Connect with us

Vadodara

દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બની માહિતી મળતા મુસાફરો ગઈકાલ રાતથી અટવાયા, બૉમ્બ ન મળતા મુસાફરો સહીત તંત્રએ રાહતનો શ્વાસ લીધો

Published

on



દિલ્હી થી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ હોવાની માહિતી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. માહિતી મળતા જ તંત્ર દોડતું થઇ ગયું હતું. મુસાફરો સહીત અન્ય લોકોના જીવ પડીકે બંધાયા હતા. આખરે મોડી રાત સુધી ચેકીંગ કર્યા બાદ બૉમ્બ ન મળતા મુસાફરો સહીત તંત્રએ રાહતના શ્વાસ લીધા છે. દિલ્હી થી વડોદરા આવવાની ફ્લાઇટ આજે સવારે 10:15 કલાકે પ્રસ્થાન થશે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે મોડી રાત્રે એર ઇન્ડિયા ફ્લાઈટ AI-819માં બૉમ્બ હોવાની માહિતી મળતા નાસભાગ મચી ગઈ હતી. માહિતી ની જાણ થતા જ એન એસ જી કમાન્ડો, સીઆઈએસએફ, તેમજ સ્થાનીક પોલીસ બૉમ્બ સ્ક્વોડ સાથે તંત્ર દોડતું થયું હતું. અને ફ્લાઈટને 10 કિલોમીટર દૂર ગ્રાઉન્ડ કરવામાં આવી હતી.

Advertisement

બૉમ્બ હોવાની માહિતીના આધારે સુરક્ષાના ભાગરૂપે AI- 819ના યાત્રીઓને પ્રથમ દોઠ કલાક ફ્લાઈટમાં જ બેસાડી રાખવામાં આવ્યા હતા. આખરે મોડી રાત સુધી ચેકીંગ કર્યા બાદ બૉમ્બ ન મળતા તંત્ર અને યાત્રીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. AI – 819 ફ્લાઈટમાં 180 યાત્રી વડોદરા આવવા સવાર થયા હતા. અને હવે બૉમ્બ હોવાની માહિતી થી કેન્સલ થયેલ ફ્લાઈટ આજે 10.15 કલાકે દિલ્હી થી વડોદરા આવવા પ્રસ્થાન થશે.

Advertisement
Vadodara19 hours ago

વિશ્વામિત્રી પ્રોજેક્ટની સમીક્ષા કરવા પહોંચ્યા પાલિકાના સત્તાધીશો, 95 ટકા કામગીરી પૂર્ણ

Vadodara19 hours ago

સસ્તામાં અમેરિકન ડોલર મેળવવાના ચક્કરમાં થેલી ભરેલા રૂપિયા ગુમાવ્યા

Savli4 days ago

સાવલીમાં SMC ના દરોડા, રૂ. 39 લાખનો વિદેશી દારૂ જપ્ત, 19 વોન્ટેડ

Vadodara4 days ago

કારેલીબાગ સ્વિમીંગ પુલમાં મેઇન્ટેનન્સના નામે ‘મીંડું’, ડહોળું પાણી જોઇ સ્વિમર્સમાં રોષ

Vadodara5 days ago

અષાઢી બીજ ને 27 જૂને ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે, ઈસ્કોનમાં રથયાત્રાની તૈયારી શરૂ

Vadodara1 week ago

વડોદરામાં યોજાયેલા ભવ્ય રોડ શો બાદ નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર લખ્યું, ‘Thank You Vadodara!’

Vadodara1 week ago

સિંદૂર સન્માન યાત્રામાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Vadodara1 week ago

મોડી રાત્રે લોકો કારેલીબાગ અને છાણી વિજ કચેરી પહોંચતા ખાલી ખુરશીઓ મળી

Trending