Vadodara
પોઇચા ખાતે નર્મદા નદીમાં નાહવા પડેલ સુરતના 8 લોકો ડૂબ્યા, 1 યુવકનો સ્થાનિકો દ્વારા આબાદ બચાવ જયારે અન્ય 7 લાપતા
Published
8 months agoon
સુરત ખાતે રહેતા 8 પ્રવાસીઓ પોઇચા પાસે આવેલ નર્મદા નદીમાં ડૂબ્યા. 8 લોકોમાં 3 નાના બાળકો પણ હતા. જોકે, 8 પૈકી 1 વ્યક્તિનો સ્થાનિકો દ્વારા આબાદ બચાવ કરવામાં આવ્યો છે. જયારે 7 લોકો નદીના વહેણમાં તણાઈ જતા લાપતા બન્યા છે.
હાલમાં જ વડોદરા નજીક આવેલ કોટના બીચ પર નાહવા ગયેલ યુવાનોની ડૂબી જવાથી મોતની ઘટના સામે આવી છે. ત્યાં તો હવે આવો જ વધુ એક બનાવ પોઇચા થી સામે આવ્યો છે. જેમાં અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત સ્થાઈ થયેલ પ્રવાસીઓ નર્મદા જીલ્લાના રાજપીપળા તાલુકાના પોઇચા (નીલકંઠધામ)માં ફરવા માટે આવ્યા હતા.
જ્યાં પોઇચા (રાણીયા) ગામમાં આવેલ નર્મદા નદીમાં નાહવા 3 નાના બાળકો સહીત 8 લોકો નાહવા પડ્યા હતા. પરંતુ નદીમાં એક પછી એક તમામ 8 લોકો ડૂબવા લાગ્યા હતા. જે દરમિયાન બચાવ બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદી પડ્યા હતા. જેમાં એક યુવાનને સ્થાનિકો ડૂબતા આબાદ બચાવ્યો હતો. જયારે અન્ય 7 હજુ પણ લાપતા થતા શોધખોળ ચાલી રહી છે. ઘટનાની જાણ થતા રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઇચા પહોંચી શોધખોળ હાથ ધરી છે.
You may like
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
-
નકલી પોલીસ બની હનીટ્રેપમાં ફસાવી તોડ કરનાર મહિલા સહિત 5 પકડાયા
-
પાલિકાના વ્હીકલપૂલમાં ખખડધજ વાહનોનો ખડકલો, ક્યારે લેવાશે યોગ્ય નિર્ણય..!