Connect with us

Vadodara

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Published

on

  • પહેલાથી જ ઉપલા લેવલના અધિકારીઓએ ધ્યાન રાખવું જોઇએ, કે તળાવની ઉંડાઇ અને પહોળાઇ કેટલી છે.:માઁઈ ભક્ત

વડોદરામાં આજે મધરાતથી જ દશામાંની મૂર્તિઓનું વિસર્જન ચાલી રહ્યું છે. ભક્તોના ઘરે 10 દિવસનું આતિથ્ય માણીને દશામાં આજે વિદાય લઇ રહ્યા છે. ત્યારે મૂર્તિ વિસર્જનની તૈયારીઓમાં તંત્ર કાચુ પડ્યું હોવાની વાત સામે આવી છે. શહેરના માંજલપુર વિસ્તારમાં દશામાં ના વિસર્જન માટે તૈયાર કરવામાં આવેલું કૃત્રિમ તળાવ પરોઢીયા સુધીમાં તો છલોછલ થઇ ગયું હોવાનું જોવા મળી રહ્યું છે. જેના કારણે કેટલાક માંઇ ભક્તોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. તો કેટલાક માંઇ ભક્તો અન્યત્રે વિસર્જન કરવાનું તરફ વળી રહ્યા છે.

Advertisement

તાજેતરમાં દશામાંના વ્રતની શહેરમાં રંગેચંગે ઉજવણી શરૂ થઇ હતી. વડોદરામાં મોટી સંખ્યામાં જાહેરમાં અને પોતપોતાના ઘરમાં દશામાંની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ભક્તોને ત્યાં 10 દિવસનું આતિથ્ય માણીને આજે મધરાતથી દશામાંની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે દશામાંની મૂર્તિઓના વિસર્જનને લઇને તંત્ર તૈયારીઓમાં કાચુ પડ્યું હોવાની વાત સપાટી પર આવી છે.

Advertisement

વડોદરાના માંજલપુર વિસ્તારમાં પાલિકા દ્વારા દશામાંની મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે. આ તળાવમાં મધરાતથી શરૂ થયેલા વિસર્જન બાદ ગણતરીના કલાકોમાં જ છલોછલ થઇ ગયું હોવાનું દેખાઇ રહ્યું છે. જેના કારણે વધુ મૂર્તિઓનું માન-સન્માન પૂર્વક વિસર્જન કરવું મુશ્કેલ બન્યું છે. આ સ્થિતી બાદ પણ ભક્તો માતાજીની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે આવી રહ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. છલોછલ ભરાઇ ગયેલા કૃત્રિમ તળાવમાં માતાજીનું વિસર્જન કરવું યોગ્ય ન જણાતા કેટલાક ભક્તો દ્વારા ત્યાંથી મૂર્તિ લઇને અન્યત્રે વિસર્જન કરવા નિકળી રહ્યા હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. જે સ્પષ્ટ બતાવે છે કે, તંત્ર તૈયારીઓમાં કાચું પડ્યું છે.

માંઇ ભક્તે મીડિયા સાથે વાતમાં જણાવ્યું કે, જ્યારે સુરસાગરની સ્થિતી હતી ત્યારે ખુબ સારી રીતે વિસર્જન થતું હતું. તેને બંધ કરીને કૃત્રિમ તળાવો કરવામાં આવ્યા છે. માણસ પણ કૃત્રિમ થવા લાગ્યા છે. તેવું મને લાગી રહ્યું છે. કૃત્રિમ તળાવ કર્યા છે, તો તમારે પહેલાથી જ તકેદારી, સાજેદારી ઉપલા લેવલના અધિકારીઓએ ધ્યાન રાખવું જોઇએ, કે તળાવની ઉંડાઇ અને પહોળાઇ કેટલી છે. આપણી પ્રજાએ સફાળા જાગવાની જરૂર છે. તમને ખુરશી માત્ર સાચવી રાખવા નથી આપી. આવનાર સમયમાં ગણેશજીનું વિસર્જન પણ આવશે. અત્યારે માતાજીનું પાણીમાં વિસર્જન થઇ શક્યું નથી. મધરાત્રે 12 વાગ્યે આ વાતનું ધ્યાન કોણ રાખશે. ચેરમેન અહીંયા આવીને બેસે, અને જુએ. સત્તાધીશો કૃત્રિમ થવા લાગ્યા હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement

Vadodara12 hours ago

પૂરથી રક્ષણ મામલે સરકાર નિયુક્ત હાઇ લેવલ કમિટીની મીટિંગ યોજાઇ

Vadodara15 hours ago

શું પાલિકામાં ઈજારદારો કામ કરવા તૈયાર નથી? ત્રીજા ચોથા પ્રયત્નોમાં પણ ઈજારદારો ભાવપત્ર ભરતા નથી

Vadodara4 days ago

ઉર્મિ ચાર રસ્તા પાસે પાર્ક કરેલી કાર રસ્તા પર પડેલા ભૂવામાં ખોટકાઇ

Vadodara5 days ago

શેરબજારમાં રોકાણના નામે થયેલી છેતરપિંડીમાં 19 રાજ્યોની 150થી વધુ ગુન્હામાં સંડોવાયેલા આરોપી ઝડપાયા

Vadodara6 days ago

બાજવાડા શેઠ શેરીમાં મકાનની છત ધરાશાયી, 2 લોકોનું રેસ્ક્યૂ કરાયા

Gujarat7 days ago

સુરતના તત્કાલિન ટાઉન પ્લાનીંગ ઓફીસર સામે વડોદરા ACBએ ગાળિયો કસ્યો,અપ્રમાણસર મિલકત મળી

Vadodara7 days ago

પૂરમાં નુકશાન સહન કરનારને મોટી આર્થિક સહાયની જાહેરાત, જાણો કોને શું મળશે

Vadodara7 days ago

કેન્દ્ર સરકારના ડિઝાસ્ટર વિભાગની ટીમ વડોદરાની મુલાકાતે, પૂરની સ્થિતીની સમીક્ષા હાથ ધરાશે

Vadodara1 month ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara1 month ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara1 month ago

મકરપુરા GIDCમાં વિજ થાંભલો નાંખતા સમયે બે કામદારોને કરંટ લાગતા ઇજાગ્રસ્ત

Vadodara1 month ago

વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં 40 લાખનું કૌભાંડ!, તપાસના આદેશ અપાયા

Vadodara2 months ago

વડોદરાના માંજલપુર શ્રેયસ સ્કૂલ પાસે એમ્બ્યુલન્સ ચાલકે વૃદ્ધ મોપેડ સવારને અડફેટે લઈને ગંભીર ઇજાઓ પહોંચાડી

Savli2 months ago

સાવલી નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય, રોગચાળાની દહેશત!

Vadodara2 months ago

“કોઇ પણ આંગણવાડીને મદરેસા નહી બનવા દઇએ” – દર્ભાવતી MLA શૈલેષ સોટ્ટા

Savli3 months ago

સાવલી : “વેઠ” ને કારણે નગરજનો કેટલું વેઠશે? ઠેરઠેર ખાડાઓ અને ખુલ્લી ડ્રેનેજ જીવલેણ સાબિત થશે!

Trending