Connect with us

Vadodara

નવા પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમરે ચાર્જ સાંભળતા જ માથાભારે તત્વો સામે કાર્યવાહી શરુ કરી, ગુન્હેગારોમાં ફફડાટ ફેલાયો

Published

on


વડોદરા શહેરમાં હવે માથાભારે તત્વોની ખેર નહિ. કારણકે, હવે મૂળ કર્ણાટકના નરસિમ્હા કોમરએ વડોદરા પોલીસ કમિશ્નરનો ચાર્જ સાંભળતાના 24 કલાકમાં જ માથાભારે તત્વો સામે કાર્યવાહી શરુ કરી દીધી છે. જેને લઈને ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટિમ દ્વારા શહરેના વિવિધ વિસ્તારોમાં દારૂની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા અને માથાભારે છાપ ધરાવતા બુટલેગર મુક્કુ ઉર્ફે મુકેશ નારાયણદાસ મખીજાની સામેની પાસા દરખાસ્ત કરવામાં આવી હતી.

અને આ દરખાસ્તને વડોદરાના નવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે મંજુરી આપી છે. જેને લઇને પાસા વોરંટ અંતર્ગત બુટલેગર મક્કુને અટકાયત કરી તેને પાલનપુર જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. નવા પોલીસ કમિશ્નરની આવી કામગીરીથી લોકોમાં પણ સુરક્ષાનો વિશ્વાસ જોવા મળી રહ્યો છે.

Advertisement

તરસાલીનો રહેવાસી 46 વર્ષીય બુટલેગર મુક્કુની સામે મંજુસર, બાપોદ, વડોદરા તાલુકા અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં દારૂ સંબંધિત 24 ગુનાઓ નોંધાયા છે. જેને લઈને મુક્કુની જાન્યુઆરી મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. અને હવે તેને પાસા વોરંટ અંતર્ગત પાલનપુર જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ પોલીસ વિભાગની આ કામગીરીને લઈને બુટલેગરો તેમજ માથાભારે આરોપીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

Advertisement

Vadodara

લગ્નમાં મોસાળું લઈને જતા લોકોને ભાદરવા સાંકરદા રોડ પર અકસ્માત નડ્યો, 1નું મોત, 25 ઘાયલ

Published

on


લગ્નમાં મોસાળું લઈને જતા આઇસરને અકસ્માત નડ્યો. સાવલીના ભાદરવા સાંકરદા રોડ પર ટ્રક અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જયારે 1નું મોત નીપજ્યું છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, અડાસ ગામે લગ્નમાં મોસાળું લઈને જતા લોકોને અકસ્માત નડ્યો. જેમાં સાવલીના ભાદરવા સાંકરદા રોડ પર બાવાના મઢી પાસે મોક્સી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 25 લોકો ઘાયલ થયા છે જયારે એકનું મોત નીપજ્યું છે. ભારદાઈ વાહન વચ્ચે અકસ્માતમાં સર્જાતા ભારે આફ્ટર તફરીનો માહોલ સર્જાયો હતો.

Advertisement

મોક્સી ગામ નજીક ટ્રક અને આઇસર સામસામે અથડાતાં અકસ્માત થયો હતો. અકસ્માતના પગલે ઇજાગ્રસ્તોની ચિચિયારી અને આક્રંદના પગલે વાતાવરણ ગમગીની ભર્યું બન્યું હતું. અકસ્માતના પગલે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા વધુ સારવાર અર્થે વડોદરા SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Advertisement
Continue Reading

Vadodara

બુટલેગર વિપુલ પંચાલના શરાબના ગોડાઉન પર શહેર પીસીબી શાખાએ દરોડો પાડ્યો

Published

on

વડોદરા શહેરના મકરપુરા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ઘાઘરેટીયામાં મકાન ભાડે રાખીને વિદેશી શરાબનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમી શહેર પીસીબી શાખાની ટીમને મળતા પીસીબી શાખાએ દડો પાડ્યો હતો.

જેમાં મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે બે આરોપીઓની ધરપકડ કરીને શરાબનો જથ્થો મંગાવનાર મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર પીસીબી શાખાની ટીમને બાતમી મળી હતી કે, મકરપુરા વિસ્તારમાં આવેલા ઘાઘરેટીયા નજીક કૃષ્ણનગર સરકારી સ્કૂલ પાસે બુટલેગર વિપુલ રમેશભાઈ પંચાલ દ્વારા પગારદાર માણસો રાખીને એક મકાનમાં વિદેશી શરાબનો જથ્થો ભેગો કરેલો છે. જે શરાબના જથ્થાની હોમ ડિલિવરી કરવા માટે ટુવિલર વાહન પર પગારદાર માણસો ધક્કા ખાય છે.

જે માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈને દરોડો પાડતા કૃષ્ણનગરમાં આવેલા એક મકાનમાં વિદેશી દારૂની વોડકા, બીયર સહિતની 3124 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી બુટલેગર વિપુલ પંચાલ દ્વારા નોકરી પર રાખવામાં આવેલા નરેશ પરમાર તેમજ રાજુભાઈ બારીયાની ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય સૂત્રધાર વિપુલ રમેશભાઈ પંચાલ, રહે. કૃષ્ણનગર ઘાઘરેટિયા ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસે સ્થળ પરથી એક જુપીટર મોપેડ, બે મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ શરાબનો જથ્થો મળીને 7,83,229 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, બુટલેગર વિપુલ રમેશ પંચાલ વડોદરા શહેર-જિલ્લામાં લગભગ 40 જેટલા પ્રોહિબિશનના ગુનામાં અગાઉ ઝડપાયેલો છે. તેમ છતાં પોલીસથી છૂપી રીતે મોટા પ્રમાણમાં વિદેશી શરાબનું વેચાણ કરતો હોય છે. એક વર્ષ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ ઘાઘરેટીયા કૃષ્ણનગરમાં દરોડો પાડીને વિપુલ પંચાલનો મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સાથે થોડા સમય પહેલા વરણામાં પોલીસે પણ બુટલેગર વિપુલ પંચાલને શરાબના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. તેમ છતાં પણ વિપુલ પંચાલ વિદેશી શરાબના વેપલામાં સતત કાર્યરત રહ્યો છે. હાલ શહેર પીસીબી શાખાએ આરોપી વિપુલ રમેશ પંચાલને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરી છે.

Advertisement
Continue Reading

Vadodara

દેવદુર્લભ કાર્યકરોની દાદાગીરી: દુકાનદારે કોર્પોરેટરને ખુરશી નહિ આપી તો,2000નો દંડ કરાવ્યો!

Published

on


ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે નીકળતા દેવદુર્લભ કાર્યકરોની દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક દુકાનદારે ભાજપના નેતાઓને બેસવા માટે ખુરશી નહિ આપતા કાર્યકર્તાઓએ તેની દુકાન બંધ કરાવી દેવા સુધીની ધમકી ઉચ્ચારી દીધી હતી. એટલું જ નહિ પાલિકાના અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોચી જઈને દુકાનદારને દુકાનની બહાર ગંદકી કરવા બદલ 2000 રૂ. નો દંડ પણ ફટકારી દીધો હતો.

Advertisement

વડોદરા શહેરના વોર્ડ 10 વિસ્તારમાં ભાજપ દ્વારા ફેરણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં એક કોમર્શીયલ કોમ્પ્લેક્ષ પાસે ભાજપના કાર્યકરો અને નગરસેવકો સહીત વોર્ડના આગેવાનો એકત્રિત થયા હતા.તે સમયે  પાન પડીકીના દુકાનદારે દુકાનની બહાર મુકેલી ગ્રાહકો માટેની ખુરશીઓ ઉઠાવીને દુકાનની અંદર મૂકી દીધી હતી. જે બાદ એક કાર્યકર્તાએ દુકાનદાર પાસે આવીને મહિલા કાઉન્સિલરને બેસવા માટે એક ખુરશી માંગી હતી.

દુકાનદારે દુકાનની અંદર મૂકી દીધેલી ખુરશી પૈકી એક ખુરશી કાર્યકર્તાને આપી હતી.એટલી વારમાં અન્ય કાર્યકરો આવી ગયા હતા. અને “તું કોર્પોરેટરને ખુરશી નથી આપતો?” તેમ કહીને દુકાનદારને ખખડાવવાનું શરુ કરી દીધું હતું. દુકાનદારે એમ કહ્યું કે, “મેં ખુરશી આપવાની ક્યાં ના પાડી છે? આવવા જવાનો રસ્તો છે. એટલે ખુરશી લીધી છે,તમે દાદાગીરી કેમ કરો છો?” એટલામાં એક કાર્યકર આવીને દુકાનદારને કહેવા લાગ્યો કે હવે છેને સાંજે ખુરશીઓ દુકાનની બહાર મુકતો જ ના..એટલામાં બીજા ઉત્સાહી કાર્યકરે આવીને દુકાનદારને માપમાં રહેવા ધમકાવી અને હવે અહિયાં કોઈ દારૂ પીશે ને તો તારી પણ દુકાન બંધ કરાવી દઈશ તેવી ધમકી ઉચ્ચારી હતી.

Advertisement

એક કાર્યકરે દુકાનની બહાર મુકેલા સ્ટેન્ડ ઉઠાવીને પણ થોડે આગળ મૂકી દીધા હતા. અને દુકાનની બહાર કોઈ સામાન નહિ મુકવા અંગે ગર્ભિત ધમકી આપી દીધી હતી. ઘટનાબાદ થોડા જ સમયમાં પાલિકાના વોર્ડ 10ના સેનેટરી શાખાના અધિકારીઓ દુકાનદાર પાસે પહોચી ગયા હતા અને દુકાન બહાર ગંદકી રાખે છે તેમ કહીને દુકાનદારને 2000 રૂ. નો દંડ કરીને પાવતી આપી દેવામાં આવી હતી.

ભાજપના આ દેવ દુર્લભ કાર્યકરોની દાદાગીરીની ચર્ચા સમગ્ર વેપારી આલમમાં ચાલી છે. એક ખુરશી માટે દુકાનદાર પર કરવામાં આવેલા દબાણ અને બોલાચાલીના સીસીટીવી પણ સામે આવ્યા છે. જોકે શિસ્તના નામે ચાલતી પાર્ટીમાં હાલ કશું શિસ્તમાં નથી. ભાજપના કાર્યકરો છાશવારે સામાન્ય નાગરિકોને ધમકાવતા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.અને ભાજપ પક્ષના આગેવાનો આવા કાર્યકરો પર કાર્યવાહી કરવાને બદલે તેઓને છાવરે છે.     

Advertisement
Continue Reading
Advertisement

Trending