Vadodara
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
Published
1 week agoon
તાંદલજા વિસ્તારમાં આવેલા આતીફ નગરના 105 ઘર, રેહમત નગરના 100 ઘર અને ખુશ્બૂ નગરના 285 ઘરોમાં પાણી જેવી પાયાની સુવિધાનો વર્ષોથી અભાવ છે. આતીફ નગરમાં પાણી લાઈન તેમજ પાણીના કનેક્શન ના હોવા છતાં છેલ્લા આઠ વર્ષોનો વ્યાજ સહિતનો પાણી કર આવી રહ્યો છે. રેહમત નગરની 2021માં આંતરિક પાણીની લાઈન પાસ થઈ હતી જેના ચાર્જ પેટે રહીશો દ્વારા 2021માં મ્યુનિસિપલ કોર્પોરેશનને પાણી કનેક્શનના1500 રૂપિયાની ભરપાઈ કર્યા છતાં 4 વર્ષનો સમય થઈ ગયો હોવા છતાં પાણીની લાઈન નાખવામાં નથી આવી. જેથી ઉપરોકત તમામ સોસાયટીમાં પાણીની લાઈન નાંખવા માટે તેમજ આતીફ નગરનો પાણી કર બાદ કરવાની માંગણી સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી અહીંના સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
You may like
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
-
નકલી પોલીસ બની હનીટ્રેપમાં ફસાવી તોડ કરનાર મહિલા સહિત 5 પકડાયા
-
પાલિકાના વ્હીકલપૂલમાં ખખડધજ વાહનોનો ખડકલો, ક્યારે લેવાશે યોગ્ય નિર્ણય..!
-
દૂઘ ખરીદવા જેવી બાબતે લોહી વહ્યું, બે સારવાર હેઠળ