Connect with us

Farm Fact

રેવા કિનારે કહોણા ગામના શ્રી રામાનંદ સેવા આશ્રમમાં આધ્યાત્મિકતા અને પ્રાકૃતિક ખેતીનો અદભૂત સંગમ

Published

on

પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છુક ખેડૂતોને જીવામૃત અને ઘનામૃતનું કરી રહ્યા છે વિનામૂલ્યે વિતરણ ખેતી કરવી એ પ્રકૃતિની આરાધના કરવા સમાન, ખેતી માટે પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ પદ્ધતિ: મહંતશ્રી સીતારામદાસ મહારાજ

  • મહંત શ્રી સીતારામદાસ મહારાજના સાનિધ્યમાં શાસ્ત્રોના સૂત્રોથી સિંચાઈ રહ્યું છે ‘મોડેલ પ્રાકૃતિક કૃષિ ઉપવન’
  • આસપાસના ગામના ૨૦૦૦ લોકોએ આ મોડેલ ફાર્મની મુલાકાત લઈ ખેતીની નવતર પદ્ધતિઓ વિશે જાણકારી મેળવી

વડોદરાના કરજણ તાલુકાના કહોણા ગામમાં આવેલો શ્રી રામાનંદ આશ્રમ, આધ્યાત્મિક શાંતિ અને પ્રાકૃતિક કૃષિના મોડેલ ફોર્મનું અનોખું ઉદાહરણ છે. આ આશ્રમના મહંત શ્રી સીતારામદાસ મહારાજે માત્ર ભક્તિમાર્ગ જ નહીં, પરંતુ પ્રકૃતિપ્રેમનો પણ માર્ગ દર્શાવ્યો છે. તેઓ છેલ્લા ૧૩ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીને ‘જળ, જમીન અને જન’ની સેવા કરી રહ્યા છે.

https://www.instagram.com/reel/DOdAkm2jJa6/?igsh=Ym16OHBmNDV3OGZt

મહંત શ્રી સીતારામદાસજી મહારાજ વર્ષ ૧૯૯૧ માં પોતાના ગુરુજી પંડિત શ્રી અખિલેશ્વર મહારાજની આજ્ઞાથી નર્મદા મૈયાના કિનારે અને પ્રકૃતિના ખોળે વસેલા એવા કરજણ તાલુકાના કહોણા ગામે આવીને આશ્રમ સ્થાપીને પ્રભુ ભક્તિમાં જોડાયા હતા. મહંતજી તેમના ગુરુજી સાથે અહીં રહ્યા અને આ જગ્યા પર ભજન-કીર્તન કરવા સાથે તેમના આશ્રમની જગ્યામાં ગૌસેવા કરવાની શરૂઆત કરી.

ગૌ સેવા સાથે પ્રકૃતિની સેવા કરી શકાય તેવા આશયથી તેમણે આજ થી ૧૩ વર્ષ પહેલા તેમણે પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી દીધી હતી. આજે આશ્રમમાં રાખવામાં આવેલી ૮૦ જેટલી દેશી ગાયો, ખેતી માટે જરૂરી જીવામૃત અને અન્ય પોષક તત્વો પૂરા પાડીને આ ખેતીનો આધાર બની છે. તેઓ ઈન્ટરક્રોપ કરે છે તે સાથે જીવામૃત અને ઘન જીવામૃત પોતાના જાતે જ બનાવે છે.

આજે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા મહંતજી તેમના ૧૫ વીઘા જમીનમાં લીંબુ, ખજૂર, હળદર અને વિવિધ ફળો- શાકભાજીનું વાવેતર કર્યું છે. તેમના ખેતરમાં આજે ૫૨૦ જેટલા લીંબુના ઝાડ છે. લીંબુ સાથે સીઝનલ ખેતીમાં ગુલાબ, સહિત ફળોમાં પણ પ્રાકૃતિક ખેત પદ્ધતિથી મબલખ પાક મળી રહ્યો છે.

તેમના સફળ પ્રયોગોના કારણે તેમના ફાર્મને આત્મા દ્વારા ‘મોડેલ ફાર્મ’ તરીકે ઓળખ આપી છે. તેમના ખેતરમાં ખાસ કરીને લીંબુ અને ફળોનું ઉત્પાદન એટલું બધું થાય છે કે અન્ય ખેડૂતો પણ તેમના માર્ગદર્શન માટે અહીં આવે છે. મહંતજીની આ પ્રેરણાદાયી પ્રયત્નોને આત્મા પ્રોજેક્ટ દ્વારા પણ સહકાર મળ્યો છે. આત્મા દ્વારા જીવામૃત- ઘનજીવામૃત બનાવવા માટે જરૂરી સાધનોની પણ સહાય આપવામાં આવી છે.

ખેતી કરવી એ પ્રકૃતિની આરાધના કરવા સમાન છે, આ વિચારને મહંતજી એ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ થકી પોતાના જીવનમાં ઉતારીને પુરવાર કર્યું છે. તેઓના મતે આધ્યાત્મિકતા અને પર્યાવરણ સંરક્ષણ એકબીજાના પૂરક છે. તેમના આશ્રમમાં બનાવેલું ‘મોડેલ ફાર્મ’ એ વાતનો જીવંત પુરાવો છે.

પ્રાકૃતિક ખેતી વિશે મહંતજી શ્રી સીતારામદાસ મહારાજ જણાવે છે કે, જીવનનો સાચો હેતુ માત્ર આધ્યાત્મિક ઉન્નતિ જ નહીં, પરંતુ પ્રકૃતિ અને સમાજની સેવા પણ છે. આપણે પ્રકૃતિની સંભાળ રાખીશું, તો પ્રકૃતિ પણ આપણને પુષ્કળ ફળ આપશે. જો રાસાયણિક ખાતરોનો ઉપયોગ થકી પ્રકૃતિનું શોષણ કરીશું તો પ્રકૃતિ પણ આપણું શોષણ કરશે.

આ આશ્રમ માત્ર પૂજા-પાઠનું કેન્દ્ર નથી, પણ પ્રાકૃતિક ખેતીના શિક્ષણ અને જાગૃતિનું પણ કેન્દ્ર બન્યું છે. અત્યાર સુધીમાં ૨૦૦૦ લોકોએ આ મોડેલ ફાર્મની મુલાકાત લીધી છે અને આશ્રમ દ્વારા ખેતીની નવીન પદ્ધતિઓ વિશે જાણકારી મેળવી છે. આસપાસના ગામના પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છુક ખેડૂતોને વિનામૂલ્યે જીવામૃત અને ઘનામૃત પણ આપે છે.

આટલુજ નહીં, શ્રી રામાનંદ આશ્રમમાં ભક્તિ અને જ્ઞાનનું વાતાવરણ અવિરત રહે છે. અહીં અખિલેશ્વર મહાદેવ, શ્રી શનિદેવ, શ્રી સર્વેશ્વર ગણપતિ અને શ્રી હસમુખા હનુમાનજી બિરાજમાન છે, અને શાસ્ત્રીય પંડિતો દ્વારા સતત શાસ્ત્રોનું પઠન થાય છે. અહીં આ આશ્રમમાં નર્મદા પરિક્રમા, નર્મદા જયંતી, ચૂંદડી ઉત્સવ, અને હનુમાન જયંતી જેવા પર્વો ભવ્યતાથી ઉજવવામાં આવે છે.

મહંત શ્રી સીતારામદાસ મહારાજનો આ આશ્રમ ખરા અર્થમાં “આધ્યાત્મ, આરોગ્ય અને પ્રાકૃતિક ખેતી” નો અનોખો સંગમ છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે, “સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા:,” મહંતજીએ આ ઉક્તિને પોતાની પ્રાકૃતિક ખેતી દ્વારા સાર્થક કરી બતાવી છે.

National3 hours ago

દિલ્હીમાં કાર બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઇ એલર્ટ; મહારાષ્ટ્ર-યુપીમાં પણ પોલીસ સતર્ક

Vadodara8 hours ago

વડોદરા જીલ્લા ખરીદ વેચાણ સંઘના 15 બેઠકો માટે 32 ઉમેદવારી ફોર્મ ભરાયા, ભાજપે મેન્ડેટ જ જાહેર ન કર્યું!

International10 hours ago

ઈરાનમાં છ દાયકાનો ભીષણ દુષ્કાળ, તેહરાનમાં પીવાનું પાણી ખતમ થવાની કગાર પર

National11 hours ago

300+ AQI → રોજનું 100 કરોડનું નુકસાન: દિલ્હીમાં પ્રદૂષણે શ્વાસ-વ્યાપાર બંને ઘુંટાયા

Vadodara12 hours ago

બિનખેતીની ફાઈલોનો સમયમર્યાદામાં નિકાલ કરવાની માંગ સાથે જીલ્લા કલેકટરમાં રજૂઆત કરાઈ

Vadodara12 hours ago

કોયલી ગામે મેડીકલ સ્ટોરમાં ભીષણ આગ લાગતા લોકોના જીવ તાળવે ચોટયા, ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો

Vadodara12 hours ago

મોપેડની ડેકી તોડીને રોકડની ચોરી કરનાર ગુજ્સીટોકના આરોપી સહીત બેને LCB ઝોન 4ની ટીમે ઝડપી પાડ્યા

Vadodara13 hours ago

વડોદરાના હીલિંગ સેન્ટરમાં 14 વર્ષની સગીરાની સાથે દુષ્કર્મ, યોગ શિક્ષક ડો. રૂપેશ પટેલની ધરપકડ

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Padra1 year ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

International1 year ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

National6 days ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Savli2 weeks ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Gujarat2 weeks ago

કાગળ પરની દારૂબંધી! અમદાવાદના પોશ વિસ્તારમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો

Vadodara2 weeks ago

માંજલપુરમાં અસામાજિક તત્વોની તોડફોડ, 15 રિક્ષા-ટેમ્પોને નુકસાન

Dabhoi2 weeks ago

વડોદરા-ડભોઇ રોડ પર પલાસવાડા ફાટક પાસે ભારે ટ્રાફિકજામ, કલાકો સુધી વાહનો અટવાયા

Vadodara3 weeks ago

વડોદરા શહેરમાં સુનિલ પાન ગેંગનો પર્દાફાશ: 96થી વધુ લુંટ અને ચોરીના ગુનાઓનો અંત, ગુજસીટોક હેઠળ કાર્યવાહી

Vadodara3 weeks ago

“વડોદરામાં પોલીસની નિષ્ફળતા સ્પષ્ટ: નાગરિકો જ હવે બુટલેગરોને પકડી પોલીસને શરાબનો જથ્થો સોંપે છે”

Vadodara4 weeks ago

પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના સ્વાગત માટે પાલિકાના સ્ટ્રીટ લાઈટ વિભાગના સ્ટાફે ઝંડા લગાવવાની જવાબદારી સ્વીકારી?

Trending