Connect with us

National

મોદી સરકારના બિલમાં શું છે જોગવાઈ જેનો વિપક્ષે ભારે વિરોધ કર્યો

Published

on

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં 130મું બંધારણીય સુધારા બિલ, 2025 રજૂ કર્યું હતું, જેનો વિપક્ષે ભારે વિરોધ કર્યો છે.

બિલની જોગવાઈઓ મુજબ, વડા પ્રધાન, મુખ્ય મંત્રી કે કેન્દ્ર, રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની સરકારના મંત્રીઓને ભ્રષ્ટાચાર કે ગંભીર આરોપ (જેમાં પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે સજાની જોગવાઈ હોય) માટે 30 દિવસ માટે અટકમાં લેવામાં આવે કે ધરપકડ કરવામાં આવે, તો 31મા દિવસે તેમને હઠાવવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ બિલ દ્વારા બંધારણના અનુચ્છેદ 75માં સુધારો કરવામાં આવશે, જે હેઠળ વડા પ્રધાનની સાથે મંત્રીઓની નિમણૂક તથા જવાબદારીઓને નિર્ધારિત કરવામાં આવી છે.

તામિલનાડુમાં ડીએમકે સરકારના મંત્રી વી. સેન્થિલ બાલાજીની ધરપકડને પગલે ઊભા થયેલા વિવાદ બાદ આ ખરડો રજૂ કરવામાં આવ્યો છે. મની લૉન્ડ્રિંગના કેસમાં વી. સેન્થિલની ધરપકડ થઈ હતી, એ પછી તામિલનાડુના રાજ્યપાલ એન. રવિએ તેમને પદ પરથી હઠાવી દીધા હતા.

સુપ્રીમ કોર્ટે વી. સેન્થિલને જામીન આપ્યા હતા, એ પછી મુખ્ય મંત્રીએ તેમને ફરીથી મંત્રી બનાવી દીધા હતા. સુપ્રીમ કોર્ટે સેન્થિલને ફરી મંત્રી બનાવવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. એ પછી મંત્રીમંડળમાં ફેરફાર સમયે વી. સેન્થિલને હઠાવવામાં આવ્યા હતા.

અમિત શાહે મંગળવારે લોકસભા કાર્યાલયને જણાવ્યું હતું કે સંસદના ચાલુ સત્ર દરમિયાન 130મો બંધારણીય સુધાર ખરડો, 2025, જમ્મુ-કાશ્મીર રી-ઑર્ગેનાઇઝેશન (સુધાર) બિલ, 2025 તથા ગવર્ન્મેન્ટ ઑફ યુનિયન ટેરિટરીઝ (સુધાર) બિલ, 2025 રજૂ કરવામાં આવશે.

સંસદના ચોમાસુ સત્રમાં માત્ર બે દિવસ વધ્યા છે. ગુરુવારે ચોમાસું સત્ર સમાપ્ત થઈ જશે.

વર્તમાન જોગવાઈઓ મુજબ, જો કોઈ ધારાસભ્ય કે સંસદસભ્ય દોષિત ઠરે એ પછી જ તેમનું સાંસદપદ કે ધારાસભ્યપદ જતું હતું.

પ્રિયંકા ગાંધી : “કાલ ઊઠીને તમે કોઈ મુખ્ય મંત્રી ઉપર કોઈ પણ કેસ દાખલ કરી શકો છો. તેને કોઈ પણ પ્રકારનો દોષ સાબિત થયા વગર જેલમાં રાખી શકો છો અને તેને મુખ્ય મંત્રીપદેથી હઠાવી દેવામાં આવશે.”

“આ બિલકુલ ખોટું છે, ગેરબંધારણીય, અલોકતાંત્રિક અને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.”

મમતા બેનરજી: “હું ભારત સરકારે રજૂ કરેલા 130મા બંધારણીય સુધાર બિલની ખૂબ જ નિંદા કરું છું. તે ‘સુપર ઇમર્જન્સી’ કરતાં પણ આગળની સ્થિતિ છે. ભારતમાં લોકશાહીના કાળખંડને હંમેશાં માટે ખતમ કરી દેવાનો પ્રયાસ છે.”

આ બિલ અંગે રાજ્યસભામાં કૉંગ્રેસના સાંસદ તથા સુપ્રીમ કોર્ટમાં વકીલ અભિષેક મનુ સિંઘવી: “આ બિલ વિપક્ષને નિશાને લેવા માટે લાવવામાં આવ્યું છે. ધરપકડ સમયે કોઈ નિયમનું પાલન નથી થતું. વિપક્ષના નેતાઓની ધરપકડો વધી છે અને તેમાં વ્યાપક અસંગતિઓ છે.”

“નવો પ્રસ્તાવિત કાયદો સત્તારૂઢ મુખ્ય મંત્રીને ધરપકડ બાદ તરત જ હઠાવી શકાશે. વિપક્ષની સરકારને અસ્થિર કરવાનો આ સૌથી સરળ રસ્તો છે.”

સિંઘવીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર વધુમાં લખ્યું, “વિપક્ષના જે મુખ્ય મંત્રીઓને ચૂંટણી દરમિયાન હઠાવી ન શકાય, તેમની પાછળ પક્ષપાતી કેન્દ્રીય એજન્સીઓને છૂટી મૂકી દો અને વિપક્ષના મુખ્ય મંત્રીઓની મનસ્વી રીતે ધરપકડ કરીને તેમને પદ પરથી હઠાવી દો.”

“બીજી બાજુ, સત્તારૂઢ પક્ષના કોઈ મુખ્ય મંત્રીને કશું નથી થયું.”

ચોમાસુ સત્ર ગુરુવારે (21 ઑગસ્ટ) સમાપ્ત થશે. વર્તમાનમાં મોદી સરકાર પાસે બે-તૃતીયાંશ બહુમત નથી. એવામાં આ બિલ શા માટે લાવવામાં આવ્યું છે?

“ટીડીપીના ટેકાથી જ નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદે છે. આ બિલ દ્વારા એવો માહોલ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે સરકાર રાજકારણમાં અપરાધીકરણ તથા ભ્રષ્ટાચાર સામે કડક વલણ ધરાવે છે.”

આ બિલ પસાર થતાંની સાથે જ રાજ્યપાલ પાસે કોઈ પણ મુખ્ય મંત્રીને હઠાવવાની સત્તા આવી જશે. બીજું કે રાજ્યપાલ ઉપર હોદ્દાનો દુરુપયોગ કરવાના વ્યાપક આરોપ લાગે છે. જોકે, રાજ્યપાલને આ કાયદાની જોગવાઈઓમાંથી બહાર રાખવામાં આવ્યા છે.”

રાજ્યસભામાં રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ ઝા : “આરોપી અને દોષિત વચ્ચેની ભેદ રેખાને ભૂંસવાની તૈયારી થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે ઈડી (ઍન્ફોર્સમેન્ટ ડાયરેક્ટ્રેટ) વિશે કહ્યું હતું કે તે રાજકીય રમતનો ભાગ બની રહ્યું છે.”

“જ્યાં તમે ચૂંટણી જીતી શકો એમ નથી, ત્યાં વિપક્ષને હઠાવવાનો માર્ગ છે. મને લાગે છે કે ગૃહમંત્રી પોતાની પાર્ટીના પણ કેટલાક લોકોને (પદ પરથી) હઠાવી દેવાની તૈયારી કરી રહ્યા છે.”

સીપીઆઈ-એમએલના મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્યે આ બિલની ટીકા કરતાં કહ્યું કે સંસદીય લોકશાહી વ્યવસ્થા પર સીધો પ્રહાર છે. દીપાંકરે કહ્યું કે આ બિલ દ્વારા કેન્દ્રીય એજન્સીઓ ઈડી, સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન), આઈટી (ઇન્કમ ટૅક્સ) તથા એનઆઈએનો (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એન્જસી) દુરુપયોગ વધશે.

Vadodara1 hour ago

અભાવમાં પણ પ્રભાવ: વડોદરાના મધ્યમવર્ગીય પરિવારોના સંતાનોએ સીએ ફાઈનલમાં ગાડ્યું નિશાન.

Karjan-Shinor2 hours ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Padra2 hours ago

સહકારી ક્ષેત્રના ‘ચાણક્ય’ની જીત: 5 ધારાસભ્યોનું જોર પડ્યું નબળું, દીનુ મામા ફરી મેદાન મારી ગયા.

Vadodara3 hours ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

National23 hours ago

જમ્મુ-કાશ્મીર: પૂંછ સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોનની ઘૂસણખોરી; ભારતીય સેનાના જવાનોનું તાબડતોબ ફાયરિંગ

Vadodara1 day ago

વડોદરાના ગોત્રીમાં બિલ્ડરનું પાપ છાપરે ચઢીને પોકાર્યું; ‘તક્ષશિલા-2’ ના 80 પરિવારો ન્યાય માટે પોલીસને શરણે!

Vadodara1 day ago

ન્યૂઝીલેન્ડ જવાના સપના રોળાયા; ભરૂચના યુવક સાથે ₹21 લાખની છેતરપિંડી

Vadodara1 day ago

વડોદરાની વોર્ડ વિઝાર્ડ કંપનીમાં ₹28.47 કરોડનું કૌભાંડ; નાસતા ફરતા CEO ડો. સંતોષ ગઢવીની અમદાવાદથી ધરપકડ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor2 hours ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara3 hours ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli6 days ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara2 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara3 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending