Connect with us

Vadodara

વિશ્વામિત્રી બચાવો સમિતિનો આક્ષેપ: અગોરા સીટી સેન્ટરે ગટરના ચેમ્બર પર પણ દબાણ કર્યુ!

Published

on

  • વિશ્વામિત્રી બચાવો સમિતિએ મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર આપીને રજુઆત કરાઈ
  • 27 મીટરના રોડ પર પણ દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ

વડોદરા શહેરના સર્વાંગી હિતમાં કામ કરતી સંસ્થા વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા આજે કારેલીબાગ રાત્રી બજારથી સમાં GIPCL સર્કલ તરફ જવાના 27 મીટરના માર્ગ પર ખાનગી બિલ્ડર દ્વારા કરવામાં આવેલા દબાણો અંગે મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જયારે મુખ્ય માર્ગ પર કરવામાં આવેલા દબાણો દુર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.


શહેરના મંગલપાંડે રોડ પર અગાઉ બનેલા સંજય નગરના ઝુંપડાઓ તોડીને સ્લમરીહેબીલેશન યોજના હેઠળ PPP ધોરણે આવાસ બનાવીને રોડ તરફની જમીન પર મોલ તેમજ મલ્ટીપ્લેક્ષનું કોમર્શીયલ બાંધકામ કરવામાં આવી રહ્યું છે.

આ બાંધકામ શરુ થયું ત્યારથી અનેક વિવાદો થયા હતા. વિશ્વામિત્રી નદીમાં દબાણ કરાયું હોવાની રજુઆતો પણ થઇ હતી. જે બાદ વિશ્વામિત્રીનદીના દબાણો મામલે હાઈકોર્ટમાં PIL પણ દાખલ કરવામાં આવી હતી.

Advertisement


આજે વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર આપીને 27 મીટરના મુખ્ય માર્ગ પર અગોરા સીટી સેન્ટરના બિલ્ડર દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી હતી. વિશ્વામિત્રી બચાવો સમિતિના શૈલેશ અમીને જણાવ્યું હતું કે નકશામાં બતાવેલા 27 મીટરના રોડ પર ફૂટપાથ પણ જોવા મળતો નથી.

એટલું જ નહિ પાલિકાએ બનાવેલા ગટરમાં પણ ફેરફાર કરીને તેના ઉપર પણ દબાણો કરી દેવામાં આવ્યા છે. આ અંગે મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરીને દબાણો દુર કરવાની માંગણી કરવામાં આવી છે.

Advertisement
Continue Reading
Advertisement

Vadodara

મોપેડ પર પસાર થતા વૃધ્ધા પર ઝાડની ડાળી પડતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

Published

on

ગત મોડી રાત્રે શહેરના દિવાળીપુરા કોર્ટ પરિસર બહાર ઝાડની ડાળી ત્યાંથી મોપેડ લઇ પસાર થતા વૃદ્ધ દંપતી પર પડતા નીચે પટકાયા હતા. જેમાં ડાળીનો ભાગ મહિલા પર પડતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ બનાવને લઇ ફાયર ને 108 તાત્કાલિક પહોંચી હતી. અત્રે નોંધનીય છે કે, સામાન્ય રીતે ચોમાસાની રૂતુમાં પવન સાથે વરસાદ વરસવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ઝાડ અથવા તેની ડાળી પડવાની ઘટના સામે આવતી હોય છે. પરંતુ ગતરાત્રો દંપતિ પર વગર ચોમાસે આફત આવી પડી હતી.



સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના મકરંદ દેસાઈ રોડ પર આવેલ હરીનગર મહેશ્વરી સોસાયટીમાં રહેતા અને બહારથી ઘરે પરત ફરતા દિવાળીપુરા કોર્ટ પરિસરની બહારથી મોપેડ લઇ પસાર થતા વૃદ્ધ દંપતી પર અચાનક ઝાડની ડાળી પડતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 69 વર્ષીય રંજનબેન ઘટના સ્થળેજ બેભાન અવસ્થામાં વડીવાડી ફાયરે રેસ્ક્યુ કરી તાત્કાલિક 108 મારફતે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. અને પતિને સામાન્ય ઇજાઓ પોહચી હતી.


આ બનાવવા અંગે ફાયર સુત્રોના જણાવ્યા અનુસાર, દિવાળીપુરા કોર્ટ પરિસર સામે ઝાડની ડાળી પડી હોવાની માહિતી મળી હતી અને ત્યાંથી વૃદ્ધ દંપતિ મોપેડ લઈને પસાર થઈ રહ્યું હતું તે સમયે ઘટના બની હતી. ફાયરને કોલ મળતાની સાથે જ વડીવાળી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને દટાયેલ મહિલાનું રેસ્ક્યુ કરી ઇજાગ્રસ્ત મહિલાને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડી હતી. આ બનાવવામાં વૃદ્ધ દંપતી સાથે પાસે રહેલી બે ફોરવીલર ગાડીઓમાં પણ ઝાડની ડાળી પડતા નુકસાન થયું છે.


આ બનાવો અંગે વૃદ્ધ દંપતીના પુત્ર વિશાલ ખરાડીએ મીડિયાને જણાવ્યું કે, મમ્મી પપ્પા બહાર ગયા હતા અને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. આકસ્માતમાં મમ્મી બેભાન અવસ્થામાં ત્યાંજ પડી ગઈ હતી અને ઘટના સ્થળે જ તેઓનું મોત નીપજ્યું હતું. તેઓને 108 મારફતે ગોત્રી હોસ્પિટલમાં લઈ ગયા હતા પરનું તેઓ સ્થળ પરજમોત થયું હતું, જ્યારે પિતાને સામાન્ય ઇજાઓ થતા તેઓને સારવાર અપાઈ હતી.

Advertisement

Continue Reading

Vadodara

છડેચોક કાયદાનો ભંગ કરનાર “જાડેજાને” હવે પોલીસ કેવી રીતે દંડ કરશે?

Published

on

  • રાત્રીના 10 વાગ્યે શહેરના એરપોર્ટ સર્કલ થી વુડા સર્કલ તરફ જાડેજા નેમ પ્લેટ ધરાવતી કાર જાગૃત નાગરિકે કેમેરામાં કંડારી
  • ટ્રાફિક ડ્રાઈવમાં મોટા ભાગે મધ્યમવર્ગીય દંડાય છે,માલેતુજાર છટકી જાય છે

વડોદરા શહેરમાં તાજેતરમાં શહેર પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોમે દંડ ફટકારવામાં આવી રહ્યો છે. CCTV જ્યાં હશે ત્યાં ઇ મેમો મારફતે દંડ કરવામાં આવી રહ્યો છે. બાકી શહેરભરમાં 27 જેટલા ચેકપોઇન્ટ પર વાહન ચેકીંગ કરીને રોંગ સાઈડ જતા વાહનોને દંડ કરવામાં આવી રહ્યો છે.

પ્રથમ દિવસે શહેરના વિવિધ પોઇન્ટ પર રોંગ સાઈડ પર વાહન હંકારનાર 1018 જેટલા વાહન ચાલકોને દંડ કરવામા આવ્યો છે. જ્યારે 794 જેટલા ઈ ચલણ જનરેટ કરવામાં આવ્યા છે. પોલીસની આ ત્વરિત અને પ્રસંશનીય કમગીરીથી ટ્રાફિકના નિયમોનું પાલન સામાન્ય જનતા કરશે તે વાતમાં કોઈ બેમત નથી.

જોકે સામાન્ય જનતા દંડાય અને માલેતુજારો છૂટી જાય એ કેટલા અંશે યોગ્ય છે?, પોલીસની ટ્રાફિક નિયમનની ડ્યુટી પુરી થાય એટલે શહેરમાં વીઆઇપી કલચર ધરાવતા માલેતુજારો રાજમાર્ગ પર નીકળે છે. અને છડેચોક કાયદાનું ઉલ્લંઘન કરે છે. જે સમયે પોલીસ તંત્ર હાજર નથી હોતું તે સમયે માલેતુજારો રાજમાર્ગો પર રાજ કરે છે.

Advertisement

આજે ટ્રાફિક ડ્રાઈવમાં પ્રથમ દિવસે શહેરના એરપોર્ટ સર્કલથી અમિત નગર બ્રિજ થઈને એલ.એન્ડ.ટી સર્કલ તરફ જતી એક માલેતુજારની કાર શહેરના એક જાગૃત નાગરિકે સ્પોટ કરી, રાત્રીના 10 કલાકના આસપાસના સમયમાં આ કાર અમિત નગર ઓવરબ્રિજ પરથી પસાર થતી હતી. કારની રજીસ્ટ્રેશન પ્લેટ પર કોઈ રજીસ્ટ્રેશન નંબર નહીં,પણ કારના માલિકની સરનેમ લખેલી હતી. અને બિન્દાસ્ત સરનેમ સાથે આ કાર શહેરના રાજમાર્ગ પર સરપટ દોડતી હતી. પોલીસની ગેરહાજરીનો સમય હતો જેથી ટ્રાફિક સિગ્નલ ખાલી હતા. પણ પોલીસ વિભાગના CCTV કેમેરા સતત કાર્યરત હોય છે. જોકે નંબરપ્લેટ પર પોતાની સરનેમ લખીને ફરતા આ “સાહેબ” ને પોલીસ કેવી રીતે શોધશે અને દંડ કરશે તે જોવું રહ્યું!

Advertisement
Continue Reading

Vadodara

પોલીસની પ્રશંસનીય કામગીરી: સિગ્નલ પર ભીખ માંગતા 39 બાળભિક્ષુકોને રેસ્ક્યુ કરાયા

Published

on

વડોદરામાં બાળ ભિક્ષુકો સામેના કાયદાનો નહીવત્ અમલ રહ્યો છે અને ટૂંકા સ્ટાફથી સમાજ કલ્યાણ વિભાગના કાર્યક્ષેત્રમાં આવતું આ દુષણ અટકવું થોડું મૂશ્કેલ છે ત્યારે આજે વડોદરા શહેર પોલીસના પોલીસ સ્ટેશન,એસીપી, એલસીબી ઉપરાંત શી ટીમ અને એન્ટી હ્યુમન ટ્રાફિક ટીમના સંયુક્ત કામગીરી ને કારણે બાળ ભિક્ષુક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં સફળ રહ્યા આવા બાળ ભિક્ષુકો ભીખ માંગવાનું બંધ કરીને હક્કથી ભણી ગણી મહેનત કરીને રોટલો ખાતા થાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા એન્ટી હ્યુમન ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરી 39 જેટલા બાળ ભિક્ષુકોને 11 સ્થળ ઉપરથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

આ ડ્રાઈવ સતત ચાલતી રહેશે તેમ જ આવતીકાલે બાળ ભિક્ષુકો ના પરિવાર તેમના માટે કાઉન્સિલિંગ સેશનનું પણ આયોજન કરવામાં આવશે જેથી તેઓ તેમના બાળકોને ભીખ માંગવા માટે મજબૂર નહીં કરે. સતત ચાલનારી આ ડ્રાઈવમાં તમામ બાળ ભિક્ષુકોને કેટેગરી વાઇઝ મૂકવામાં આવશે અને ત્યારબાદ તેઓને તેમના ઉમર પ્રમાણે સરકાર દ્વારા આગળનું શિક્ષણ મળી રહેશે જ્યારે જે વાલીઓ પોતાના બાળકોનો પુરાવો આપી નહીં શકે તેવા બાળકોના ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવશે અને તેમણે તેમના મૂળ વાલીઓ સુધી પહોંચવાનો પ્રયત્ન પણ કરવામાં આવશે.

Advertisement

બાળ ભિક્ષુકોને મુખ્ય પ્રવાહમાં ભેળવવા કાર્યવાહીનો નિર્ણય થયો છે.બાળભિક્ષુકો માટે વડોદરા શહેર પોલીસ નો સરાહનીય માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે. 39 બાળભિક્ષુકો ને સુરક્ષિત ગૃહ ખાતે ખસેડાયા છે ત્યારે, આવનારા સમયમાં આ ડ્રાઈવ સતત ચાલતી રહેશે જેથી અનેક બાળ ભિક્ષુકોને સુરક્ષિત અને સલામત રીતે બાળગૃહમાં ખસેડવામાં આવશે.

આ અભિયાન અંગે આજરોજ વડોદરા શહેર પોલીસના નાયબ પોલીસ કમિશ્નર ઝોન 3 ડૉ.લીના પાટીલ ની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

Advertisement
Continue Reading

Trending