Vadodara
પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિ ખંડિત કરાતા જૈન સમાજે આપ્યું આવેદન
Published
10 months agoon
પંચમહાલ જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિ પીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદરાની બન્ને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને વિકાસના નામે તોડીને કચરામાં ફેંકી દેતા ભારે હોબાળો મચી ગયો છે. રવિવારે મોડી સાંજે મોટી સંખ્યામાં જૈનો પાવાગઢ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને તોડફોડ રોકીને જવાબદારો સામે પગલાં લેવા માટે માગ કરી હતી.
જૈન તિર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓને તાત્કાલીક જ્યાં હતી ત્યાં ફરીથી રિસ્ટોરેશન કરવામાં આવે તેવી જૈન સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે. રવિવારે રાતે જૈન સમાજના અગ્રણીઓ વડોદરાથી પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોચ્યાં હતાં. જ્યારે સોમવારના રોજ પાવાગઢની ઘટનાના પગલે વડોદરા, સુરત, અમદાવાદ સહિત દેશભરમાં મોટી સંખ્યામાં જૈનો વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિવિધ જિલ્લા કક્ષાએ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા છે.વડોદરામાં જિલ્લા કલેકટરના નિવાસ્થાને જઈને જૈન અગ્રણીઓએ પોતાની ઉગ્ર રજૂઆત વ્યક્ત કરી હતી.
રવિવારે મોડી રાત્રે જૈનો મોટી સંખ્યામાં પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ઉમટી પડયા હતા અને આવેદનપત્ર આપ્યુ હતું. જેમાં ઉલ્લેખ કરાયો છે કે, પાવાગઢમાં માતાજીના મંદિરના પગથિયાં પાસે આવેલી જૈન તીર્થંકરોની મૂર્તિઓ યોગ્ય સ્થાન પરથી અચાનક દૂર કરવામાં આવી છે. આ કૃત્ય માત્ર ધાર્મિક આસ્થાનો અનાદર કરતું નથી પરંતું ધાર્મિક પ્રથાઓ અને પૂજા સ્થળોના રક્ષણ માટે રચાયેલ બંધારણીય અને કાનૂની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરે છે. માટે અમે વહીવટીતંત્રના તાત્કાલિક હસ્તક્ષેપ માટે વિનંતી કરીએ છીએ. અમારી માગ છે કે, તીર્થંકરની મૂતઓને તેમના યોગ્ય સ્થાને તાત્કાલિક અસરથી પુનઃ સ્થાપિત કરો. આ અપમાનજનક કૃત્ય માટે મહાકાળી મંદિર ટ્રસ્ટના જવાબદાર ટ્રસ્ટીઓ સામે તાત્કાલિક કાનૂની પગલાં લો. જૈન સમાજના અગ્રણીઓના કહેવાથી જૈન તીર્થંકરોની પ્રતિમાઓને કાઢીને અમે એક તરફ મૂકી છે. પ્રતિમાઓને જૈન સમાજનો લોકોને આપી દેવામાં આવે.
You may like
-
અલકાપુરીમાં બિલ્ડીંગની બાલ્કનીનો ભાગ ધરાશાયી, રીક્ષાને નુકશાન
-
રક્ષિતકાંડ મામલે સિનિયર વકીલનો સૌથી મોટો ધડાકો
-
જુનિયર ક્લાર્કની પ્રતિક્ષાયાદીના ઉમેદવારોમાં પાલિકા સામે રોષ
-
સડક સુરક્ષાની વાતો વચ્ચે નાગરિકો સડક પર પોતાને સુરક્ષિત ક્યારે મહેસુસ કરશે ?: ડમ્પરના અડફેટે આધેડનું મોત
-
‘રક્ષિતકાંડ’ના સ્થળ નજીક ફરી અકસ્માત:વૃદ્ધનું માથું ફૂટ્યું, સ્પીડબ્રેકર મુકવાની માંગ
-
જીસેક એપ્રેન્ટિસ ઉમેદવારોનો વિજ કંપની બહાર વિરોધ જારી:બેની તબિયત લથડી

અલકાપુરીમાં બિલ્ડીંગની બાલ્કનીનો ભાગ ધરાશાયી, રીક્ષાને નુકશાન

રક્ષિતકાંડ મામલે સિનિયર વકીલનો સૌથી મોટો ધડાકો

જુનિયર ક્લાર્કની પ્રતિક્ષાયાદીના ઉમેદવારોમાં પાલિકા સામે રોષ

સડક સુરક્ષાની વાતો વચ્ચે નાગરિકો સડક પર પોતાને સુરક્ષિત ક્યારે મહેસુસ કરશે ?: ડમ્પરના અડફેટે આધેડનું મોત

‘રક્ષિતકાંડ’ના સ્થળ નજીક ફરી અકસ્માત:વૃદ્ધનું માથું ફૂટ્યું, સ્પીડબ્રેકર મુકવાની માંગ

જીસેક એપ્રેન્ટિસ ઉમેદવારોનો વિજ કંપની બહાર વિરોધ જારી:બેની તબિયત લથડી

શહેર-જિલ્લામાં મંદિરોમાં ચોરી કરીને તરખાટ મચાવતી મેડા ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી

આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળતું તંત્ર!, ડીસાની ઘટના બાદ ફટાકડાની દુકાનોમાં પોલીસનું ચેકીંગ

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

Mobile healthcare van launched at Mokshi village in Savli

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં 35 ટન શિરો ભક્તોને પ્રસાદી રૂપે વહેંચાશે

ફાટીને ધુમાડે ગયેલા નગરસેવકો?: સાથી કોર્પોરેટરે ટોણો મારતા મહિલા સભાખંડની બહાર નીકળ્યા

વગર વરસાદે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા અનોખો વિરોધ

તળાવોના બ્યુટીફીકેશનમાં નડતરરૂપ દબાણોને નોટીસ ફટકારાશે

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

મકરપુરા GIDCમાં વિજ થાંભલો નાંખતા સમયે બે કામદારોને કરંટ લાગતા ઇજાગ્રસ્ત

વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં 40 લાખનું કૌભાંડ!, તપાસના આદેશ અપાયા
