Vadodara
શ્રીજીની પ્રતિમાની ઉંચાઈ મામલે કમિશનરના જાહેરનામાના વિરોધનો સુખદ અંત, દર વર્ષની ઉજવણી જેમજ આ વર્ષે ઉજવણી થશે
Published
11 months agoon

વડોદરામાં ચાલી રહેલ શ્રીજીની મૂર્તિની ઉંચાઈ મામલે ચાલી રહેલ વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. વડોદરા ગણેશોત્સવ સંચાલક મંડળો અને કમિશનરની વાતચીત બાદ આખરે ગણપતી મંડળના આયોજકોની તરફેણમાં નિર્ણય લેવામાં આવ્યો. હવે દર વર્ષની જેમ જ સંચાલકો આ વર્ષે મૂર્તિની ઉંચાઈ રાખી શકશે.
અગાઉ વડોદરા પોલીસ કમિશનર દ્વારા મૂર્તિની ઊંચાઈ પાંચ ફૂટથી વધુ ન કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. અને આ જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ગણપતી મંડળના આયોજકો ભારે રોષે ભરાયાં હતાં. કોર્પોરેશનની સામાન્ય સભામાં પણ આ મુદ્દો ગુંજ્યો હતો. એટલું જ નહિ જાહેરનામાના વિરોધમાં 23-6-2024ના રોજ રેલીનું પણ આયોજન કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી. જેમાં વડોદરાવાસીઓ સહીત સંચાલકાઓની સાથે મૂર્તિકારો પણ જોડાયા હતા.
પરંતુ હવે શ્રીજીની પ્રતિમાની ઉંચાઈ મામલે કમિશનરનાં જાહેરનામાના વિરોધનો સુખદ અંત આવ્યો છે. વડોદરા ગણેશોત્સવ સમિતિ દ્વારા પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપવા માટે કમિશનર કચેરીએ પહોંચ્યા હતા.જ્યાં પોલીસ કમિશનર સાથે ચર્ચા કર્યા બાદ ખુબ જ સાથ સહકારથી કેટલાક નીતિ નિયમોનું પાલન કરવાની શરતે આ વખતની ગણેશોત્સવની ઉજવણી માટે પરવાનગી આપવામાં આવી છે. વડોદરાના સંચાલક મંડળો અને કમિશનરની વાતચીત બાદ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની પ્રતિમાની ઉંચાઈ રાખવામાં આવશે.
આ મામલે વડોદરા ગણેશોત્સવ સમિતિના સંચાલકોએ એવું જણાવ્યું હતું કે, “અમે ભીખ માંગી માંગીને થાકી ગયેલા. અમારે કોઈ રાજકીય પક્ષ પાસે ન હોતું જવું. દર વખતે કોઈને કોઈ પરિપત્ર આવે અને અમારે એમની પાસે જઈ જી-હજૂરી કરવાની અને આખા વર્ષ દરમિયાન તેમના સો બેનરો લગાવી, સ્ટેજ બાંધી અને રેલીમાં સાથે જવાનું. જેના કારણે અમે અમારા સનાતન ધર્મ હિન્દુનો ધર્મ પણ સરખી રીતે ન હતા ઉજવી શકતા તેવી પરિસ્થિતિ અમારી કરી નાખી હતી. પરંતુ આ વખતે કોઈ પણ પક્ષ પાસે ગયા વગર કમિશનશ્રી તરફ થી આ વખતે ગણેશોત્સવની પરવાનગી મળી છે તે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ.”
આ મામલે મૂર્તિકારે જણાવ્યુકે, “છેલ્લા 10 વર્ષોથી અમે ખુબ જ હેરાન થઇ રહ્યા હતા.અમારી હાલત ખુબ જ દયનિય હતી. પરંતુ આ વખતે સમસ્યાનો વહેલા નિકાલ આવી જતા અમારે હેરાન નહિ થવું પડે.”
You may like
-
પ્લાસ્ટીકના રોલની આડમાં જતો દારૂનો રૂ. 68 લાખથી વધુનો જથ્થો જપ્ત
-
કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી, કહ્યું, ‘લોકો વડોદરાને શોધતા આવશે’
-
વડોદરામાં ઐતિહાસિત ગતિએ કામ થઇ રહ્યું છે’, ગૃહમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો
-
ગોલ્ડન ચોકડી પાસે બસનો ભયાનક અકસ્માત, બે ના મોત
-
ઐતિહાસિક માંડવી દરવાજાને બચાવવા મહારાણી દોડી આવ્યા
-
જીલ્લા ભાજપ અધ્યક્ષની રેસમાં નવા દાવેદારની એન્ટ્રી, જીલ્લા કોષાધ્યક્ષ ગોપાલ રબારી બની શકે છે જીલ્લા ભાજપ અધ્યક્ષ!

પ્લાસ્ટીકના રોલની આડમાં જતો દારૂનો રૂ. 68 લાખથી વધુનો જથ્થો જપ્ત

કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી, કહ્યું, ‘લોકો વડોદરાને શોધતા આવશે’

સાવલી: કેટરીંગનો વ્યવસાય કરતાં યુવાનની ટુંડાવ ગામની સીમમાંથી હત્યા કરેલી લાશ મળી

ડભોઇના ગોપાલપુરા પાસે ભયંકર અકસ્માત, ત્રણના મોત

સાવલી : ડ્રેનેજની સફાઈ કરતા દૂષિત પાણી રસ્તા પર છોડ્યું, સફાઈકર્મીને ડ્રેનેજમાં ઉતાર્યો

વડોદરામાં ઐતિહાસિત ગતિએ કામ થઇ રહ્યું છે’, ગૃહમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો

ગોલ્ડન ચોકડી પાસે બસનો ભયાનક અકસ્માત, બે ના મોત

ઐતિહાસિક માંડવી દરવાજાને બચાવવા મહારાણી દોડી આવ્યા

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

Mobile healthcare van launched at Mokshi village in Savli

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં 35 ટન શિરો ભક્તોને પ્રસાદી રૂપે વહેંચાશે

ફાટીને ધુમાડે ગયેલા નગરસેવકો?: સાથી કોર્પોરેટરે ટોણો મારતા મહિલા સભાખંડની બહાર નીકળ્યા

વગર વરસાદે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા અનોખો વિરોધ

તળાવોના બ્યુટીફીકેશનમાં નડતરરૂપ દબાણોને નોટીસ ફટકારાશે

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

મકરપુરા GIDCમાં વિજ થાંભલો નાંખતા સમયે બે કામદારોને કરંટ લાગતા ઇજાગ્રસ્ત

વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં 40 લાખનું કૌભાંડ!, તપાસના આદેશ અપાયા
