National

ઇથેનોલના ઉદ્યોગ માટે તક તો ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે સંકટ? 100% ઇથેનોલના નિર્ણયથી અર્થતંત્રમાં હલચલ

Published

on

  • ઐતિહાસિક નિર્ણય: E100 ઇંધણને કાનૂની મંજૂરી મળી, જે ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવામાં મદદરૂપ થશે.
  • કૃષિ ક્ષેત્રમાં તેજી: શેરડી અને મકાઈના વધતા વપરાશથી ગ્રામીણ અર્થતંત્ર અને ખેડૂતોની આવક વધવાની આશા છે.પણ MSP માં ભાવ નથી મળતા એ વાત નકારી શકાય નઈ.
  • ઉદ્યોગો સામે પડકાર: એન્જિનની બનાવટમાં ટેક્નિકલ ફેરફાર અને વધારાનો ખર્ચ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી માટે મોટો પડકાર છે.
  • સામાન્ય માણસ પર અસર: ખાદ્ય સુરક્ષા અને વધતા વાહન ખર્ચને કારણે મોંઘવારીનો માર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

ભારતના ઇંધણ અને ઓટોમોબાઈલ સેક્ટર માટે એક ઐતિહાસિક દિવસ સાબિત થયો છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ 100% ઇથેનોલ એટલે કે E100 ઇંધણને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. એક તરફ સરકાર આને આત્મનિર્ભર ભારત તરફનું મોટું કદમ ગણાવી રહી છે, તો બીજી તરફ આ નિર્ણયને લઈને આર્થિક અને તકનીકી નિષ્ણાતો દ્વારા ગંભીર પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા છે.

https://x.com/ANI/status/2065790404180738447?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2065790404180738447%7Ctwgr%5E8d1500618559baf4936a40a4949e8912a9f849a6%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.gujaratsamachar.com%2Fnews%2Fnational%2Findia-approves-e100-fuel-100-ethanol-allowed-as-legal-vehicle-fuel-73770839209.html

આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ક્રૂડ ઓઈલની આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો અને વિદેશી હૂંડિયામણની બચત કરવાનો છે. ઇથેનોલના ઉપયોગથી વાયુ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. ખાસ કરીને કૃષિ ક્ષેત્ર માટે આ નિર્ણય ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે, કારણ કે શેરડી અને મકાઈ જેવા પાકોની માંગ વધવાથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી મળશે,એવું સરકારનું કહેવું છે,પણ ગ્રાઉન્ડ લેવલ માં ખેડૂતો ને MSP માં ભાવ નથી મળતા એ વાત નકારી શકાય નઈ.

🧐જોકે, આ નિર્ણય સામે અનેક પડકારો પણ મોઢું ફાડીને ઉભા છે:

  • ઓટોમોબાઈલ સેક્ટર પર દબાણ: BS6 બાદ હવે BS7 નોર્મ્સની તૈયારીમાં રહેલી કંપનીઓ માટે E100 કમ્પ્લાયન્ટ એન્જિન બનાવવા તે ખૂબ જ ખર્ચાળ સાબિત થઈ શકે છે. લાખોની સંખ્યામાં રહેલા E20 વાહનોના સ્ટોક અને નવા એન્જિનના ઉત્પાદનના ખર્ચને કારણે વાહનોના ભાવ વધવાની ભીતિ છે.
  • ખાદ્ય સુરક્ષાનું સંકટ: જો મોટા પાયે પાકનો ઉપયોગ ઇથેનોલ માટે થાય, તો શું ખાંડ અને અન્ય ખાદ્ય ચીજોના ભાવમાં તોતિંગ વધારો નહીં થાય?
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ: પેટ્રોલ પંપો પર ટેન્ક અને પાઇપલાઇન્સ બદલવાનો ખર્ચ અંતે ગ્રાહકોના ખિસ્સામાંથી જ વસૂલવાની શક્યતા છે.
  • પર્યાવરણીય ચિંતા: ઇથેનોલ ઉત્પાદન માટે પાણી અને જમીનનો અતિશય વપરાશ જળસ્તર અને ફળદ્રુપતા પર પણ ગંભીર અસર કરી શકે છે.

🫵શું સરકાર આ નિર્ણય લેવામાં ઉતાવળ કરી રહી છે? શું દેશનું વર્તમાન માળખું આટલા મોટા ફેરફાર માટે સંપૂર્ણપણે તૈયાર છે? આ સવાલો હાલમાં જનતા અને ઉદ્યોગ જગતમાં ચર્ચાનો વિષય બન્યા છે. એક તરફ વિકાસનું સપનું છે, તો બીજી તરફ વધતી મોંઘવારીનો ભય. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ પડકારોને કેવી રીતે પાર પાડે છે.

Trending

Exit mobile version