Connect with us

Farm Fact

રેવા કિનારે કહોણા ગામના શ્રી રામાનંદ સેવા આશ્રમમાં આધ્યાત્મિકતા અને પ્રાકૃતિક ખેતીનો અદભૂત સંગમ

Published

on

પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છુક ખેડૂતોને જીવામૃત અને ઘનામૃતનું કરી રહ્યા છે વિનામૂલ્યે વિતરણ ખેતી કરવી એ પ્રકૃતિની આરાધના કરવા સમાન, ખેતી માટે પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ પદ્ધતિ: મહંતશ્રી સીતારામદાસ મહારાજ

  • મહંત શ્રી સીતારામદાસ મહારાજના સાનિધ્યમાં શાસ્ત્રોના સૂત્રોથી સિંચાઈ રહ્યું છે ‘મોડેલ પ્રાકૃતિક કૃષિ ઉપવન’
  • આસપાસના ગામના ૨૦૦૦ લોકોએ આ મોડેલ ફાર્મની મુલાકાત લઈ ખેતીની નવતર પદ્ધતિઓ વિશે જાણકારી મેળવી

વડોદરાના કરજણ તાલુકાના કહોણા ગામમાં આવેલો શ્રી રામાનંદ આશ્રમ, આધ્યાત્મિક શાંતિ અને પ્રાકૃતિક કૃષિના મોડેલ ફોર્મનું અનોખું ઉદાહરણ છે. આ આશ્રમના મહંત શ્રી સીતારામદાસ મહારાજે માત્ર ભક્તિમાર્ગ જ નહીં, પરંતુ પ્રકૃતિપ્રેમનો પણ માર્ગ દર્શાવ્યો છે. તેઓ છેલ્લા ૧૩ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીને ‘જળ, જમીન અને જન’ની સેવા કરી રહ્યા છે.

https://www.instagram.com/reel/DOdAkm2jJa6/?igsh=Ym16OHBmNDV3OGZt

મહંત શ્રી સીતારામદાસજી મહારાજ વર્ષ ૧૯૯૧ માં પોતાના ગુરુજી પંડિત શ્રી અખિલેશ્વર મહારાજની આજ્ઞાથી નર્મદા મૈયાના કિનારે અને પ્રકૃતિના ખોળે વસેલા એવા કરજણ તાલુકાના કહોણા ગામે આવીને આશ્રમ સ્થાપીને પ્રભુ ભક્તિમાં જોડાયા હતા. મહંતજી તેમના ગુરુજી સાથે અહીં રહ્યા અને આ જગ્યા પર ભજન-કીર્તન કરવા સાથે તેમના આશ્રમની જગ્યામાં ગૌસેવા કરવાની શરૂઆત કરી.

ગૌ સેવા સાથે પ્રકૃતિની સેવા કરી શકાય તેવા આશયથી તેમણે આજ થી ૧૩ વર્ષ પહેલા તેમણે પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી દીધી હતી. આજે આશ્રમમાં રાખવામાં આવેલી ૮૦ જેટલી દેશી ગાયો, ખેતી માટે જરૂરી જીવામૃત અને અન્ય પોષક તત્વો પૂરા પાડીને આ ખેતીનો આધાર બની છે. તેઓ ઈન્ટરક્રોપ કરે છે તે સાથે જીવામૃત અને ઘન જીવામૃત પોતાના જાતે જ બનાવે છે.

આજે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા મહંતજી તેમના ૧૫ વીઘા જમીનમાં લીંબુ, ખજૂર, હળદર અને વિવિધ ફળો- શાકભાજીનું વાવેતર કર્યું છે. તેમના ખેતરમાં આજે ૫૨૦ જેટલા લીંબુના ઝાડ છે. લીંબુ સાથે સીઝનલ ખેતીમાં ગુલાબ, સહિત ફળોમાં પણ પ્રાકૃતિક ખેત પદ્ધતિથી મબલખ પાક મળી રહ્યો છે.

તેમના સફળ પ્રયોગોના કારણે તેમના ફાર્મને આત્મા દ્વારા ‘મોડેલ ફાર્મ’ તરીકે ઓળખ આપી છે. તેમના ખેતરમાં ખાસ કરીને લીંબુ અને ફળોનું ઉત્પાદન એટલું બધું થાય છે કે અન્ય ખેડૂતો પણ તેમના માર્ગદર્શન માટે અહીં આવે છે. મહંતજીની આ પ્રેરણાદાયી પ્રયત્નોને આત્મા પ્રોજેક્ટ દ્વારા પણ સહકાર મળ્યો છે. આત્મા દ્વારા જીવામૃત- ઘનજીવામૃત બનાવવા માટે જરૂરી સાધનોની પણ સહાય આપવામાં આવી છે.

ખેતી કરવી એ પ્રકૃતિની આરાધના કરવા સમાન છે, આ વિચારને મહંતજી એ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ થકી પોતાના જીવનમાં ઉતારીને પુરવાર કર્યું છે. તેઓના મતે આધ્યાત્મિકતા અને પર્યાવરણ સંરક્ષણ એકબીજાના પૂરક છે. તેમના આશ્રમમાં બનાવેલું ‘મોડેલ ફાર્મ’ એ વાતનો જીવંત પુરાવો છે.

પ્રાકૃતિક ખેતી વિશે મહંતજી શ્રી સીતારામદાસ મહારાજ જણાવે છે કે, જીવનનો સાચો હેતુ માત્ર આધ્યાત્મિક ઉન્નતિ જ નહીં, પરંતુ પ્રકૃતિ અને સમાજની સેવા પણ છે. આપણે પ્રકૃતિની સંભાળ રાખીશું, તો પ્રકૃતિ પણ આપણને પુષ્કળ ફળ આપશે. જો રાસાયણિક ખાતરોનો ઉપયોગ થકી પ્રકૃતિનું શોષણ કરીશું તો પ્રકૃતિ પણ આપણું શોષણ કરશે.

આ આશ્રમ માત્ર પૂજા-પાઠનું કેન્દ્ર નથી, પણ પ્રાકૃતિક ખેતીના શિક્ષણ અને જાગૃતિનું પણ કેન્દ્ર બન્યું છે. અત્યાર સુધીમાં ૨૦૦૦ લોકોએ આ મોડેલ ફાર્મની મુલાકાત લીધી છે અને આશ્રમ દ્વારા ખેતીની નવીન પદ્ધતિઓ વિશે જાણકારી મેળવી છે. આસપાસના ગામના પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છુક ખેડૂતોને વિનામૂલ્યે જીવામૃત અને ઘનામૃત પણ આપે છે.

આટલુજ નહીં, શ્રી રામાનંદ આશ્રમમાં ભક્તિ અને જ્ઞાનનું વાતાવરણ અવિરત રહે છે. અહીં અખિલેશ્વર મહાદેવ, શ્રી શનિદેવ, શ્રી સર્વેશ્વર ગણપતિ અને શ્રી હસમુખા હનુમાનજી બિરાજમાન છે, અને શાસ્ત્રીય પંડિતો દ્વારા સતત શાસ્ત્રોનું પઠન થાય છે. અહીં આ આશ્રમમાં નર્મદા પરિક્રમા, નર્મદા જયંતી, ચૂંદડી ઉત્સવ, અને હનુમાન જયંતી જેવા પર્વો ભવ્યતાથી ઉજવવામાં આવે છે.

મહંત શ્રી સીતારામદાસ મહારાજનો આ આશ્રમ ખરા અર્થમાં “આધ્યાત્મ, આરોગ્ય અને પ્રાકૃતિક ખેતી” નો અનોખો સંગમ છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે, “સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા:,” મહંતજીએ આ ઉક્તિને પોતાની પ્રાકૃતિક ખેતી દ્વારા સાર્થક કરી બતાવી છે.

Continue Reading
Padra10 hours ago

પાદરા: ખેતરની ઓરડીમાં ચાલતું ‘મીની બાર’ ઝડપાયું; LCB એ પિતા-પુત્રની કરી ધરપકડ, ₹4.11 લાખનો મુદ્દામાલ જપ્ત

Vadodara10 hours ago

વડોદરા: કરચિયા યાર્ડમાં ફરજ દરમિયાન કરંટ લાગતા રેલવે ખાલાસીનું મોત; પરિવારને વળતર અને નોકરીની ખાતરી

Dabhoi10 hours ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Gujarat11 hours ago

ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર: 254 PSI ને PI તરીકે બઢતી સાથે બદલીના આદેશ; ચૂંટણી પૂર્વે ગૃહ વિભાગનો મોટો નિર્ણય

International12 hours ago

મોંઘવારીનો ડબલ ડોઝ: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે રશિયાએ ભારત માટે તેલ અને ખાતરના દરવાજા કર્યા બંધ

Vadodara1 day ago

વડોદરા: રામનવમી પર્વે કુંભારવાડામાં પોલીસનો એક્શન પ્લાન; શોભાયાત્રાના રૂટ પર ડ્રોન ઉડાવાયા, ધાબા ચેકિંગ શરૂ

Gujarat1 day ago

ગુજરાત ભાજપનું નવું પાર્લામેન્ટ્રી બોર્ડ જાહેર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વરિષ્ઠ નેતાઓને કમાન

Chhotaudaipur1 day ago

બોડેલી: રેતી ભરેલા ડમ્પરનો આતંક; સ્કૂટર સવાર આધેડને 100 ફૂટ સુધી રસ્તા પર ઢસડ્યા, ગંભીર હાલતમાં વડોદરા રિફર

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Dabhoi10 hours ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Vadodara2 days ago

વડોદરા: ઝોન-2 ના 6 પોલીસ સ્ટેશનોના લાખોની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું; કોયલી ચેકપોસ્ટ પાસે કરાયો નાશ

Vadodara6 days ago

વડોદરા: સુસેન રોડ પર કોર્પોરેશનનું ‘વન ડે વન રોડ’ અભિયાન, નોટિસ વિનાની કાર્યવાહીથી વેપારીઓ લાલઘૂમ.

Vadodara1 week ago

વડોદરા: તુલસીવાડીમાં યુવક પર તલવાર-ગુપ્તીથી હુમલો, હોસ્પિટલમાં પણ હુમલાખોરનો આતંક!

Vadodara1 week ago

વડોદરા: ‘કાગળ પર સ્ટોક પૂરતો, પણ બજારમાં અછત’, ગેસ માટે વેપારીઓ અને સેવાભાવી સંસ્થાઓ મજબૂર

Vadodara1 week ago

વડોદરાના નાગરવાડામાં ટ્રિપલ અકસ્માત: નશામાં ધૂત રિક્ષા ચાલકે પિતા-પુત્રને ઉડાવ્યા.

Vadodara2 weeks ago

ગલીએ-ગલીએ ‘નવા ડોન’નો ઉદય: મકરપુરા અને બરોડા ડેરી પાસે મારામારીના દ્રશ્યોથી ભયનો માહોલ.

Vadodara2 weeks ago

વડોદરામાં ખાખી પર હુમલો: કારેલીબાગમાં ઝઘડો શાંત કરાવવા ગયેલી પોલીસ પર હિંસક હુમલો.

Trending