Connect with us

National

મોદી સરકારના બિલમાં શું છે જોગવાઈ જેનો વિપક્ષે ભારે વિરોધ કર્યો

Published

on

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં 130મું બંધારણીય સુધારા બિલ, 2025 રજૂ કર્યું હતું, જેનો વિપક્ષે ભારે વિરોધ કર્યો છે.

બિલની જોગવાઈઓ મુજબ, વડા પ્રધાન, મુખ્ય મંત્રી કે કેન્દ્ર, રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની સરકારના મંત્રીઓને ભ્રષ્ટાચાર કે ગંભીર આરોપ (જેમાં પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે સજાની જોગવાઈ હોય) માટે 30 દિવસ માટે અટકમાં લેવામાં આવે કે ધરપકડ કરવામાં આવે, તો 31મા દિવસે તેમને હઠાવવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ બિલ દ્વારા બંધારણના અનુચ્છેદ 75માં સુધારો કરવામાં આવશે, જે હેઠળ વડા પ્રધાનની સાથે મંત્રીઓની નિમણૂક તથા જવાબદારીઓને નિર્ધારિત કરવામાં આવી છે.

Advertisement

તામિલનાડુમાં ડીએમકે સરકારના મંત્રી વી. સેન્થિલ બાલાજીની ધરપકડને પગલે ઊભા થયેલા વિવાદ બાદ આ ખરડો રજૂ કરવામાં આવ્યો છે. મની લૉન્ડ્રિંગના કેસમાં વી. સેન્થિલની ધરપકડ થઈ હતી, એ પછી તામિલનાડુના રાજ્યપાલ એન. રવિએ તેમને પદ પરથી હઠાવી દીધા હતા.

સુપ્રીમ કોર્ટે વી. સેન્થિલને જામીન આપ્યા હતા, એ પછી મુખ્ય મંત્રીએ તેમને ફરીથી મંત્રી બનાવી દીધા હતા. સુપ્રીમ કોર્ટે સેન્થિલને ફરી મંત્રી બનાવવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. એ પછી મંત્રીમંડળમાં ફેરફાર સમયે વી. સેન્થિલને હઠાવવામાં આવ્યા હતા.

અમિત શાહે મંગળવારે લોકસભા કાર્યાલયને જણાવ્યું હતું કે સંસદના ચાલુ સત્ર દરમિયાન 130મો બંધારણીય સુધાર ખરડો, 2025, જમ્મુ-કાશ્મીર રી-ઑર્ગેનાઇઝેશન (સુધાર) બિલ, 2025 તથા ગવર્ન્મેન્ટ ઑફ યુનિયન ટેરિટરીઝ (સુધાર) બિલ, 2025 રજૂ કરવામાં આવશે.

Advertisement

સંસદના ચોમાસુ સત્રમાં માત્ર બે દિવસ વધ્યા છે. ગુરુવારે ચોમાસું સત્ર સમાપ્ત થઈ જશે.

વર્તમાન જોગવાઈઓ મુજબ, જો કોઈ ધારાસભ્ય કે સંસદસભ્ય દોષિત ઠરે એ પછી જ તેમનું સાંસદપદ કે ધારાસભ્યપદ જતું હતું.

પ્રિયંકા ગાંધી : “કાલ ઊઠીને તમે કોઈ મુખ્ય મંત્રી ઉપર કોઈ પણ કેસ દાખલ કરી શકો છો. તેને કોઈ પણ પ્રકારનો દોષ સાબિત થયા વગર જેલમાં રાખી શકો છો અને તેને મુખ્ય મંત્રીપદેથી હઠાવી દેવામાં આવશે.”

Advertisement

“આ બિલકુલ ખોટું છે, ગેરબંધારણીય, અલોકતાંત્રિક અને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.”

મમતા બેનરજી: “હું ભારત સરકારે રજૂ કરેલા 130મા બંધારણીય સુધાર બિલની ખૂબ જ નિંદા કરું છું. તે ‘સુપર ઇમર્જન્સી’ કરતાં પણ આગળની સ્થિતિ છે. ભારતમાં લોકશાહીના કાળખંડને હંમેશાં માટે ખતમ કરી દેવાનો પ્રયાસ છે.”

આ બિલ અંગે રાજ્યસભામાં કૉંગ્રેસના સાંસદ તથા સુપ્રીમ કોર્ટમાં વકીલ અભિષેક મનુ સિંઘવી: “આ બિલ વિપક્ષને નિશાને લેવા માટે લાવવામાં આવ્યું છે. ધરપકડ સમયે કોઈ નિયમનું પાલન નથી થતું. વિપક્ષના નેતાઓની ધરપકડો વધી છે અને તેમાં વ્યાપક અસંગતિઓ છે.”

Advertisement

“નવો પ્રસ્તાવિત કાયદો સત્તારૂઢ મુખ્ય મંત્રીને ધરપકડ બાદ તરત જ હઠાવી શકાશે. વિપક્ષની સરકારને અસ્થિર કરવાનો આ સૌથી સરળ રસ્તો છે.”

સિંઘવીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર વધુમાં લખ્યું, “વિપક્ષના જે મુખ્ય મંત્રીઓને ચૂંટણી દરમિયાન હઠાવી ન શકાય, તેમની પાછળ પક્ષપાતી કેન્દ્રીય એજન્સીઓને છૂટી મૂકી દો અને વિપક્ષના મુખ્ય મંત્રીઓની મનસ્વી રીતે ધરપકડ કરીને તેમને પદ પરથી હઠાવી દો.”

“બીજી બાજુ, સત્તારૂઢ પક્ષના કોઈ મુખ્ય મંત્રીને કશું નથી થયું.”

Advertisement

ચોમાસુ સત્ર ગુરુવારે (21 ઑગસ્ટ) સમાપ્ત થશે. વર્તમાનમાં મોદી સરકાર પાસે બે-તૃતીયાંશ બહુમત નથી. એવામાં આ બિલ શા માટે લાવવામાં આવ્યું છે?

“ટીડીપીના ટેકાથી જ નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદે છે. આ બિલ દ્વારા એવો માહોલ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે સરકાર રાજકારણમાં અપરાધીકરણ તથા ભ્રષ્ટાચાર સામે કડક વલણ ધરાવે છે.”

આ બિલ પસાર થતાંની સાથે જ રાજ્યપાલ પાસે કોઈ પણ મુખ્ય મંત્રીને હઠાવવાની સત્તા આવી જશે. બીજું કે રાજ્યપાલ ઉપર હોદ્દાનો દુરુપયોગ કરવાના વ્યાપક આરોપ લાગે છે. જોકે, રાજ્યપાલને આ કાયદાની જોગવાઈઓમાંથી બહાર રાખવામાં આવ્યા છે.”

Advertisement

રાજ્યસભામાં રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ ઝા : “આરોપી અને દોષિત વચ્ચેની ભેદ રેખાને ભૂંસવાની તૈયારી થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે ઈડી (ઍન્ફોર્સમેન્ટ ડાયરેક્ટ્રેટ) વિશે કહ્યું હતું કે તે રાજકીય રમતનો ભાગ બની રહ્યું છે.”

“જ્યાં તમે ચૂંટણી જીતી શકો એમ નથી, ત્યાં વિપક્ષને હઠાવવાનો માર્ગ છે. મને લાગે છે કે ગૃહમંત્રી પોતાની પાર્ટીના પણ કેટલાક લોકોને (પદ પરથી) હઠાવી દેવાની તૈયારી કરી રહ્યા છે.”

સીપીઆઈ-એમએલના મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્યે આ બિલની ટીકા કરતાં કહ્યું કે સંસદીય લોકશાહી વ્યવસ્થા પર સીધો પ્રહાર છે. દીપાંકરે કહ્યું કે આ બિલ દ્વારા કેન્દ્રીય એજન્સીઓ ઈડી, સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન), આઈટી (ઇન્કમ ટૅક્સ) તથા એનઆઈએનો (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એન્જસી) દુરુપયોગ વધશે.

Advertisement

Advertisement
Gujarat6 minutes ago

ગુજરાત :પોલીસે વકીલને માર મારતા મામલો બગડ્યો, જિલ્લા કોર્ટ ખાતે બાર એસોસિએશને સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો

Farm Fact1 hour ago

વડોદરા જિલ્લાના નર્મદાના કિનારાના ગામોમાં હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી

Business2 hours ago


Stock market: વર્ષ પૂર્ણ થવામાં હજી 3 મહિના બાકી છે, ભારતીય શેર માર્કેટને હજી વધુ ઝટકા લાગી શકે

Vadodara3 hours ago

માફી કલ્ચર માંથી પોલીસ ક્યારે બહાર આવશે?: તસ્કરો મંદિરમાં ચોરી કરી દાન પેટી ઉઠાવી ગયા

Gujarat3 hours ago

ગુજરાત ભાજપના હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત :ગુજરાત ભાજપના અધ્યક્ષ બન્યા જગદીશ વિશ્વકર્મા વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું

Vadodara4 hours ago

વડોદરા : બાંબૂ ફાયબરના ઉપયોગથી ક્રોક્રિંટની ક્ષમતા થાય છે વૃદ્ધિ.

Gujarat4 hours ago

કરોડો રૂપિયાનો ખર્ચ છતાં શિક્ષણની હાલત કથળેલી ટોપ 50 જિલ્લામાં ગુજરાતના 8 – કેન્દ્રનો રિપોર્ટ

Gujarat5 hours ago

ગુજરાત :  એક બંગલામાં MD ડ્રગ્સનું કારખાનું ઝડપાયું, 25 કરોડના મુદ્દામાલ સાથે 5 આરોપીઓની ધરપકડ

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Padra1 year ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

Padra2 years ago

પાદરા ચોક્સી બજારમાં બે બુરખાધારી મહિલાઓ ગ્રાહક બની ચોક્સીની દુકાનમાંથી દાગીના સેરવી ફરાર, એક મહિલા ઝડપાઇ

Vadodara3 hours ago

માફી કલ્ચર માંથી પોલીસ ક્યારે બહાર આવશે?: તસ્કરો મંદિરમાં ચોરી કરી દાન પેટી ઉઠાવી ગયા

Vadodara7 days ago

વડોદરા જિલ્લા LCB એ હાઇવે પરથી 1.21 કરોડનો દારુ ભરેલી ટ્રક સાથે બિશ્નોઇ બંધુઓની ધરપકડ કરી

National1 week ago

ઇન્ડિયા : પહેલીવાર ટ્રેન પરથી અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ લોન્ચિંગ

International1 week ago

પેલેસ્ટાઈન ને લઈ ઈટાલીમાં હિંસા : મેલોની વિરુદ્ધ હિંસક દેખાવ, ટોળાએ સ્મોક બોમ્બ, બોટલો અને પથ્થરો ફેંક્યા

National3 weeks ago

મણિપુર હિંસા બાદ પહેલી વાર ઇમ્ફાલ પહોંચ્યા PM મોદી, વિસ્થાપિતો માટે 7000 મકાન બનાવીશું, 3500 કરોડનું પેકેજ મંજૂર

National3 weeks ago

હિમાચલ :  બિલાસપુરમાં આભ ફાટ્યું, અનેક માર્ગો ધોવાયા,વાહનો કાટમાળમાં દટાયા

National3 weeks ago

ભાજપના મંત્રી અને રાહુલ ગાંધી વચ્ચે ગરમાંગરમી, મંત્રીએ કહ્યું- હું તમારી વાત કેમ માનું?

International3 weeks ago

USA: મોટેલમાં હિંસક કર્મચારીએ ભારતીય મૂળના પુરુષનું માથું કાપી નાખ્યું, કપાયેલા માથાને લાત મારી

Trending