એકતાનગર જન શતાબ્દી અને સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનોમાં નિરીક્ષણ થયું.
- તા.19 નવેમ્બર, 2025ના રોજ સ્પેશ્યલ મેજિસ્ટ્રેટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું.
- ટિકિટ વગર પ્રવાસ કરતા 161 મુસાફરો ઝડપી પકડાયા અને તેમની પાસેથી કુલ ₹50,115નો દંડ વસૂલાયો.
- મુસાફરોને આગામી 13 ડિસેમ્બરે યોજાનારી લોકઅદાલત અંગે પણ જરૂરી માહિતી આપવામાં આવી.
વડોદરા રેલવે સ્ટેશન પર રેલવે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચનાથી તા.19 નવેમ્બર, 2025ના રોજ સ્પેશ્યલ મેજિસ્ટ્રેટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું. આ કાર્યવાહીમાં આરપીએફ, જીઆરપી અને પ્રોસિક્યુશન સ્કવોડ સહિતની સંયુક્ત ટીમો જોડાઈ હતી.
ચેકિંગ દરમિયાન એકતાનગર જન શતાબ્દી અને સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સહિતની પેસેન્જર ટ્રેન્સમાં નિરીક્ષણ હાથ ધરાયું. જેમાં ટિકિટ વગર પ્રવાસ કરતા 161 મુસાફરો ઝડપી પકડાયા અને તેમની પાસેથી કુલ ₹50,115નો દંડ વસૂલાયો.
ટિકિટ વિનાના મુસાફરો ઉપરાંત, મહિલા અને વિકલાંગ કોચમાં ગેરકાયદેસર પ્રવેશ કરનારાઓ સામે પણ કાર્યવાહી અમલમાં મુકાઈ. મુસાફરોને આગામી 13 ડિસેમ્બરે યોજાનારી લોકઅદાલત અંગે પણ જરૂરી માહિતી આપવામાં આવી.
આ કામગીરીમાં રેલવે મેજિસ્ટ્રેટ એ.આર. ગોર, રેલવે કોર્ટ વડોદરાનો સ્ટાફ, ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર પી.કે. ઝા અને તેમની ટીમ, તેમજ આરપીએફ-જીઆરપીના અધિકારીઓ હાજર રહ્યા હતા.