Vadodara
વિશ્વામિત્રી નજીકના દબાણો દૂર થાય તે પહેલા નેતાઓએ એકબીજાનું “ચીરહરણ” શરૂ કર્યું,વધુ એક સ્ફોટક નિવેદન
Published
6 months agoon

વડોદરામાં પૂર બાદ વિશ્વામિત્રી નદી કાંઠાના વિસ્તારમાં દબાણનો મામલો ભારે ચર્ચામાં છે. ત્યારે તાજેતરમાં ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા દ્વારા પોતાના બંગ્લો બહારની નદી કિનારા તરફની પ્રોટેક્શન વોલ તોડવાની શરૂઆત કરવામાં આવી હતી. ગતરોજ તેમણે કોંગ્રેસના નેતા વિનુભાઇ જીવાભાઇ પટેલના દબાણો અંગે પોતાનો પક્ષ મુક્યો હતો. ત્યારે આજે કોંગ્રેસના નેતાના પુત્ર સંદિપ પટેલે તમામ આરોપોનું ખંડન કરીને ભાજપના જ કોર્પોરેટર તથા ધારાસભ્યની મીલીભગત ખુલ્લી પાડી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
વિનુભાઇ જીવાભાઇ પટેલના પુત્ર સંદિપ પટેલે વળતો પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા જે મકાનની વાત કરે છે, પાલિકામાં વર્ષ 1971 માં બોલે છે. વર્ષ 1971 માં તમામ મંજુરીઓ સાથે આ મકાન તૈયાર કરવામાં આવ્યું છે. મંજુરી હોવા છતાં મને વારંવાર હેરાનગતિ કરવામાં આવતા હું કોર્ટમાં ગયો હતો. જ્યાં કોર્ટે મનાઇ હુકમ આપ્યો હતો. પરાક્રમસિંહ જાડેજાની વાત તદ્દન ખોટી છે. વર્ષ 2017 માં કોર્ટનો પંચક્યાસ કરવામાં આવ્યો છે. વર્ષ 2018 માં કોર્ટે આ મામલે મનાઇ હુકમ આપ્યો છે. જે દિવસે મનાઇ હુકમ મળ્યો તે પહેલા પંચક્યાસ થયો હતો. આ બંગ્લો વર્ષ 1971 માં બન્યો હતો. ત્યાર બાદ તેને રીનોવેટ કરવામાં આવ્યો હતો. વર્ષ 2012 માં અમારી કોર્ટમાં પીટીશન હતી, પાલિકાએ અમને રૂ. 10 કરોડ જેવું વળતર આપવું પડે, તે વળતર ના આપવું પડે તે માટે અમને હેરાન કરવામાં આવતા હતા. પાલિકાના ઠરાવમાં રૂ. 10 કરોડ જેટલા વળતરનો ઉલ્લેખ છે. અમે જમીન જાહેર હિતમાં આપી છે. અત્યારે તે જમીનની કિંમત રૂ. 25 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, પરાક્રમસિંહે સરકારના કાયદા મુજબ કપાત કરી છે તેમને પુછો. મારી તો 40 ટકાથી વધુ જમીન કપાતમાં ગઇ છે. પરંતુ પરાક્રમસિંહે 40 ટકા કપાત સરકારમાં આપી નથી. સરકારને ચુનો ચોપડ્યો છે. તેણે પ્રતિબંધિત વિસ્તારની અનેક જગ્યાએ છુટી કરાવી છે. તેમણે 8 મોટા સર્વે નંબરો છુટ્ટા કરાવ્યા છે. તેમાં જ્યોતિબા પરાક્રમસિંહ જાડેજા, પરાક્રમસિંહ અજિતસિંહ જાડેજા ના નામની જમીનો છે. આ બધી જમાની તેમના બંગ્લા સામેની છે. ગતરોજ વડોદરાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ ભૂખી કાંસનો નકશો બતાવ્યો હતો. વડોદરાની પ્રજાને નકશો બતાવીને તમે એવું સમજાવો છો કે, તેના કારણે પૂર આવ્યું છે. ધારાસભ્ય કેયુર રોકડિયાને કહેવું કે, ભાજપના 30 વર્ષના સાશનનના કારણે આ પૂર આવ્યું છે. કોંગ્રેસ 30 વર્ષથી સત્તામાં નથી.
તેમણે ઉમેર્યું કે, તત્કાલિન મેયર અને હાલના ધારાસભ્ય કેયુર રોકડિયા જ્યારે મેયરપદ પર બિરાજમાન હતા, ત્યારે પરાક્રમસિંહની સામેવાળી જગ્યા પર પ્લોટીંગ કર્યા છે. જેમાં પ્રતિબંધીત જગ્યા પર પ્લોટીંગ કરવામાં આવ્યું છે. જેમાં તેમને પણ એક પ્લોટ છે. જેમાં કેયુરભાઇ નારાયણદાસ રોકડિયાનું નામ છે. આ એન્ટ્રી વર્ષ 2020 ની છે. રૂ. 500 (પ્રતિ ચો/ફૂટ) માં પ્રતિબંધિત વિસ્તારોમાં જમીન લઇને તેને રૂ. 7 હજારમાં વેચ્યા છે. ભાજપના નેતા, મંત્રી, કોર્પોરેટરની જગ્યા જ કેમ પ્રતિબંધિત વિસ્તારોમાંથી છુટી થાય છે, સામાન્ય માણસોની જમીન કેમ છુટ્ટી નથી થતી. તે લોકોએ 40 ટકા જગ્યા છોડવાની જગ્યાએ તેમની આગળ પાછળ રોડ બતાવીને જગ્યાનું કેલ્ક્યુલેશન બતાવે છે. તેમણે સરકારને સૌથી મોટો ચુનો ચોપડ્યો છે. અને સરકારને પણ નુકશાન કરાવડાવ્યું છે. રાજ્ય સરકારના પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની પણ જગ્યા છે. પૂર્વ કોર્પોરેટર લલીત રાજની જગ્યા પણ પ્રતિબંધિત વિસ્તારમાંથી છુટ્ટી થઇ છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, અમારી જમીન પર મોટું વળતર ચુકવવાનું થતું હતું. પાલિકાની કોઇ કેપેસીટી ન્હતી. કારણકે ભ્રષ્ટ તંત્રએ કશું જવા નથી દીધું. વર્ષ 2016 માં અલગ અલગ ઠરાવો કરવામાં આવ્યા હતા. પૈસા ન હોવાથી તેને નામંજુર કર્યો હતો. વર્ષ 2019 માં તત્કાલિક સાંસદ રંજનબેન ભટ્ટે આ મામલાની મધ્યસ્થતા કરી હતી. અમને કોર્પોરેશનમાં બોલાવવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર તથા અન્ય અધિકારીને મળ્યા. અને નક્કી થયું કે, અમે તમને પરવાનગી સાથે ઝોનમાંથી તમને છુટ્ટો કરી આપીએ છીએ. બાકીની જગ્યામાં તમે બાંધકામ કરી શકો છો. તમે આ જગ્યા અમને વળતર વગર આપો. જેનો અમને પત્ર આપવામાં આવ્યો હતો. વર્ષ 2019 થી આજદિવ સુધી તેમણે કંઇ કર્યું નથી. ખાલી ઉલ્લુ બનાવીને જમીન લઇ લીધી છે. પરાક્રમસિંહ પર આવી ગયું છે. તેમણે કર્યું છે, જેથી તેમણે આ છુપાવવા કર્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ખાલી ભાજપના નેતાઓની જ પ્રતિબંધિત ઝોનમાંથી જમીન કેમ છુટ્ટી થાય છે, સામાન્ય લોકોની કેમ છુટ્ટી નથી થઇ, આ સવાલો સત્તાધીશોને પુછો. એકને મળવાપાત્ર હોય તો અન્યને પણ મળવાપાત્ર જ હોય છે. જે ગેરકાયદેસર છે તેને તોડી નાંખો. આ લોકોના આક્ષેપથી મને કોફ ફર્ક નથી પડતો. અમારી વડીલોપાર્જિત મિલ્કત છે. અમે બહારથી આવાની સસ્તામાં જમીનો છુટ્ટી કરાવી નથી. હું પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, ગૃહમંત્રીને પુરાવાઓ મોકલવાનો છું. સીબીઆઇ અને ઇડીની તપાસ કરો, આ લોકો વડોદરામાં આવ્યા ત્યારે કેટલી મિલકત હતી અને આજે કેટલી મિલકત છે. ભાજપના લોકોનો જ વિકાસ કરવાનો છે !
તેમણે આખરમાં ઉમેર્યું કે, વડોદરાના લોકો હોંશિયાર છે, તેમણે સત્તાધીશોને ભગાડ્યા છે, તેમની સહાય પણ નથી લીધી. પોતાનો રોટલો શેકવાની જે નીતિરીતિ છે, તે પ્રજા ઓળખે જ છે. મને પાલિકા પૈસા આપે, હું મારૂ બાંધકામ તોડી નાંખીશ. તેમણે પૈસા જ બનાવ્યા છે. પ્રજા બધું જ જાણે છે.
You may like
-
ગોકળગાય ગતિએ વિકાસ અને તપાસ:ટ્રેકટર કૌભાંડમાં સંડોવાયેલા તલાટીઓને બચાવવા સરકારી બાબુઓએ તપાસમાં ઢીલ મૂકી?
-
પૂરને ભૂતકાળ બનાવવા માટે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરાયું
-
ટ્રાફીક શાખાની વાહનોની હરાજીમાં અપસેટ વેલ્યુ કરતા વધુ કિંમત મળી
-
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત જિલ્લામાંથી આરોપીને દબોચતી પોલીસ
-
પંડ્યા બ્રિજના મસમોટા પોપડા ખર્યા, વાહનચાલકોના માથે જોખમ
-
હનુરામ ફૂડ્સની ફરાળી પેટીસમાંથી વાયરનો ટુકડો નીકળ્યો

ગોકળગાય ગતિએ વિકાસ અને તપાસ:ટ્રેકટર કૌભાંડમાં સંડોવાયેલા તલાટીઓને બચાવવા સરકારી બાબુઓએ તપાસમાં ઢીલ મૂકી?

પૂરને ભૂતકાળ બનાવવા માટે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરાયું

ટ્રાફીક શાખાની વાહનોની હરાજીમાં અપસેટ વેલ્યુ કરતા વધુ કિંમત મળી

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત જિલ્લામાંથી આરોપીને દબોચતી પોલીસ

વાઘોડિયા : સોનાના નામે નકલી બિસ્કીટ પધરાવી ખેડૂત જોડે ઠગાઇ

પંડ્યા બ્રિજના મસમોટા પોપડા ખર્યા, વાહનચાલકોના માથે જોખમ

હનુરામ ફૂડ્સની ફરાળી પેટીસમાંથી વાયરનો ટુકડો નીકળ્યો

ટ્રેનમાં મહિલા મુસાફરોની નિંદરનો ફાયદો ઉઠાવતા બે તસ્કરો ઝબ્બે

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

Mobile healthcare van launched at Mokshi village in Savli

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં 35 ટન શિરો ભક્તોને પ્રસાદી રૂપે વહેંચાશે

ફાટીને ધુમાડે ગયેલા નગરસેવકો?: સાથી કોર્પોરેટરે ટોણો મારતા મહિલા સભાખંડની બહાર નીકળ્યા

વગર વરસાદે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા અનોખો વિરોધ

તળાવોના બ્યુટીફીકેશનમાં નડતરરૂપ દબાણોને નોટીસ ફટકારાશે

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

મકરપુરા GIDCમાં વિજ થાંભલો નાંખતા સમયે બે કામદારોને કરંટ લાગતા ઇજાગ્રસ્ત

વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં 40 લાખનું કૌભાંડ!, તપાસના આદેશ અપાયા

વડોદરાના માંજલપુર શ્રેયસ સ્કૂલ પાસે એમ્બ્યુલન્સ ચાલકે વૃદ્ધ મોપેડ સવારને અડફેટે લઈને ગંભીર ઇજાઓ પહોંચાડી
Trending
-
Vadodara5 days ago
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત જિલ્લામાંથી આરોપીને દબોચતી પોલીસ
-
Vadodara5 days ago
ટ્રાફીક શાખાની વાહનોની હરાજીમાં અપસેટ વેલ્યુ કરતા વધુ કિંમત મળી
-
Editor's Exclusive3 days ago
ગોકળગાય ગતિએ વિકાસ અને તપાસ:ટ્રેકટર કૌભાંડમાં સંડોવાયેલા તલાટીઓને બચાવવા સરકારી બાબુઓએ તપાસમાં ઢીલ મૂકી?
-
Vadodara3 days ago
પૂરને ભૂતકાળ બનાવવા માટે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરાયું