Connect with us

Vadodara

દેશી ઘી વેચવા માટે આવેલ ઠગ મહિલાઓ પાસે થી નકલી સોનાના સિક્કા સસ્તામાં ખરીદવાની લાલચે દંપતીએ રોકડ રકમ, સોનાના દાગીના સહીત રૂ. 5.60 ગુમાવ્યા

Published

on

વડોદરા જિલ્લાના ભાયલી ગામે દેશી ઘી વેચવા માટે આવેલ બે મહિલાઓ પાસે થી સુથાર ફળિયામાં રહેતી મહિલાને 2 કિલો ઘી ખરીદ્યુ મોંઘુ પડ્યું છે ઘી વેચવા માટે આવેલ ભેજાબાજ ઠગ મહિલાઓએ દંપતીને ખાડો ખોદતાં મળી આવેલ સોના-ચાંદીના સિક્કા દેખાડી વિશ્વાસમાં લઇ સોનાના સિક્કા સસ્તામાં વેચી દેવાનું હોવાનું જાણવતા લાલચમાં આવી ગયેલ દંપતીએ સસ્તામાં સોનાના સિક્કા ખરીદવા ઠગ મહિલાઓને ઘરમાં મુકેલ રોકડ રૂપિયા 3.75 લાખ તેમજ ઘર માંથી સોનાની તૂટેલી ચીજવસ્તુઓ સહિત કુલ રૂપિયા 5.60 લાખ આપતા ઠગ મહિલાઓ નકલી સોનાના સિકકા દંપતીને આપી ફરાર થઇ ગઈ હતી જે અંગે ભોગ બનનાર મહિલાએ ઠગ મહિલાઓ વિરુદ્ધ વડોદરા તાલુકા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના ભાયલી ગામના સુથાર ફળિયામાં પરિવાર સાથે રહેતા 42 વર્ષીય તારાબહેન ઉર્ફ તેજલબહેન હિમેશભાઇ મિસ્ત્રી ગત તા.30 ડિસેમ્બરના રોજ બપોરના સમયે તેમના સાસુ ગીતાબહેન સાથે ઘરે હતા. તે દરમિયાન ફળિયામાં દેશી ઘી વેચવા માટે બે મહિલાઓ આવતા તારાબહેનને ઘર વપરાશ માટે ઘી લેવાનું હોય ઘી વેચવા આવેલી મહિલાઓને ઘરે બોલાવી હતી અને તેમની પાસેથી તારાબહેને 2 કિલો ઘી ખરીદી મહિલાઓને ઘીના રૂપિયા 1000 ચૂકવ્યા હતા દરમિયાન ઘી વેચવા આવેલ બે મહિલાઓએ અમો ભૂખ્યા છે જમવાનું હોય તો આપો તેમ જાણવતા તારાબહેનને દયા આવતા બંને મહિલાઓને જમાડ્યા હતા

બને મહિલાઓએ જમ્યા બાદ તારાબહેનને જણાવ્યું કે, તમે અમને જમાડ્યા છે જેથી અમારે તમારું ઋણ ચૂકવવું પડે. તમે અમને એક બોટલ આપો આવતીકાલે તેમાં અમે દૂધ લઇને આવીશું જેથી તારાબહેને પ્લાસ્ટીકનો ડબ્બો આપતા બંને મહિલા ડબ્બો લઇને ચાલ્યા ગયા હતા. અને બીજા દિવસે તા. 31 ડિસેમ્બરના રોજ બપોરના સમયે બંને મહિલાઓ દૂધ લઇને તારાબહેનના ઘરે ફરી આવી હતી. અને બે મહિલા પૈકી એક મહિલાએ પોતાની સાડીના છેડામાં બાંધેલો એક સિક્કો તારાબહેનના પતિ હિમેશભાઇ મિસ્ત્રી અને તારાબહેનને આપ્યો હતો. મહિલાએ દંપતિને જણાવ્યું હતું કે, અમારા શેઠની મોટા રોડ નજીક ગૌશાળા છે. ત્યાં દૂધમાંથી માવો બનાવવા માટેનો ચુલો કરવા ખાડો ખોદી રહ્યા હતા. તે સમયે સોના-ચાંદી જેવી વસ્તુ ભરેલો લોટો મળી આવ્યો છે.

ઠગ મહિલાઓએ હિમેશભાઇ મિસ્ત્રીને વિશ્વાસમાં લેવા માટે જણાવ્યું હતું કે, આ સોના-ચાંદી જેવી મળેલી આવેલ વસ્તુનું શું કરવું તેની અમને ખબર પડતી નથી. તે દરમિયાન અન્ય બે મહિલાઓ ઘરમાં આવી પહોંચી હતી. અને સોના જેવા દેખાતા સિક્કા ભરેલી પ્લાસ્ટીકની થેલી મિસ્ત્રી દંપતિ સામે મૂકી દીધી હતી. અને આ સાચા છે કે ખોટા તેની અમને ખબર પડતી નથી. અને કોઈ સોનીને પણ અમે જાણતા નથી જેથી તમે આ સિક્કા લઇ અમને થોડા પૈસા આપી દો તેમ જણાવી અન્ય મહિલાએ તરત રૂપિયા 10 લાખની માંગણી કરી હતી

જોકે આટલી મોટી રકમ ઘરમાં ના હોય હિમેશભાઇએ ઠગ મહિલાઓને જાણવ્યું હતું કે, હાલ ઘરમાં માત્ર રોકડા રૂપિયા 3.75 લાખ જ છે. જેથી મહિલાઓએ આ રકમ ખુબ ઓછી હોવાનું જણાવી જે રોકડ ઘરમાં પડી છે તે અમોને આપી દો અને બાકીના રૂપિયાની બે દિવસમાં વ્યવસ્થા કરી રાખજો. અને ઘરમાં સોનાની તૂટેલી વસ્તુઓ હોય તે પણ અમને આપી દો. જેથી મિસ્ત્રી દંપતિએ ઠગ મહિલાઓને ઘરમાં મુકેલ રોકડા રૂપિયા 3.75 લાખ સહિત બાળકોની તૂટેલી સોનાની 5 વિંટી, તારાબહેનની 1 તોલાની ચેઇન, હિમેશભાઇની 12 ગ્રામની સોનાની લકી, 10 ગ્રામની લેડીઝને પહેરવાની સોનાની લકી સહિત કુલ રૂપિયા 5.60 લાખનો મુદ્દામાલ આપી દીધો હતો.

ઠગ મહિલાઓએ સોનાના અસલી દાગીના અને રોકડ રકમના બદલે સોનાના સિક્કા આપી રફૂચક્કર થઇ ઇ હતી. દંપતિએ સોના જેવા દેખાતા સિક્કાની ચકાસણી કરાવતા સિક્કા નકલી હોવાનું જણાઇ આવતા દંપતિ સ્તબ્ધ થઇ ગયું હતું. અને સમગ્ર મામલે તારાબહેન ઉર્ફ તેજલબહેન હિમેશભાઇએ મિસ્ત્રીએ ત્રણ ઠગ મહિલાઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગ મહિલાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ઠગ મહિલાઓને ઝડપી પાડવા માટે વિસ્તારમાંથી CCTV ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી છે.

Blog

પોરથી વડોદરા જાંબુઆ બ્રિજ પર લાંબો ટ્રાફિકજામ,વાહનચાલકો અટવાયા

Published

on

વડોદરામાં એક તરફ વરસાદે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડાવી દીધા છે. બીજી તરફ રસ્તાઓ ધોવાતા માર્ગો પર ખાડા રાજ ઉભું થયું છે. ત્યારે શનિવારે સવારે 9:15 કલાકની આસપાસ પોરથી વડોદરા જાંબુઆ બ્રિજ પર 5 કિમી લાંબો ટ્રાફિકજામ થયો હતો. જેના દ્રશ્યો વડોદરાના એક નાગરિકે પોતાની કારમાંથી મોબાઈલમાં કેદ કરી લીધા હતા.

કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરાની તંત્રના પાપે દુર્દશા થઈ છે. જ્યાં જુવો ત્યાં ખાડા-ખાડા તો કેટલાક વિસ્તારોમાં ગાબડા અને ભુવા નિર્માણ પામ્યા હતા. જ્યારે કેટલાક માર્ગો પર તો આખા રોડ પણ બેસી ગયા હોવાના કિસ્સા બન્યા હતા. ત્યારે હવે શહેર બાદ શહેરને જોડતા માર્ગની પણ બિસ્માર હાલત થઈ છે. જેના કારણે સવારે કામ ધંધે જઈ રહેલા અનેક લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.

લાખો કરોડો રૂપિયા રોડ રસ્તા પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યા હોવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. ત્યારે, શનિવારે વહેલી સવારથી પોર થી વડોદરા – જામ્બુવા બ્રિજ પર 5 કિમી ટ્રાફિક જામ થયો હતો. તંત્ર ના વાંકે અને ટ્રાફિક પોલીસની અણઆવડતના કારણે જામ્બુવા બ્રિજ પર દરરોજ ટ્રાફિક જામ થાય છે. જેના કારણે કિલોમિટર સુધીનો ટ્રાફિક જામ થાય છે.

આજે સવારે પણ આજ રીતે જામ્બુવા બ્રિજ પર પડેલા મોટા ખાડા ઓના કારણે આલમગીરથી જામ્બુવા બ્રિજ સુધી ટ્રાફિક જામ થયો હતો. જેના કારણે હજારો નાગરિકો ટ્રાફિકમાં ફસાયા હતા. જેના વીડિયો વડોદરાના એક નાગરિકે પોતાના મોબાઈલમાં ચાલુ કારમાંથી ઉતારી વાયરલ કર્યા હતા.

Continue Reading

Dabhoi

ડભોઇના કરણેટ ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા,રેતી ખનન ઝડપાયું

Published

on

વડોદરા શહેર-જિલ્લામાં પહેલા વરસાદમાં જ પૂર જેવી સ્થિતીનું નિર્માણ થયું હતું. આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. તેવામાં પણ ડભોઇ પાસેના કરનેટ ગામે ખનીજ માફીયાઓ દ્વારા રેતી ઉલેચવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. ખાણ-ખનીજ વિભાગના દરોડામાં કરનેટ ગામેથી લાખો રૂપિયાના મુદ્દામાલની મશીનરી જપ્ત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આમ, પૂર જેવી સ્થિતી પણ ખનીજ માફીયાઓના હોંસલા નબળા પાડી શકી ન હોવાનું સપાટી પર આવ્યું છે.

22, જુલાઇના રોજ અવિરત વરસેલા વરસાદના કારણે વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરમાં નવા નીર આવ્યા હતા. આજવા સરોવરે સલામત સપાટી વટાવતા તેમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જે બાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, તો બીજી તરફ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. પરંતુ આવી સ્થિતી પણ ખનીજ માફીયાઓની હિંમત ડગમગાવી શકી ન્હતી.

ડભોઇના કરનેટ ગામે છેલ્લા લાંબા સમયથી નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ઉલેચવાનું કાર્ય ચાલુ હતું. બેરોકટોક ચાલતા ખનીજચોરીના કૌભાંડ પર તાજેતરમાં ખાણ-ખનીજ વિભાગની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 5 ટ્રક અને જેસીબી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા. આ મુદ્દામાલની કિંમત આશરે રૂ. 80 લાખથી વધુ આંકવામાં આવી રહી છે. ખાણ-અને ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની ચોતરફથી સરાહના કરવામાં આવી રહી છે. તો બીજી તરફ તંત્ર દ્વારા મનાઇ છતાં ગેરકાયદેસર ખનન કરનારા તત્વોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે.

Continue Reading

Vadodara

ઘોડા છૂટી ગયા બાદ તબેલા ને તાળા મારવાનો શું અર્થ?, સત્તાધીશો જ શહેરમાં પૂર લાવ્યાનો પુરાવો સામે આવ્યો!

Published

on

  • જે ઇજારો ચોમાસુ શરૂ થાય તે પહેલા આપવો જોઈએ, એ ઇજારો શહેરને પૂરમાં ધકેલ્યા બાદ મંજૂરી માટે મુકાયો
  • અધિકારીઓ એ અગાઉથી તાકીદ કરી હતી,પણ નફ્ફટ સત્તાધીશોએ ધ્યાન ન આપ્યું
  • મેયર અને કમિશ્નરને સજાગ કરવા અનેક વાર પત્ર લખાયા,તેમ છતાંય પેટનું પાણી હાલ્યું નહીં

વડોદરા શહેરમાં એક જ દિવસમાં પડેલા ધોધમાર વરસાદ બાદ સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ સ્થિતિ માટે જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. પૂરને કુદરતી આફત ગણાવનારા આ સત્તાધીશોએ જાણી જોઈને પૂરની સ્થિતિનું નિર્માણ કર્યું હોય તેવા પુરાવા પણ સામે આવી રહ્યા છે. જે કામગીરી ચોમાસા પહેલા કરવાની હોય તે કામગીરી સમગ્ર શહેર પૂરમાં ડૂબ્યા બાદ કરવામાં આવી રહી છે.

વડોદરા મહાનગરપાલિકા દર વર્ષે પ્રી મોનસુન કામગીરીનો ડોળ ઉભો કરે છે. કાગળ પર થતી પ્રિમોન્સૂન કામગીરી ક્યારેય વાસ્તવિક રીતે જોવા મળતી નથી. વરસાદીકાંસના હજારો ચેમ્બર સાફ કરી દીધા હોવાનું ઓન પેપર દર્શાવવામાં આવે છે. જોકે ટૂંકા સમયમાં આ કામગીરી પૂર્ણ થાય તેવી કોઈ શકયતા હોતી નથી. વરસાદના સમયે તેમજ ત્યારબાદ વરસાદી ગટરના દુરસ્તીકરણની કામગીરી માટે ઇજારો ખૂબ જરૂરી બને છે. એક સમયે ભારે વરસાદના કારણે કોઈ વિસ્તારમાં પાણી ભરાય તો તેના નિકાલ માટે તાત્કાલિક મશીનરીને કામે લગાડવાની જવાબદારી જે તે ઇજારદારની હોય છે. પરંતુ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આજ દિન સુધી વરસાદી ગટર દુરસ્તીકરણના કામ માટે ઇજારો સોંપવામાં આવ્યો નથી.

પૂર્વ ઝોનના કાર્યપલક ઇજનેરે એક મહિના પહેલા જ ચિંતા વ્યક્ત કરી હતી

આજે જ્યારે વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોએ ત્રણ દિવસ પૂરની સ્થિતિના દર્શન કર્યા બાદ આજની સ્થાયી સમિતિની બેઠકમાં વરસાદી ગટરના દુરસ્તીકરણના કામોને મંજૂરી અર્થે મુકવામાં આવ્યા છે.સ્થાયી સમિતિની આજની મળેલી બેઠકમાં શહેરના દક્ષિણ ઝોન ઉત્તર ઝોન તેમજ પૂર્વ ઝોન ના વરસાદી ગટર દુરસ્તીકરણના કામોનો વાર્ષિક ઇજારો મંજૂરી અર્થે મુકવામાં આવ્યો હતો. જ્યારે શહેરના પશ્ચિમ ઝોન તેમજ ઉત્તર ઝોનમાં વરસાદી ગટર સફાઈ કરવાના કામનો વાર્ષિક ઇજારો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યો છે. વરસાદી ગટરની સફાઈ ચોમાસા પહેલા જ થઈ જવી જોઈએ છતાં સફાઈનો ઈજારો મધ્ય ચોમાસે મંજૂરી માટે મૂકવામાં આવી રહ્યો છે. આ કોઈ ટેકનિકલ ખામી નથી પરંતુ અધિકારીઓ અને સત્તાધીશોની નફ્ફટાઈને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

વડોદરા શહેરના પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર દ્વારા 5 જૂનના રોજ ડ્રેનેજ તેમજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખાના કાર્યપાલક ઈજનેર પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે,પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર દ્વારા 18 જાન્યુઆરી 2024 થી હયાત વરસાદી ગટર દુરસ્તી કરણના કામના વાર્ષિક ઇજારા માટે માંગણી કરવામાં આવી હતી. 13 જુલાઈના રોજ પૂર્ણ થતાં ઇજારામાં નવી ટેન્ડર પ્રક્રિયા ન થાય ત્યાં સુધી વચગાળાના સમય માટે 25 લાખની મર્યાદામાં બે મહિના માટે કામગીરી સોંપવાની માંગણી કરાઈ હતી. ઇજારો 13 જુલાઈ 2024 ના રોજ પૂર્ણ થયો હતો અને ત્યાર પછીની સ્થિતિ માટે ઈજારદારને હંગામી વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો ન હતો.પૂર્વ ઝોનના કાર્યપાલક ઈજનેર દ્વારા નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં ન આવે ત્યાં સુધી 25 લાખની નાણાકીય મર્યાદામાં વરસાદી ગટર દૂરસ્તી કરણ કરવાના કામ માટે બે માસના એક્સટેન્શનની માંગણી કરવામાં આવી હતી. છતાં પણ પાલિકાના ડ્રેનેજ શાખાના અધિકારીઓ દ્વારા આ રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી ન હતી

13 જુલાઈ 2024 થી 26 જુલાઈ 2024 ના સમયગાળામાં પાલિકા પાસે વરસાદી ગટર દુરસ્તી કરણ કરવા માટે કોઈ ઇજારદારને કામગીરી સોંપવામાં આવી ન હતી. આજે 26 જુલાઈના રોજ સ્થાયી સમિતિની બેઠકમાં આ કામગીરીને મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી છે. અને આગામી 10 દિવસમાં ઈજારદારને તેનો વર્ડ ઓર્ડર સોંપવામાં આવશે જો પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ સમય સૂચકતા જાળવીને ઇજારો જાહેર કર્યો હોત તો આજે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ભરાયેલા પાણી કાઢવામાં લાંબો સમય વીત્યો ન હોત.

    Continue Reading

    Trending