Connect with us

Vadodara

વ્યંઢળ સમાજ દ્વારા વાજતે ગાજતે, ગરબાના તાલે રમઝટ બોલાવતા મતદાન મથકે પહોંચી મતદાન કરવામાં આવ્યું

Published

on

વડોદરામાં વ્યંઢળ સમાજ દ્વારા મતદાન કરવામાં આવ્યું. બરાનપુરા ખાતે રહેતા વ્યંઢળ સમાજ દ્વારા વાજતે ગાજતે, ગરબાના તાલે રમઝટ બોલાવતા મતદાન મથકે પહોંચી મતદાન કરવામાં આવ્યું.

સવાર થી શહેર અને જિલ્લામાં ઠેરઠેર ચૂંટણીનો બરાબરનો માહોલ જામ્યો છે. ત્યારે શહેરના બરાનપુરા વિસ્તાર ખાતે રહેતા વ્યંઢળ સમાજ દ્વારા લોકશાહીના આ મહાપર્વમાં મતદાન કરી યોગદાન આપવામાં આવ્યું. વ્યંઢળ સમાજ દ્વારા ઢોલ-નગારાના તાલે મતદાન મથકે પહોંચી મતદાન કરવામાં આવ્યું. વ્યંઢળ સમાજના અગ્રણી અંજુમાસી અને અન્ય માસીબાઓ દ્વારા મોટી સંખ્યામાં મતદાન કરવામાં આવ્યું.

વ્યંઢળ સમાજ દ્વારા મતદાન મથકની બહાર ગરબાની રમઝટ બોલાવતા ચૂંટણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વ્યંઢળ સમાજ દ્વારા મતદાન કર્યા બાદ વ્યંઢળ સમાજના અગ્રણી અંજુમાસી દ્વારા તમામ લોકોને વધુ માં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી.

Dabhoi

ડભોઇના 5 કોર્પોરેટરોને ગાંધીનગરનું “આમંત્રણ”, જાણો કારણ..

Published

on

વડોદરા જિલ્લાના ડભોઇના 5 કોર્પોરેટરોને ગાંધીનગરના એડમીનીસ્ટ્રેટરનું તેડું આવ્યું છે. એડમીનીસ્ટ્રેટર દ્વારા પાંચ કોર્પોરેટરોને કારણ દર્શક નોટીસ ફટકારી છે. અને તેમને 8, ઓગષ્ટના રોજ સુનવણી સમયે હાજર રહેવા, અથવાતો અધિકૃત પ્રતિનિધિને મોકલવા જણાવવામાં આવ્યું છે. લાખો રૂપિયાની ચૂકવણી માટે કોઇ પણ પ્રકારની પ્રક્રિયા અનુસર્યા વગર કરવામાં આવતા એડમીનીસ્ટ્રેટર દ્વારા આકરા પગલાં લેવાની તૈયારીઓ દર્શાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તમામ ભાજપમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર છે.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, કમિશનર મ્યુનિસિપાલીટી એડમીનીસ્ટ્રેશનની કચેરી ગાંધીનગર દ્વારા ડભોઇમાં ભાજપના કોર્પોરેટર કાજલબેન સંજયભાઇ દુલાણી (તત્કાલીન પ્રમુખ, ડભોઇ નગરપાલિકા) , બિરેનકુમાર શાંતિલાલ શાહ (તત્કાલીન ચેરમેન – નાણાપંચ સમિતિ, ડભોઇ નગરપાલિકા) , ઇઝરાયસ હસનભાઇ પારીખાવાલા (તત્કાલીન સભ્ય – નાણાપંચ સમિતિ, ડભોઇ નગરપાલિકા), દાનીયલમહેંદી જાહેદાબીબી સૈયદ (તત્કાલીન સભ્ય – નાણાપંચ સમિતિ, ડભોઇ નગરપાલિકા), દક્ષાબેન પરેશભાઇ રબારી (તત્કાલીન સભ્ય – નાણાપંચ સમિતિ, ડભોઇ નગરપાલિકા) ના નામે કારણદર્શક નોટીસ ઇશ્યુ કરી છે.

નોટીસમાં જણાવ્યા અનુસાર, ડભોઇ નગરપાલિકા દ્વારા પંપીગ સ્ટેશનનું ગટરનું ચેમ્બર બનાવવા માટે કોઇ પણ જાહેરાત કે તાંત્રિક મંજૂરી મેળવ્યા સિવાય કે કોઇ પણ ઇજારદારો પાસેથી ભાવો મંગાવ્યા સિવાય 55 ટકા વધુથી એસ.કે. મકવાણા એન્ડ કંપનીને કામગીરી કરવાનો ઠરાવ કરી અને નાણાં 14 માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ચુકવવાનો ઠરાવ કરીને ગુજરાત નગર પાલિકા અધિનિયમ – 1963 ની કલમ 67 નો ભંગ કર્યો છે.

વધુમાં નોટીસમાં જણાવાયું છે કે, ઉપરોક્ત હકીકત જોતાં પ્રથમ દ્રષ્ટિએ ફલિત થાય છે કે, તમારા વિરૂદ્ધ ગુજરાત નગર પાલિકા અધિનિયમની કલમ – 37(1) હેઠળ પગલાં લઇને તમેનો પાલિકાના સભ્ય પદેથી કેમ દુર ન કરવા ? જે અન્વયે કારણદર્શક નોટીસ પાઠવવામાં આવી છે. આ અંગેની સુનવણી 8, ઓગષ્ટ – 2024 ના રોજ 1 – 15 કલાકે નિયત કરવામાં આવી છે. સુનવણી સમયે જાતે અથવા અધિકૃત પ્રતિનિધિ દ્વારા હાજર રહીને કંઇ રજુઆત કરવા માંગતા હોય તો કરવા જણાવવામાં આવે છે. નિયત મુદતે હાજર રહીને જો કોઇ જવાબ આપવામાં નહીં આવે તો આપને કંઇ કહેવું નથી તેમ માનીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે, ઇજારદાર એસ.કે. મકવાણા એન્ડ કંપનીને રૂ. 9 લાખથી વધુની ચૂકવણી કરવામાં આવી હતી. આ અંગે કોંગ્રેસ દ્વારા વર્ષ 2019 માં અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આ ઇજારદાર વડોદરામાં કાંસની કામગીરી સાથે સંકળાયેલો હોવાનું પણ સુત્રો ઉમેરી રહ્યા છે.

Continue Reading

Blog

પોરથી વડોદરા જાંબુઆ બ્રિજ પર લાંબો ટ્રાફિકજામ,વાહનચાલકો અટવાયા

Published

on

વડોદરામાં એક તરફ વરસાદે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડાવી દીધા છે. બીજી તરફ રસ્તાઓ ધોવાતા માર્ગો પર ખાડા રાજ ઉભું થયું છે. ત્યારે શનિવારે સવારે 9:15 કલાકની આસપાસ પોરથી વડોદરા જાંબુઆ બ્રિજ પર 5 કિમી લાંબો ટ્રાફિકજામ થયો હતો. જેના દ્રશ્યો વડોદરાના એક નાગરિકે પોતાની કારમાંથી મોબાઈલમાં કેદ કરી લીધા હતા.

કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરાની તંત્રના પાપે દુર્દશા થઈ છે. જ્યાં જુવો ત્યાં ખાડા-ખાડા તો કેટલાક વિસ્તારોમાં ગાબડા અને ભુવા નિર્માણ પામ્યા હતા. જ્યારે કેટલાક માર્ગો પર તો આખા રોડ પણ બેસી ગયા હોવાના કિસ્સા બન્યા હતા. ત્યારે હવે શહેર બાદ શહેરને જોડતા માર્ગની પણ બિસ્માર હાલત થઈ છે. જેના કારણે સવારે કામ ધંધે જઈ રહેલા અનેક લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.

લાખો કરોડો રૂપિયા રોડ રસ્તા પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યા હોવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. ત્યારે, શનિવારે વહેલી સવારથી પોર થી વડોદરા – જામ્બુવા બ્રિજ પર 5 કિમી ટ્રાફિક જામ થયો હતો. તંત્ર ના વાંકે અને ટ્રાફિક પોલીસની અણઆવડતના કારણે જામ્બુવા બ્રિજ પર દરરોજ ટ્રાફિક જામ થાય છે. જેના કારણે કિલોમિટર સુધીનો ટ્રાફિક જામ થાય છે.

આજે સવારે પણ આજ રીતે જામ્બુવા બ્રિજ પર પડેલા મોટા ખાડા ઓના કારણે આલમગીરથી જામ્બુવા બ્રિજ સુધી ટ્રાફિક જામ થયો હતો. જેના કારણે હજારો નાગરિકો ટ્રાફિકમાં ફસાયા હતા. જેના વીડિયો વડોદરાના એક નાગરિકે પોતાના મોબાઈલમાં ચાલુ કારમાંથી ઉતારી વાયરલ કર્યા હતા.

Continue Reading

Dabhoi

ડભોઇના કરણેટ ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા,રેતી ખનન ઝડપાયું

Published

on

વડોદરા શહેર-જિલ્લામાં પહેલા વરસાદમાં જ પૂર જેવી સ્થિતીનું નિર્માણ થયું હતું. આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. તેવામાં પણ ડભોઇ પાસેના કરનેટ ગામે ખનીજ માફીયાઓ દ્વારા રેતી ઉલેચવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. ખાણ-ખનીજ વિભાગના દરોડામાં કરનેટ ગામેથી લાખો રૂપિયાના મુદ્દામાલની મશીનરી જપ્ત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આમ, પૂર જેવી સ્થિતી પણ ખનીજ માફીયાઓના હોંસલા નબળા પાડી શકી ન હોવાનું સપાટી પર આવ્યું છે.

22, જુલાઇના રોજ અવિરત વરસેલા વરસાદના કારણે વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરમાં નવા નીર આવ્યા હતા. આજવા સરોવરે સલામત સપાટી વટાવતા તેમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જે બાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, તો બીજી તરફ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. પરંતુ આવી સ્થિતી પણ ખનીજ માફીયાઓની હિંમત ડગમગાવી શકી ન્હતી.

ડભોઇના કરનેટ ગામે છેલ્લા લાંબા સમયથી નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ઉલેચવાનું કાર્ય ચાલુ હતું. બેરોકટોક ચાલતા ખનીજચોરીના કૌભાંડ પર તાજેતરમાં ખાણ-ખનીજ વિભાગની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 5 ટ્રક અને જેસીબી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા. આ મુદ્દામાલની કિંમત આશરે રૂ. 80 લાખથી વધુ આંકવામાં આવી રહી છે. ખાણ-અને ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની ચોતરફથી સરાહના કરવામાં આવી રહી છે. તો બીજી તરફ તંત્ર દ્વારા મનાઇ છતાં ગેરકાયદેસર ખનન કરનારા તત્વોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે.

Continue Reading

Trending