Vadodara

ખાડા અને ધૂળથી હાલાકી: સ્ટેશનથી શાસ્ત્રી બ્રિજ સુધીના માર્ગે તાત્કાલિક સમારકામ જરૂરી

Published

on

રેલવે સ્ટેશન સામે સિટી બસ સ્ટેન્ડ અને નજીકમાં સેન્ટ્રલ બસ સ્ટેશન છે, તેથી સ્ટેશન થી શાસ્ત્રી બ્રિજ સુધીનો માર્ગ શહેરમાં પ્રવેશ અને નીકળવાનો મુખ્ય માર્ગ છે.

  • રસ્તા પર ટ્રાફિક મુશ્કેલ અને અકસ્માતનું જોખમ વધી ગયું છે.
  • બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનને હસ્તાંતરિત કરવામાં આવ્યો હતો પરંતુ જાળવણી નથી થતી.
  • આગામી લગ્ન સીઝન પહેલાં તાત્કાલિક માર્ગ રીપેઅર અને મેનહોલ સમારકામ જરૂરી છે.

વડોદરામાં સ્ટેશનથી શાસ્ત્રી બ્રિજ સુધીનો માર્ગ અત્યંત ખરાબ હાલતમાં હોવાનું જણાવી કૉંગ્રેસ કાઉન્સિલરે મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક સમારકામની માંગ સાથે પત્ર લખ્યો છે.રજુઆતમાં જણાવાયું છે કે વડોદરા રેલવે સ્ટેશન દેશનું પાંચમું સૌથી વ્યસ્ત સ્ટેશન છે, જ્યાંથી અઠવાડિયામાં 340થી વધુ ટ્રેનો પસાર થાય છે.

સ્ટેશનની સામે સિટી બસ સ્ટેન્ડ અને નજીકમાં સેન્ટ્રલ બસ સ્ટેશન હોવાને કારણે આ માર્ગ શહેરમાં પ્રવેશ અને બહાર નીકળવાનો મુખ્ય જોડાણ માર્ગ છે.સ્માર્ટ સિટીના ABD વિસ્તારમાં આવતો આ માર્ગ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડને હસ્તાંતરિત કરવામાં આવ્યો હતો, પરંતુ કરાર મુજબ જાળવણી ન થવાને કારણે હાલ માત્ર એક જ બાજુનો રસ્તો ઉપયોગમાં છે અને તે પણ ઉબડખાબડ હાલતમાં છે.

દર કલાકે હજારો વાહનો પસાર થતાં આ માર્ગ પર અકસ્માતના જોખમો વધી રહ્યા છે અને ટ્રાફિક પણ અસરગ્રસ્ત છે. કાઉન્સિલરે આવનારી લગ્નસીઝનને ધ્યાનમાં રાખી તાત્કાલિક રીસર્ફેસિંગ તથા મેનહોલ લેવલ સુધારણા માટે મ્યુનિસિપલ તંત્રને તાકીદ કરવાની માંગ કરી છે.

Trending

Exit mobile version