Connect with us

Politics

મનસુખ વસાવાએ અને તેમની પત્નીની સંપત્તિમાં મોટો ઉછાળો,સોગંદનામાં માં રજૂ કરી વિગતો

Published

on

ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તેમજ સાંસદ મનસુખ વસાવાએ સાતમી વખત ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ સાંસદ મનસુખ વસાવાએ કરેલા સોગંદનામાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં એવું જાણવા મળ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં સાંસદ અને તેમની પત્નીની સંપત્તિમાં મોટો ઉછાળો થયો છે.

Advertisement

ભાજપના સાંસદ મનસુખ વસાવાના સોગંદનામા અનુસાર, સાંસદ અને તેમની પત્નીની જંગમ અને સ્થાવર સંપત્તિમાં છેલ્લા 5 વર્ષમાં રૂપિયા 1.18 કરોડનો વધારો થયો છે. સાંસદે 2019ની ચૂંટણીમાં તેમની કુલ સંપત્તિ 68.35 લાખ હોવાનું દર્શાવ્યું હતું. જે હવે 2024માં વધીને 1.28 કરોડના આંક પર પહોંચી ગઈ છે. એટલે કે, 2019 થી લઈને 2024 સુધીના સમયગાળા દરમિયાન સાંસદ મનસુખ વસાવાની કુલ સંપતિમાં રૂ. 78.98 લાખનો વધારો થયો છે.

Advertisement

અગાઉ 2019ના સોગંદનામા અનુસાર, મનસુખ વસાવાની જંગમ સંપતિ રૂ.30,96,044 અને સ્થાવર સંપત્તિ રૂ.20,50,000 હતી. આ સાથે જ મનસુખ વસાવાના પત્નીની જંગમ સંપતિ 16,89,913 રૂપિયા હતી. અને હવે 2024ના મનસુખ વસાવાના સોગંદનામા અનુસાર, છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં તેમની જંગમ સંપતિમાં રૂ.2.28 લાખ અને તેમની પત્નીની જંગમ સંપત્તિમાં રૂ.41.46 લાખનો વધારો થયો છે.

સોંગદનામામાં મનસુખભાઈએ પોતાની ઉંમર 66 વર્ષ અને શિક્ષણમાં પોતે B.A. MSW હોવાનું દર્શાવ્યું છે. તેમજ મનસુખ વસાવાએ હાલમાં કરેલ સોગંદનામામાં તેમની પાસે 5 તોલા જેટલું સોનું અને 100 ગ્રામ જેટલું ચાંદી હોવાનું દર્શાવ્યું છે. જયારે તેમના પત્ની સરસ્વતીબેન પાસે કુલ 35 તોલા જેટલું સોનું જયારે 500 ગ્રામ ચાંદી હોવાનું દર્શાવ્યું છે.

Advertisement

તો આ સાથે જ વાહનોમાં તેમની પાસે એક ઇનોવા કાર અને તેમની પત્ની સરસ્વતીબેન પાસે એક સ્કોર્પિયો ગાડી છે. જેમાં કાર લોનમાં તેમના માથે 2.04 લાખ અને તેમના પત્નીના માથે 9 લાખનું દેવું દર્શાવવામાં આવ્યું છે. તો આ સિવાય તેઓના માથે એક પણ રૂપિયાનું સરકારી દેવું ન હોવાનું અને કોઈ પોલીસ કે કોર્ટ કેસ ન હોવાનું પણ સોગંદનામામાં દર્શાવ્યું છે.

Advertisement

Politics

ભરૂચ AAPના ઉમેદવાર ચૈતર વસાવાની બંને પત્નીઓ એક સાથે ચૂંટણી પ્રચારમાં જોડાઈ

Published

on


લોકસભા 2024 ના ઇલેક્શનને લઈને ભરૂચ લોકસભા બેઠક માટે ઇન્ડિયા ગઠબંધનમાં ઉમેદવાર જાહેર કરાયેલા AAPના ચૈતર વસાવા આદિવાસી મતદારોને રીઝવવા માટે ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. જેમાં તેમની સાથે પાર્ટીના આગેવાનો અને સમર્થકો પ્રચાર કરી રહ્યા છે. પરંતુ હવે ચૈતર વસાવાના ધર્મપત્નીઓએ પણ પોતાના પતિની ચૂંટણી કમાન સંભાળી છે.

Advertisement

આદિવાસીઓના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાને લોકસભાની ચૂંટણીમાં વિજય બનાવવા માટે તેમના પરિવારે કમર કસી લીધી છે. એક તરફ ધારાસભ્ય ચૈતર વસવાનો પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. ત્યાં જ બીજી તરફ હવે આ ચૂંટણી પ્રચારના યુદ્ધમાં તેમની બંને પત્નીઓ પોતાના પતિની જીત માટે પ્રચાર મેદાનમાં ઉતરી છે. બંને પત્નીઓ નર્મદા જિલ્લામાં એક સાથે ફરી પુરજોશમાં પ્રચાર કરી રહી છે. ચૈતર વસાવાના બંને પત્ની વર્ષાબેન વસાવા અને શકુંતલાબેન વસાવા ડોર ટુ ડોર પ્રચાર કરી રહી છે.

Advertisement

તો બીજી તરફ ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા પણ ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. તેમની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને આગેવાનો પ્રચાર કરી રહ્યા છે. ગામે -ગામ, શેરીએ શેરીએ ફરીને ચૈતર વસાવા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આવામાં ચૈતર વસાવાને સપોર્ટ કરવા તેમની ધર્મપત્નીઓ પણ ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ગયા છે.

Advertisement
Continue Reading

Politics

ચૈતર વસાવા પર લાગેલી નર્મદા જીલ્લાની પ્રવેશબંધી હાઈકોર્ટે દૂર કરી,આવતીકાલે ઉમેદવારી નોંધાવશે

Published

on

નર્મદા જીલ્લામાં આદિવાસી નેતા તરીકે ઉભરી આવેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસવા સામે વનવિભાગના અધિકારીને માર મારવાનો અને ધાકધમકીનો આરોપ હતો જે આરોપ બાદ લાંબા જેલવાસ ભોગવ્યા પછી કોર્ટે તેઓને શરતી જામીન આપી હતી.

Advertisement

જામીનની શરતોમાં તેઓ નર્મદા જીલ્લામાં પ્રવેશ નહિ કરી શકે તે મુખ્ય શરત હતી.જોકે હાલ તેઓ લોકસભાના ઉમેદવાર હોય હાઈકોર્ટમાં તેઓએ નર્મદા જીલ્લામાં પ્રવેશ માટે માંગણી કરતા નામદાર હાઈકોર્ટે તેઓને પ્રવેશ માટે છૂટ આપવામાં આવી છે.

ભાજપ વિરુદ્ધ ઇન્ડિયા એલાયન્સ દ્વારા ભરૂચ લોકસભાની બેઠક આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે અનામત કરવામાં આવી છે. ત્યારે આ બેઠક પ્રપ દેડિયાપાડા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ચુંટણી લડવા જઈ રહ્યા છે.

Advertisement

આવતીકાલે તેઓ પોતાના સમર્થકો સાથે ચુંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરનાર છે. ત્યારે ઉમેદવારી નોંધાવવાના એક દિવસ પહેલા જ તેઓને હાઈકોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે.

Advertisement

નમર્દા જીલ્લામાં તેઓ પર પ્રવેશ અંગે લાગેલા પ્રતિબંધને હાઈકોર્ટે રદ્દ કરીને તેઓને ચુંટણી પ્રચાર માટે છૂટછાટ આપી છે. આ પરવાનગી મળતા જ નર્મદા જીલ્લામાં આમ આદમી પાર્ટીના સમર્થકો ઉત્સાહમાં આવી ગયા છે.

ચૈતર વસાવા અત્યાર સુધી ભરૂચ જીલ્લામાં જ પોતાનો ચુંટણી પ્રચાર કરી શકતા હતા. વનવિભાગના અધિકારી પર હુમલાના કિસ્સામાં નર્મદા જીલ્લામાં તેઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો. જોકે ચુંટણીના પ્રચાર માટે તેઓને હાઈકોર્ટે રાહત આપી છે.

Advertisement

આવતીકાલે તેઓ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓના સમૂહ સાથે ભરૂચ લોકસભા બેઠકના ચુંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જનાર છે. જે માટે આજે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિવિધ સ્થળે થી 6 જેટલા બેન્ડ પણ બોલાવવામાં આવ્યા છે. જે બેન્ડ ચૈતર વસવાની રેલીમાં જોડાશે.

Advertisement
Continue Reading

Politics

ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ધીંગાણું,વિદેશી મુસ્લિમ વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં નમાઝ અદા કરતા બે જૂથના વિદ્યાર્થીઓ સામસામે

Published

on

https://www.instagram.com/reel/C4mo5bkxYpi/?igsh=MThjcTJ6c28zMDA1dQ==

મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાની અને અન્ય વિદ્યાર્થીઓ પર કેસરી ખેસ પહેરીને આવેલા કેટલાક લોકોએ હુમલો કર્યો છે. જયશ્રી રામના નારા સાથે ટોળું હોસ્ટેલની પ્રિમાઈસીસમાં ઘૂસ્યું હતું અને વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરી હોસ્ટેલમાં તોડફોડ પણ કરી હતી. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ અને તંત્ર પણ વિદેશી વિદ્યાર્થીની સલામતીમાં નિષ્ફળ નિવડ્યું છે. ત્યાંના રેકટર પણ ઊંઘતા ઝડપાયા છે.

હાલ આ મામલે હર્ષ સંઘવીએ શાહીબાગ સર્કિટ હાઉસમાં બેઠક બોલાવી છે. રાજ્યના DGP અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સર્કિટ હાઉસ પહોંચ્યા હતાં. જેની થોડી વાર બાદ IBના વડા આર.બી. બ્રહ્મભટ્ટ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિક અને ક્રાઇમ JCP નીરજ બડગુજર સર્કિટ હાઉસ પહોંચ્યા છે. હાલમાં સાયબર ક્રાઇમના DCP અજિત રાજીયન સર્કિટ હાઉસ પહોંચ્યા છે. તો ઝોન 1ના ઇન્ચાર્જ ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે પહોંચી છે.

Advertisement

Continue Reading
Advertisement

Trending