Connect with us

International

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનથી આવેલા લઘુમતી પાસપોર્ટ વગર ભારતમાં રહી શકશે- ગૃહ મંત્રાલય

Published

on

ગૃહ મંત્રાલયે આદેશ આપ્યો છે કે, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક ઉત્પીડનને કારણે 31 ડિસેમ્બર 2024 સુધી ભારત આવેલા લઘુમતીઓ પાસપોર્ટ-વિઝા વિના રહી શકશે.

જાણો આ આદેશમાં વધુ શું કહેવામાં આવ્યું છે.

Advertisement

બાગ્લાદેશી અને અફઘાની લોકોની નાગરિકતાને લઈને કેન્દ્ર સરકારે મોટો નિણર્ય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, ધાર્મિક ઉત્પીડનથી બચવા માટે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી 31 ડિસેમ્બર 2024 સુધી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના સભ્યોને પાસપોર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજો વિના પણ દેશમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે.

PTI અનુસાર, ગયા વર્ષે લાગુ કરાયેલા નાગરિકતા (સુધારા) કાયદા (CAA) મુજબ, 31 ડિસેમ્બર 2014 ના રોજ અથવા તે પહેલાં ભારત આવેલા આ ઉત્પીડિત લઘુમતીઓને ભારતીય નાગરિકત્વ આપવામાં આવશે. તાજેતરમાં લાગુ કરાયેલા ઇમિગ્રેશન અને વિદેશીઓ (નાગરિકતા) અધિનિયમ, 2025 હેઠળ જાહેર કરાયેલ આ મહત્વપૂર્ણ આદેશ 2014 પછી ભારત આવ્યા હતા, તેવા મોટી સંખ્યામાં લોકોને અને તેમાં પણ ખાસ કરીને પાકિસ્તાનથી આવેલા હિન્દુઓને, રાહત આપશે.

ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, “અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી સમુદાયો, એટલે કે હિન્દુઓ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓ, જેઓ ધાર્મિક અત્યાચાર અથવા તેના ડરને કારણે ભારતમાં આશ્રય લેવાની ફરજ પડી હતી અને 31 ડિસેમ્બર 2024 ના રોજ અથવા તે પહેલાં માન્ય દસ્તાવેજો વિના દેશમાં પ્રવેશ્યા હતા, તેમને માન્ય પાસપોર્ટ અને વિઝા રાખવાના નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે.”

Advertisement

નેપાળ અને ભૂટાનના નાગરિકો જો સરહદ દ્વારા ભારતમાં પ્રવેશ કરે છે, તો મુસાફરી કરવા અથવા રહેવા માટે પાસપોર્ટ અને વિઝાની જરૂર રહેશે નહીં. આ વ્યવસ્થા પહેલાની જેમ ચાલુ રહેશે. જોકે, જો કોઈ નેપાળી અથવા ભૂટાન નાગરિક ચીન, મકાઉ, હોંગકોંગ અથવા પાકિસ્તાનથી ભારત આવે છે, તો તેની પાસે માન્ય પાસપોર્ટ હોવો ફરજિયાત રહેશે.

એજ રીતે, ભારતીય નાગરિકોને નેપાળ અથવા ભૂટાનની સરહદ દ્વારા ભારત આવવા અને જવા માટે પાસપોર્ટ અથવા વિઝાની જરૂર નથી, પરંતુ જો તેઓ નેપાળ અથવા ભૂટાન સિવાય અન્ય કોઈપણ દેશમાંથી (ચીન, મકાઉ, હોંગકોંગ અને પાકિસ્તાન સિવાય) ભારત પાછા ફરે છે, તો તેમણે માન્ય પાસપોર્ટ બતાવવો પડશે. તે જ સમયે, ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાના કર્મચારીઓ, જેઓ ફરજ પર ભારતમાં પ્રવેશ કરી રહ્યા છે અથવા છોડી રહ્યા છે, અને તેમના પરિવારના સભ્યો (જો તેઓ સરકારી પરિવહન સાથે મુસાફરી કરી રહ્યા છે) ને પાસપોર્ટ અથવા વિઝાની જરૂર રહેશે નહીં.

Advertisement

Karjan-Shinor9 minutes ago

કરજણ તાલુકાની લાકોદરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીને શિક્ષક દિન નિમિત્તે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ કરાશે જિલ્લા કક્ષાએ સન્માન

Dabhoi3 hours ago

ડભોઇની ઘટના પર મનીષ દોશી લાલઘુમ.’શિક્ષકનું કામ વિધાર્થીઓને શિક્ષણ આપવાનું છે, તમાકુ મંગાવવાનું નહીં’,

Gujarat3 hours ago

ઉચ્ચતર માધ્યમિક વર્ગોની શાળામાં નવા પ્રકારે એકમ કસોટીની જાહેરાત, 25-25 ગુણની એકમ કસોટી લેવાશે

International4 hours ago

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનથી આવેલા લઘુમતી પાસપોર્ટ વગર ભારતમાં રહી શકશે- ગૃહ મંત્રાલય

Gujarat4 hours ago

પશ્ચિમ રેલ્વે આગામી તહેવારો નિમિત્તે ઘસારાને પહોંચી વળવા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય : 32 ફેરા રહેશે

Gujarat5 hours ago

આણંદ: બાળકી હત્યા કેસમાં આરોપીએ દુષ્કર્મ ગુજાર્યાની કરી કબૂલાત

Karjan-Shinor7 hours ago

કરજણ: દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા, બોગસ ડોક્ટર ઝડપાયો

Gujarat8 hours ago

સેવન્થ ડે સ્કૂલ:  CCTV સામે આવ્યા  જેમાં લોહીલુહાણ સ્થિતિમાં શાળામાં પ્રવેશ્યો

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Padra1 year ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

City2 years ago

પોલીસને આવતી જોઈને બુટલેગરો શરાબ ભરેલી કાર મૂકીને નાસી છૂટયા,2.89 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

Vadodara1 day ago

જૂનીગઢી વિસર્જન રૂટ પર ભદ્ર કચેરીની દીવાલ ધરાશાયી થતા મહિલાનું મોત, કાટમાળ રસ્તા પર પથરાયો

Savli4 days ago

વડોદરામાં કારની બંને બાજુ મોત હતું, સેફ્ટીવોલના સહારે બેના જીવ જતા બચ્યા

Vadodara4 days ago

વડોદરામાં ચાલુ વરસાદે બનાવેલા રોડના ડામરના પોપડા હાથમાં આવ્યા, પ્રજાના નાણાંનો બેફામ વેડફાટ

Vadodara6 days ago

રોજગારીની પહેલ, મહિલાઓના સખી મંડળે ઓર્ગોનિક વેસ્ટની ગણેશજીની મૂર્તિઓ બનાવી

Vadodara6 days ago

ફાયરબ્રિગેડ સાધન ખરીદી કૌભાંડ મામલે કોંગ્રેસે PM, CMને પત્ર લખ્યો

Vadodara6 days ago

સરદાર એસ્ટેટ ચારરસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

Vadodara7 months ago

ફાટીને ધુમાડે ગયેલા નગરસેવકો?: સાથી કોર્પોરેટરે ટોણો મારતા મહિલા સભાખંડની બહાર નીકળ્યા

Vadodara7 months ago

વગર વરસાદે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા અનોખો વિરોધ

Trending