Vadodara

અટલાદરા પોલીસની સરાહનીય કામગીરી: ગુમ થયેલા 4 બાળકોને ગણતરીના સમયમાં શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું

Published

on

  • ત્વરિત પ્રતિસાદ: મેસેજ મળતા જ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી.
  • સફળ શોધખોળ: માંજલપુર રેલ્વે ફાટક પાસેથી 4 બાળકો હેમખેમ મળી આવ્યા.
  • પરિવાર સાથે મિલન: વાલીઓએ બાળકોને ઓળખી બતાવતા પોલીસ દ્વારા સોંપવામાં આવ્યા.
  • પ્રશંસનીય કામગીરી: અટલાદરા પોલીસની સતર્કતાથી કોઈ અનિચ્છનીય બનાવ બનતા પહેલા બાળકો પરિવારને મળ્યા.

વડોદરા: વડોદરાના અટલાદરા વિસ્તારમાંથી એકસાથે 4 બાળકો ગુમ થવાની ઘટનામાં અટલાદરા પોલીસે ગણતરીના સમયમાં જ સફળતા મેળવી છે. પોલીસની સતર્કતાને કારણે આ ચારેય બાળકો સહીસલામત મળી આવતા પરિવારજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

શું હતી ઘટના?

ગઈકાલે તા. 30 જૂન 2026ના રોજ રાત્રે અટલાદરા પોલીસને કંટ્રોલ રૂમ દ્વારા મેસેજ મળ્યો હતો કે, ખિસકોલી સર્કલ પાસે આવેલા ગુલાબી વુડાના મકાન પાસેથી 3 થી 7 વર્ષની વયના 4 બાળકો ગુમ થયા છે. આ મેસેજ મળતાની સાથે જ અટલાદરા પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.યુ. પતાગિયા દ્વારા તાત્કાલિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

🚨પોલીસની ત્વરિત કાર્યવાહી:

પોલીસે વિવિધ વિસ્તારોમાં તપાસ કરતા માંજલપુર 232 રેલ્વે ફાટક પાસેથી આ ચારેય બાળકો બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક અસરથી બાળકોને અટલાદરા પોલીસ સ્ટેશન લાવ્યા હતા અને વાલીઓને બોલાવી બાળકોની ઓળખ કરાવી હતી. અંતે, ચારેય બાળકોને હેમખેમ તેમના વાલીઓને સોંપવામાં આવ્યા હતા.

🧐ગૂમ થયેલા બાળકોની વિગત:

1. શિવમ રામુભાઈ માળી (ઉ.વ. 7)

2. શુભ નાગજીભાઈ રાઠોડ (ઉ.વ. 3)

3. ગણેશ અર્જુનભાઈ રાઠોડ (ઉ.વ. 5)

4. વીર અર્જુનભાઈ રાઠોડ (ઉ.વ. 4)

​આ તમામ બાળકો સંતોષનગર વુડાના મકાનમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. બાળકોને સહીસલામત શોધી કાઢીને પરિવાર સાથે મિલન કરાવનાર અટલાદરા પોલીસની આ કામગીરીની સ્થાનિકો દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે.

Trending

Exit mobile version