Vadodara

વડોદરામાં આચારસંહિતાનો અંત,બજેટ 2026-27ના કામોને મળ્યું ગ્રીન સિગ્નલ હવે વિકાસનો ‘સુપરફાસ્ટ’ રાઉન્ડ શરૂ!

Published

on

વડોદરામાં ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થતાની સાથે જ વહીવટી તંત્ર ફરી એકવાર હરકતમાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ દ્વારા આજે એક ઉચ્ચ સ્તરીય રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી, જેમાં શહેરના પેન્ડિંગ પ્રોજેક્ટ્સ અને સ્વચ્છતા અભિયાન અંગે મહત્વના નિર્ણયો લેવાયા છે.

🧐વડોદરા કોર્પોરેશન ખાતે યોજાયેલી આ બેઠકમાં કમિશનરે તમામ વિભાગના અધિકારીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. બેઠકના મુખ્ય મુદ્દાઓ પર નજર કરીએ તો:

  • વિકાસકાર્યોને વેગ: વર્ષ 2026-27ના બજેટમાં જે કામો આચારસંહિતાને કારણે અટકી પડ્યા હતા, તેને હવે પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવાના આદેશ અપાયા છે.
  • સ્વચ્છતા પર સ્ટ્રિક્ટ એક્શન: કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે શહેરમાં સ્વચ્છતા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.
  • દંડની જોગવાઈ: જાહેર સ્થળો પર કચરો ફેંકનારા તત્વો સામે હવે લાલ આંખ કરવામાં આવશે. પાલિકા દ્વારા માત્ર દંડ જ નહીં, પરંતુ જરૂર પડ્યે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની પણ સૂચના અપાઈ છે.

🫵આ બેઠકમાં શહેરના રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવા પાયાના પ્રશ્નોના નિરાકરણ માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આચારસંહિતા બાદ વહીવટી તંત્રની આ સક્રિયતા જોતા આગામી દિવસોમાં વડોદરામાં વિકાસના કાર્યોમાં તેજી જોવા મળશે તેવું લાગી રહ્યું છે.

Trending

Exit mobile version