Connect with us

Vadodara

દિવ્યાંગ બાળકો દ્વારા 8 કલાકની મહેનત બાદ મતદાન કરવા માટે જાગૃતિ સંદેશો ફેલાવવા 20 ફૂટની અનોખી  રંગોળી તૈયાર કરવામાં આવી

Published

on

વડોદરામાં બી.આર.જી ગ્રુપ સંચાલિત ઊર્મિ સ્કૂલ ખાતે દિવ્યાંગ બાળકો દ્વારા આયોજિત “ઉમંગો કી હાટ”નું આયોજન કરવામાં આવ્યું. જેમાં દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ વસ્તુઓની પ્રદર્શની સાથે ઊર્મિ સ્કૂલ ખાતે મતદાન જાગૃતિ સંદેશ માટે 20 ફુટની રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

લોકશાહીના મહા પર્વમાં દરેક મતદાર પોતાનો મત આપી શ્રેષ્ઠ ભારત તૈયાર કરવામાં પોતાનું યોગદાન આપે તે માટે તંત્ર દ્વારા કેટલાય મતદાન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે. આ સાથે જ કેટલીક શાળાઓ દ્વારા પણ મતદારોમાં મતદાન કરવા માટે જાગૃતિ ફેલાવવા માટે અનોખા પ્રયોગો કરવામાં આવે છે. ત્યારે બી.આર.જી ગ્રુપ સંચાલિત ઊર્મિ સ્કૂલ ખાતે દિવ્યાંગ બાળકો દ્વારા આયોજિત “ઉમંગો કી હાટ”નું આયોજન કરવામાં આવ્યું હતું.

ઊર્મિ સ્કૂલ ખાતે દિવ્યાંગ બાળકો તેમજ સામાન્ય બાળકો દ્વારા લોકશાહીના સૌથી મોટા પર્વ મતદાનને પણ મનાવવામાં આવ્યો હતો. બાળકો દ્વારા આવનાર લોકસભા ચૂંટણી માટે 20 ફુટ ની મતદાન જાગૃતિ આપતી રંગોળી તૈયાર કરવામાં આવેલ હતી. રંગોળીમાં મતદાન ના દિવસે અવશ્ય મતદાન સાથે મતદાતાઓ માટે જરૂરી મોબાઈલ એપ્લિકેશન ની પણ જાણકારી આપવામાં આવેલ હતી. 52 થી વધુ ઊર્મિ સ્કુલ ના બાળકો દ્વારા 8 કલાકની મહેનત બાદ આ રંગોળી તૈયાર કરવામાં આવી હતી.

બી.આર.જી ગ્રુપ સંચાલિત ઊર્મિ સ્કૂલ ખાતે દિવ્યાંગ બાળકોની સંસ્થા કે જ્યાં ઊર્મિ દિવ્યાંગ થેરાપી સેન્ટર કાર્યરત છે તેમાં 140 થી વધુ દિવ્યાંગ બાળકો શિક્ષણ સાથે આત્મસમ્માન થી જીવન જીવવાની તાલીમ લઇ રહ્યા છે. ગત રોજ ઊર્મિ દિવ્યાંગ થેરાપી સેન્ટર દ્વારા નવતર અભિગમો થી દિવ્યાંગ બાળકોને મંચ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધારવા વડોદરાના ડીડીઓ મમતા હિરપરા સાથે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદી અને બી.આર.જી ગ્રુપના ચેરપર્સન લાતાબેન ગુપ્તા, સી.એમ.ડી સરગમ ગુપ્તા, મેનેજીંગ ડિરેક્ટર ડો.સપના પટેલ, ડિરેક્ટર સ્વેતા ગુપ્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ઊર્મિ દિવ્યાંગ થેરાપી સેન્ટર દ્વારા “ઉમંગો કી હાટ”ના શીર્ષક હેઠળ આખા વર્ષ દરમિયાન શાળાના દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ ચીજ વસ્તુઓની પ્રરદર્શની સાથે પૉપઅપ બજારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગ બાળકો ના હાથે તૈયાર કરવામાં આવેલ જીવન જરૂરિયાત ની વસ્તુઓનું પ્રદર્શન મુકવામાં આવેલ હતું. દિવ્યાંગ બાળકોને વર્ષ દરમિયાન શિક્ષણની સાથે સાથે આત્મનિર્ભર બનવા માટે આપવામાં આવેલ તાલીમના સારાંશ હેઠળ “ઉમંગો કી હાટ”નું આયોજન કર્યું હતું.

આ પ્રદર્શનીમાં દિવ્યાંગ બાળકો દ્વારા કાથી માંથી તૈયાર કરવામાં આવેલ પગલૂછણિયાં, વિવિધ આભૂષણો સાથે શુશોભનની વિવિધ બનાવટોની પ્રદર્શનીના સ્ટોલ મુકવામાં આવ્યા હતા. દરેક સ્ટોલ ઉપર દિવ્યાંગ બાળકો જ પોતાની હાથ બનાવટ ને આમંત્રિત વડોદરાની જનતા સમક્ષ પ્રસ્તુત કરતા હતા. દિવ્યાંગ બાળકોએ માટી કામ દ્વારા વિવિધ કોડિયાં તેમજ કુંજા અને ગમલા બનાવી તેમાં છોડ રોપી ને વિવિધ રંગો થી સોશોભિત કર્યા હતા. બાળકોએ કાથી દ્વારા તૈયાર કરેલ ઇકો ફ્રેન્ડલી થેલીઓનું પણ વેચાણ આ બજાર માં કરવામાં આવેલ હતું.

આ ઉપરાંત મોતીની માળાઓ, કુંડળ, બટવા, આભલા થી તૈયાર કરેલ અરીશા સાથે ઘરને શુશોભિત કરતા તોરણો પણ અદભુત કલા કારીગરી થી દિવ્યાંગ બાળકોએ આ બજાર માં મુકેલ હતા. આ તમામ વસ્તુઓના વેચાણ થી આવેલ આર્થિક રકમ ને ઊર્મિ દિવ્યાંગ થેરાપી સેન્ટરના બાળકોના વિકાસમાં જરૂરી સાધન સહાય અર્થે ખર્ચ કરવામાં આવનાર છે.

આ સાથે જ “ઉમંગો કી હાટ”માં વડોદરા શહેર ની 10 થી વધુ વિવિધ દિવ્યાંગ સંસ્થાઓના બાળકો દ્વારા નૃત્ય તેમજ રંગારંગ પ્રસ્તુતિ આપવામાં આવી હતી. વિવિધ ગીતોના સથવારે દિવ્યાંગ બાળકો દ્વારા ઉપસ્થિત જનમેદની સામે આત્મવિશ્વાસ સાથે સંસ્કૃતિ પ્રસ્તુતિ આપવામાં આવેલ હતી. જે બાદ તમામ સંસ્થાઓ અને બાળકોને ટ્રોફી તેમજ સર્ટિફિકેટ થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

“ઉમંગો કી હાટ” દિવ્યાંગ પૉપ અપ બજાર માં મોટી સંખ્યામાં વડોદરા ના નાગરિકોએ દિવ્યાંગ બાળકોની કાળાને નિહાળી અને બિરદાવી હતી. દિવ્યાંગ બાળકો પણ પોતાના હાથે બનાવેલ વસ્તુઓના વેચાણ થી ઘણા ઉત્સાહી અને ખુશ નજરે પડ્યા હતા.

Blog

પોરથી વડોદરા જાંબુઆ બ્રિજ પર લાંબો ટ્રાફિકજામ,વાહનચાલકો અટવાયા

Published

on

વડોદરામાં એક તરફ વરસાદે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડાવી દીધા છે. બીજી તરફ રસ્તાઓ ધોવાતા માર્ગો પર ખાડા રાજ ઉભું થયું છે. ત્યારે શનિવારે સવારે 9:15 કલાકની આસપાસ પોરથી વડોદરા જાંબુઆ બ્રિજ પર 5 કિમી લાંબો ટ્રાફિકજામ થયો હતો. જેના દ્રશ્યો વડોદરાના એક નાગરિકે પોતાની કારમાંથી મોબાઈલમાં કેદ કરી લીધા હતા.

કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરાની તંત્રના પાપે દુર્દશા થઈ છે. જ્યાં જુવો ત્યાં ખાડા-ખાડા તો કેટલાક વિસ્તારોમાં ગાબડા અને ભુવા નિર્માણ પામ્યા હતા. જ્યારે કેટલાક માર્ગો પર તો આખા રોડ પણ બેસી ગયા હોવાના કિસ્સા બન્યા હતા. ત્યારે હવે શહેર બાદ શહેરને જોડતા માર્ગની પણ બિસ્માર હાલત થઈ છે. જેના કારણે સવારે કામ ધંધે જઈ રહેલા અનેક લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.

લાખો કરોડો રૂપિયા રોડ રસ્તા પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યા હોવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. ત્યારે, શનિવારે વહેલી સવારથી પોર થી વડોદરા – જામ્બુવા બ્રિજ પર 5 કિમી ટ્રાફિક જામ થયો હતો. તંત્ર ના વાંકે અને ટ્રાફિક પોલીસની અણઆવડતના કારણે જામ્બુવા બ્રિજ પર દરરોજ ટ્રાફિક જામ થાય છે. જેના કારણે કિલોમિટર સુધીનો ટ્રાફિક જામ થાય છે.

આજે સવારે પણ આજ રીતે જામ્બુવા બ્રિજ પર પડેલા મોટા ખાડા ઓના કારણે આલમગીરથી જામ્બુવા બ્રિજ સુધી ટ્રાફિક જામ થયો હતો. જેના કારણે હજારો નાગરિકો ટ્રાફિકમાં ફસાયા હતા. જેના વીડિયો વડોદરાના એક નાગરિકે પોતાના મોબાઈલમાં ચાલુ કારમાંથી ઉતારી વાયરલ કર્યા હતા.

Continue Reading

Dabhoi

ડભોઇના કરણેટ ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા,રેતી ખનન ઝડપાયું

Published

on

વડોદરા શહેર-જિલ્લામાં પહેલા વરસાદમાં જ પૂર જેવી સ્થિતીનું નિર્માણ થયું હતું. આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. તેવામાં પણ ડભોઇ પાસેના કરનેટ ગામે ખનીજ માફીયાઓ દ્વારા રેતી ઉલેચવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. ખાણ-ખનીજ વિભાગના દરોડામાં કરનેટ ગામેથી લાખો રૂપિયાના મુદ્દામાલની મશીનરી જપ્ત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આમ, પૂર જેવી સ્થિતી પણ ખનીજ માફીયાઓના હોંસલા નબળા પાડી શકી ન હોવાનું સપાટી પર આવ્યું છે.

22, જુલાઇના રોજ અવિરત વરસેલા વરસાદના કારણે વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરમાં નવા નીર આવ્યા હતા. આજવા સરોવરે સલામત સપાટી વટાવતા તેમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જે બાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, તો બીજી તરફ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. પરંતુ આવી સ્થિતી પણ ખનીજ માફીયાઓની હિંમત ડગમગાવી શકી ન્હતી.

ડભોઇના કરનેટ ગામે છેલ્લા લાંબા સમયથી નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ઉલેચવાનું કાર્ય ચાલુ હતું. બેરોકટોક ચાલતા ખનીજચોરીના કૌભાંડ પર તાજેતરમાં ખાણ-ખનીજ વિભાગની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 5 ટ્રક અને જેસીબી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા. આ મુદ્દામાલની કિંમત આશરે રૂ. 80 લાખથી વધુ આંકવામાં આવી રહી છે. ખાણ-અને ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની ચોતરફથી સરાહના કરવામાં આવી રહી છે. તો બીજી તરફ તંત્ર દ્વારા મનાઇ છતાં ગેરકાયદેસર ખનન કરનારા તત્વોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે.

Continue Reading

Vadodara

ઘોડા છૂટી ગયા બાદ તબેલા ને તાળા મારવાનો શું અર્થ?, સત્તાધીશો જ શહેરમાં પૂર લાવ્યાનો પુરાવો સામે આવ્યો!

Published

on

  • જે ઇજારો ચોમાસુ શરૂ થાય તે પહેલા આપવો જોઈએ, એ ઇજારો શહેરને પૂરમાં ધકેલ્યા બાદ મંજૂરી માટે મુકાયો
  • અધિકારીઓ એ અગાઉથી તાકીદ કરી હતી,પણ નફ્ફટ સત્તાધીશોએ ધ્યાન ન આપ્યું
  • મેયર અને કમિશ્નરને સજાગ કરવા અનેક વાર પત્ર લખાયા,તેમ છતાંય પેટનું પાણી હાલ્યું નહીં

વડોદરા શહેરમાં એક જ દિવસમાં પડેલા ધોધમાર વરસાદ બાદ સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ સ્થિતિ માટે જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. પૂરને કુદરતી આફત ગણાવનારા આ સત્તાધીશોએ જાણી જોઈને પૂરની સ્થિતિનું નિર્માણ કર્યું હોય તેવા પુરાવા પણ સામે આવી રહ્યા છે. જે કામગીરી ચોમાસા પહેલા કરવાની હોય તે કામગીરી સમગ્ર શહેર પૂરમાં ડૂબ્યા બાદ કરવામાં આવી રહી છે.

વડોદરા મહાનગરપાલિકા દર વર્ષે પ્રી મોનસુન કામગીરીનો ડોળ ઉભો કરે છે. કાગળ પર થતી પ્રિમોન્સૂન કામગીરી ક્યારેય વાસ્તવિક રીતે જોવા મળતી નથી. વરસાદીકાંસના હજારો ચેમ્બર સાફ કરી દીધા હોવાનું ઓન પેપર દર્શાવવામાં આવે છે. જોકે ટૂંકા સમયમાં આ કામગીરી પૂર્ણ થાય તેવી કોઈ શકયતા હોતી નથી. વરસાદના સમયે તેમજ ત્યારબાદ વરસાદી ગટરના દુરસ્તીકરણની કામગીરી માટે ઇજારો ખૂબ જરૂરી બને છે. એક સમયે ભારે વરસાદના કારણે કોઈ વિસ્તારમાં પાણી ભરાય તો તેના નિકાલ માટે તાત્કાલિક મશીનરીને કામે લગાડવાની જવાબદારી જે તે ઇજારદારની હોય છે. પરંતુ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આજ દિન સુધી વરસાદી ગટર દુરસ્તીકરણના કામ માટે ઇજારો સોંપવામાં આવ્યો નથી.

પૂર્વ ઝોનના કાર્યપલક ઇજનેરે એક મહિના પહેલા જ ચિંતા વ્યક્ત કરી હતી

આજે જ્યારે વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોએ ત્રણ દિવસ પૂરની સ્થિતિના દર્શન કર્યા બાદ આજની સ્થાયી સમિતિની બેઠકમાં વરસાદી ગટરના દુરસ્તીકરણના કામોને મંજૂરી અર્થે મુકવામાં આવ્યા છે.સ્થાયી સમિતિની આજની મળેલી બેઠકમાં શહેરના દક્ષિણ ઝોન ઉત્તર ઝોન તેમજ પૂર્વ ઝોન ના વરસાદી ગટર દુરસ્તીકરણના કામોનો વાર્ષિક ઇજારો મંજૂરી અર્થે મુકવામાં આવ્યો હતો. જ્યારે શહેરના પશ્ચિમ ઝોન તેમજ ઉત્તર ઝોનમાં વરસાદી ગટર સફાઈ કરવાના કામનો વાર્ષિક ઇજારો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યો છે. વરસાદી ગટરની સફાઈ ચોમાસા પહેલા જ થઈ જવી જોઈએ છતાં સફાઈનો ઈજારો મધ્ય ચોમાસે મંજૂરી માટે મૂકવામાં આવી રહ્યો છે. આ કોઈ ટેકનિકલ ખામી નથી પરંતુ અધિકારીઓ અને સત્તાધીશોની નફ્ફટાઈને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

વડોદરા શહેરના પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર દ્વારા 5 જૂનના રોજ ડ્રેનેજ તેમજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખાના કાર્યપાલક ઈજનેર પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે,પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર દ્વારા 18 જાન્યુઆરી 2024 થી હયાત વરસાદી ગટર દુરસ્તી કરણના કામના વાર્ષિક ઇજારા માટે માંગણી કરવામાં આવી હતી. 13 જુલાઈના રોજ પૂર્ણ થતાં ઇજારામાં નવી ટેન્ડર પ્રક્રિયા ન થાય ત્યાં સુધી વચગાળાના સમય માટે 25 લાખની મર્યાદામાં બે મહિના માટે કામગીરી સોંપવાની માંગણી કરાઈ હતી. ઇજારો 13 જુલાઈ 2024 ના રોજ પૂર્ણ થયો હતો અને ત્યાર પછીની સ્થિતિ માટે ઈજારદારને હંગામી વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો ન હતો.પૂર્વ ઝોનના કાર્યપાલક ઈજનેર દ્વારા નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં ન આવે ત્યાં સુધી 25 લાખની નાણાકીય મર્યાદામાં વરસાદી ગટર દૂરસ્તી કરણ કરવાના કામ માટે બે માસના એક્સટેન્શનની માંગણી કરવામાં આવી હતી. છતાં પણ પાલિકાના ડ્રેનેજ શાખાના અધિકારીઓ દ્વારા આ રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી ન હતી

13 જુલાઈ 2024 થી 26 જુલાઈ 2024 ના સમયગાળામાં પાલિકા પાસે વરસાદી ગટર દુરસ્તી કરણ કરવા માટે કોઈ ઇજારદારને કામગીરી સોંપવામાં આવી ન હતી. આજે 26 જુલાઈના રોજ સ્થાયી સમિતિની બેઠકમાં આ કામગીરીને મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી છે. અને આગામી 10 દિવસમાં ઈજારદારને તેનો વર્ડ ઓર્ડર સોંપવામાં આવશે જો પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ સમય સૂચકતા જાળવીને ઇજારો જાહેર કર્યો હોત તો આજે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ભરાયેલા પાણી કાઢવામાં લાંબો સમય વીત્યો ન હોત.

    Continue Reading

    Trending