોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે.

નમર્દા જીલ્લામાં તેઓ પર પ્રવેશ અંગે લાગેલા પ્રતિબંધને હાઈકોર્ટે રદ્દ કરીને તેઓને ચુંટણી પ્રચાર માટે છૂટછાટ આપી છે. આ પરવાનગી મળતા જ નર્મદા જીલ્લામાં આમ આદમી પાર્ટીના સમર્થકો ઉત્સાહમાં આવી ગયા છે.

ચૈતર વસાવા અત્યાર સુધી ભરૂચ જીલ્લામાં જ પોતાનો ચુંટણી પ્રચાર કરી શકતા હતા. વનવિભાગના અધિકારી પર હુમલાના કિસ્સામાં નર્મદા જીલ્લામાં તેઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો. જોકે ચુંટણીના પ્રચાર માટે તેઓને હાઈકોર્ટે રાહત આપી છે.

આવતીકાલે તેઓ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓના સમૂહ સાથે ભરૂચ લોકસભા બેઠકના ચુંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જનાર છે. જે માટે આજે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિવિધ સ્થળે થી 6 જેટલા બેન્ડ પણ બોલાવવામાં આવ્યા છે. જે બેન્ડ ચૈતર વસવાની રેલીમાં જોડાશે.

Continue Reading

Trending