Connect with us

Vadodara

ચૂંટણી અધિકારી વિવેક ટાંક પર ચૂંટણી એજન્ટના કાઉન્ટિંગ ફોર્મ 18 વિશે ખોટી માહિતી આપી હોવાના  આક્ષેપ

Published

on


કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવદનપત્ર પાઠવી રજૂઆત

4 જૂન આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવશે. પરિણામ જાહેર કરવામાં આવશે. આવતીકાલે તમામ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાંથી ખુલશે. કોંગ્રેસના ચૂંટણી એજન્ટ દ્વારા પણ મતગણતરીને લઈને તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે મત ગણતરીના આગલા દિવસે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. જેમાં અધિકારી વિવેક ટાંક દ્વારા કથિત રીતે ચૂંટણી એજન્ટના-કાઉન્ટિંગ એજન્ટના ફોર્મ 18 વિશે ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

મંગળવારે મતગણતરી પ્રક્રિયા હાથધરાશે. ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત કરાયેલી માર્ગદર્શિતાનું સખ્તપણે પાલન કરવામાં આવે આ સહિતની અનેક માંગ સાથે મતગણતરી પૂર્વે સોમવારે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટર અને ચૂંટણી અધિકારી બીજલ શાહને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોષી, પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સહિત કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા.

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે, આવતીકાલે જ્યારે લોકસભાની ચૂંટણીની મતગણતરી થવાની છે. ત્યારે અમારા કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી એજન્ટ દ્વારા જે પ્રોસિજર છે તે પૂરો કરવામાં આવ્યો છે. પરંતુ જ્યારે વિધાનસભા મુજબ જે ફોર્મ 18 નો નમૂનો છે. એમાં પણ લખેલું છે ઈસીઆઈની ગાઈડલાઈન મુજબ નિયમ છે કે, દરેક વિધાનસભા વાઈઝ 15 નામો મૂકવાના હોય છે.

અમારા ચૂંટણી એજન્ટ દ્વારા વારંવાર મૌખિક અને રૂબરૂમાં રજૂઆત કરવા છતાં પણ જે ચૂંટણી અધિકારી નીચે અહીંયા ટાંક સાહેબ છે. એમના દ્વારા અમારા ચૂંટણી એજન્ટને એક જ વાત કહેવામાં આવે છે કે તમારે વિધાનસભા વાઈઝ 14 નામ મુકવાના છે. જેને કરીને અમે રજૂઆત કરી કે નિયમ મુજબ 15 નામ છે, તેમ છતાં 14 નામ લીધા અને જ્યારે ગઈકાલે અમે કલેકટરની ઓફિસ પાસે આવ્યા અને જ્યારે ખબર પડી કે ભારતીય જનતા પાર્ટી પાસેથી 15 નામો લીધા છે. તો આજે રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ સાથે અન્યાય કેમ ? અમારા કેમ 14 નામ, અમારે પણ 15 હોવા જોઈએ નિયમ પ્રમાણે. તેમ છતાં પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થતો હોઈ એમ લાગે છે. ચાલુ ચૂંટણીમાં પણ  ઘણી બધી ફરિયાદો કરી છે. સંતોષકારક જવાબ નથી મળ્યા. કાઉન્ટિંગમાં અમે તો સહકાર આપવા માંગીએ છીએ. કારણ કે અમે તો પ્રજાના મતથી અમે જીતવાના છીએ. ત્યારે આ બધી બાબતે રજૂઆત કરી છે.

સાથે સાથે જે અગાઉ જે કાઉન્ટિંગ 2019 ની લોકસભા હોય કે 2022 ની વિધાનસભામાં જે અનુભવ થયા છે. ત્યારે આ વખતે પહેલા રાઉન્ડનું જ્યારે કાઉન્ટિંગ ચાલતું હોય ત્યારે જ્યાં સુધી એનાઉન્સમેન્ટ ન થાય અને નોટિસ બોર્ડ પર ન લખાઈ જાય ત્યાં સુધી બીજા રાઉન્ડનું કાઉન્ટિંગ શરૂ કરવું નહીં અને નાની નાની બાબતો છે. એનું ખાસ કરીને ધારો કે પોસ્ટલ બેલેટ એની જે મત ગણતરી થાય તો ઇવીએમ મશીનનું કાઉન્ટિંગનું રીઝલ્ટ છે. એના પહેલા પોસ્ટલ બેલેટની જાહેરાત થાય એવી પણ અમે રજૂઆત કરી છે. કારણ કે ભૂતકાળમાં કડવા અનુભવ થયા છે. હાલ તેમણે કીધું છે કે તમારા પણ વિધાનસભા વાઈઝ 15 નામો લઈશું. કારણ કે જે 15 મું નામ હોય છે. એ જે એમનો એઆરઓ બેઠો હોય છે.


એની બાજુમાં રાજકીય પક્ષનો અમારો પ્રતિનિધિ હોવો જોઈએ. આ બાબતે પણ અમે રજૂઆત કરી છે. કારણ કે કલેક્ટર સાહેબ છે. એ ઈસીઆઈની ગાઇડલાઇનની વાત કરે છે. પરંતુ કદાચ એમની નીચેના અધિકારીઓ જે છે એમને ટ્રેનિંગમાં ભૂલ થઈ ગઈ છે કદાચ અથવા તો જાણી જોઈને પક્ષપાતનું વલણ અપનાવે છે એ બહુ મોટો પ્રશ્ન છે એટલે આ લોકોની નિષ્પક્ષતા પર પણ સવાલ ઊભો થાય છે.

Blog

પોરથી વડોદરા જાંબુઆ બ્રિજ પર લાંબો ટ્રાફિકજામ,વાહનચાલકો અટવાયા

Published

on

વડોદરામાં એક તરફ વરસાદે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડાવી દીધા છે. બીજી તરફ રસ્તાઓ ધોવાતા માર્ગો પર ખાડા રાજ ઉભું થયું છે. ત્યારે શનિવારે સવારે 9:15 કલાકની આસપાસ પોરથી વડોદરા જાંબુઆ બ્રિજ પર 5 કિમી લાંબો ટ્રાફિકજામ થયો હતો. જેના દ્રશ્યો વડોદરાના એક નાગરિકે પોતાની કારમાંથી મોબાઈલમાં કેદ કરી લીધા હતા.

કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરાની તંત્રના પાપે દુર્દશા થઈ છે. જ્યાં જુવો ત્યાં ખાડા-ખાડા તો કેટલાક વિસ્તારોમાં ગાબડા અને ભુવા નિર્માણ પામ્યા હતા. જ્યારે કેટલાક માર્ગો પર તો આખા રોડ પણ બેસી ગયા હોવાના કિસ્સા બન્યા હતા. ત્યારે હવે શહેર બાદ શહેરને જોડતા માર્ગની પણ બિસ્માર હાલત થઈ છે. જેના કારણે સવારે કામ ધંધે જઈ રહેલા અનેક લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.

લાખો કરોડો રૂપિયા રોડ રસ્તા પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યા હોવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. ત્યારે, શનિવારે વહેલી સવારથી પોર થી વડોદરા – જામ્બુવા બ્રિજ પર 5 કિમી ટ્રાફિક જામ થયો હતો. તંત્ર ના વાંકે અને ટ્રાફિક પોલીસની અણઆવડતના કારણે જામ્બુવા બ્રિજ પર દરરોજ ટ્રાફિક જામ થાય છે. જેના કારણે કિલોમિટર સુધીનો ટ્રાફિક જામ થાય છે.

આજે સવારે પણ આજ રીતે જામ્બુવા બ્રિજ પર પડેલા મોટા ખાડા ઓના કારણે આલમગીરથી જામ્બુવા બ્રિજ સુધી ટ્રાફિક જામ થયો હતો. જેના કારણે હજારો નાગરિકો ટ્રાફિકમાં ફસાયા હતા. જેના વીડિયો વડોદરાના એક નાગરિકે પોતાના મોબાઈલમાં ચાલુ કારમાંથી ઉતારી વાયરલ કર્યા હતા.

Continue Reading

Dabhoi

ડભોઇના કરણેટ ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા,રેતી ખનન ઝડપાયું

Published

on

વડોદરા શહેર-જિલ્લામાં પહેલા વરસાદમાં જ પૂર જેવી સ્થિતીનું નિર્માણ થયું હતું. આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. તેવામાં પણ ડભોઇ પાસેના કરનેટ ગામે ખનીજ માફીયાઓ દ્વારા રેતી ઉલેચવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. ખાણ-ખનીજ વિભાગના દરોડામાં કરનેટ ગામેથી લાખો રૂપિયાના મુદ્દામાલની મશીનરી જપ્ત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આમ, પૂર જેવી સ્થિતી પણ ખનીજ માફીયાઓના હોંસલા નબળા પાડી શકી ન હોવાનું સપાટી પર આવ્યું છે.

22, જુલાઇના રોજ અવિરત વરસેલા વરસાદના કારણે વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરમાં નવા નીર આવ્યા હતા. આજવા સરોવરે સલામત સપાટી વટાવતા તેમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જે બાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, તો બીજી તરફ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. પરંતુ આવી સ્થિતી પણ ખનીજ માફીયાઓની હિંમત ડગમગાવી શકી ન્હતી.

ડભોઇના કરનેટ ગામે છેલ્લા લાંબા સમયથી નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ઉલેચવાનું કાર્ય ચાલુ હતું. બેરોકટોક ચાલતા ખનીજચોરીના કૌભાંડ પર તાજેતરમાં ખાણ-ખનીજ વિભાગની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 5 ટ્રક અને જેસીબી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા. આ મુદ્દામાલની કિંમત આશરે રૂ. 80 લાખથી વધુ આંકવામાં આવી રહી છે. ખાણ-અને ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની ચોતરફથી સરાહના કરવામાં આવી રહી છે. તો બીજી તરફ તંત્ર દ્વારા મનાઇ છતાં ગેરકાયદેસર ખનન કરનારા તત્વોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે.

Continue Reading

Vadodara

ઘોડા છૂટી ગયા બાદ તબેલા ને તાળા મારવાનો શું અર્થ?, સત્તાધીશો જ શહેરમાં પૂર લાવ્યાનો પુરાવો સામે આવ્યો!

Published

on

  • જે ઇજારો ચોમાસુ શરૂ થાય તે પહેલા આપવો જોઈએ, એ ઇજારો શહેરને પૂરમાં ધકેલ્યા બાદ મંજૂરી માટે મુકાયો
  • અધિકારીઓ એ અગાઉથી તાકીદ કરી હતી,પણ નફ્ફટ સત્તાધીશોએ ધ્યાન ન આપ્યું
  • મેયર અને કમિશ્નરને સજાગ કરવા અનેક વાર પત્ર લખાયા,તેમ છતાંય પેટનું પાણી હાલ્યું નહીં

વડોદરા શહેરમાં એક જ દિવસમાં પડેલા ધોધમાર વરસાદ બાદ સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ સ્થિતિ માટે જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. પૂરને કુદરતી આફત ગણાવનારા આ સત્તાધીશોએ જાણી જોઈને પૂરની સ્થિતિનું નિર્માણ કર્યું હોય તેવા પુરાવા પણ સામે આવી રહ્યા છે. જે કામગીરી ચોમાસા પહેલા કરવાની હોય તે કામગીરી સમગ્ર શહેર પૂરમાં ડૂબ્યા બાદ કરવામાં આવી રહી છે.

વડોદરા મહાનગરપાલિકા દર વર્ષે પ્રી મોનસુન કામગીરીનો ડોળ ઉભો કરે છે. કાગળ પર થતી પ્રિમોન્સૂન કામગીરી ક્યારેય વાસ્તવિક રીતે જોવા મળતી નથી. વરસાદીકાંસના હજારો ચેમ્બર સાફ કરી દીધા હોવાનું ઓન પેપર દર્શાવવામાં આવે છે. જોકે ટૂંકા સમયમાં આ કામગીરી પૂર્ણ થાય તેવી કોઈ શકયતા હોતી નથી. વરસાદના સમયે તેમજ ત્યારબાદ વરસાદી ગટરના દુરસ્તીકરણની કામગીરી માટે ઇજારો ખૂબ જરૂરી બને છે. એક સમયે ભારે વરસાદના કારણે કોઈ વિસ્તારમાં પાણી ભરાય તો તેના નિકાલ માટે તાત્કાલિક મશીનરીને કામે લગાડવાની જવાબદારી જે તે ઇજારદારની હોય છે. પરંતુ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આજ દિન સુધી વરસાદી ગટર દુરસ્તીકરણના કામ માટે ઇજારો સોંપવામાં આવ્યો નથી.

પૂર્વ ઝોનના કાર્યપલક ઇજનેરે એક મહિના પહેલા જ ચિંતા વ્યક્ત કરી હતી

આજે જ્યારે વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોએ ત્રણ દિવસ પૂરની સ્થિતિના દર્શન કર્યા બાદ આજની સ્થાયી સમિતિની બેઠકમાં વરસાદી ગટરના દુરસ્તીકરણના કામોને મંજૂરી અર્થે મુકવામાં આવ્યા છે.સ્થાયી સમિતિની આજની મળેલી બેઠકમાં શહેરના દક્ષિણ ઝોન ઉત્તર ઝોન તેમજ પૂર્વ ઝોન ના વરસાદી ગટર દુરસ્તીકરણના કામોનો વાર્ષિક ઇજારો મંજૂરી અર્થે મુકવામાં આવ્યો હતો. જ્યારે શહેરના પશ્ચિમ ઝોન તેમજ ઉત્તર ઝોનમાં વરસાદી ગટર સફાઈ કરવાના કામનો વાર્ષિક ઇજારો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યો છે. વરસાદી ગટરની સફાઈ ચોમાસા પહેલા જ થઈ જવી જોઈએ છતાં સફાઈનો ઈજારો મધ્ય ચોમાસે મંજૂરી માટે મૂકવામાં આવી રહ્યો છે. આ કોઈ ટેકનિકલ ખામી નથી પરંતુ અધિકારીઓ અને સત્તાધીશોની નફ્ફટાઈને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

વડોદરા શહેરના પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર દ્વારા 5 જૂનના રોજ ડ્રેનેજ તેમજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખાના કાર્યપાલક ઈજનેર પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે,પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર દ્વારા 18 જાન્યુઆરી 2024 થી હયાત વરસાદી ગટર દુરસ્તી કરણના કામના વાર્ષિક ઇજારા માટે માંગણી કરવામાં આવી હતી. 13 જુલાઈના રોજ પૂર્ણ થતાં ઇજારામાં નવી ટેન્ડર પ્રક્રિયા ન થાય ત્યાં સુધી વચગાળાના સમય માટે 25 લાખની મર્યાદામાં બે મહિના માટે કામગીરી સોંપવાની માંગણી કરાઈ હતી. ઇજારો 13 જુલાઈ 2024 ના રોજ પૂર્ણ થયો હતો અને ત્યાર પછીની સ્થિતિ માટે ઈજારદારને હંગામી વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો ન હતો.પૂર્વ ઝોનના કાર્યપાલક ઈજનેર દ્વારા નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં ન આવે ત્યાં સુધી 25 લાખની નાણાકીય મર્યાદામાં વરસાદી ગટર દૂરસ્તી કરણ કરવાના કામ માટે બે માસના એક્સટેન્શનની માંગણી કરવામાં આવી હતી. છતાં પણ પાલિકાના ડ્રેનેજ શાખાના અધિકારીઓ દ્વારા આ રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી ન હતી

13 જુલાઈ 2024 થી 26 જુલાઈ 2024 ના સમયગાળામાં પાલિકા પાસે વરસાદી ગટર દુરસ્તી કરણ કરવા માટે કોઈ ઇજારદારને કામગીરી સોંપવામાં આવી ન હતી. આજે 26 જુલાઈના રોજ સ્થાયી સમિતિની બેઠકમાં આ કામગીરીને મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી છે. અને આગામી 10 દિવસમાં ઈજારદારને તેનો વર્ડ ઓર્ડર સોંપવામાં આવશે જો પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ સમય સૂચકતા જાળવીને ઇજારો જાહેર કર્યો હોત તો આજે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ભરાયેલા પાણી કાઢવામાં લાંબો સમય વીત્યો ન હોત.

    Continue Reading

    Trending