ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી ૨૦૪૭ સુધી ભારતને વિકાસશીલ દેશ બનાવવા યોગદાન આપવા વિનંતી કરી
કુલ ૧૪૯૫ વિદ્યાર્થીઓને ડિગ્રી અને મેડલ આપવામાં આવ્યા જેમાંથી 33 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કર્યા.
ડૉ. વાજાએ આ અવસરને KPGU માટે ઐતિહાસિક માઇલસ્ટોન તરીકે વર્ણવ્યું .
વડોદરા,તા.૧૨: કેબિનેટ મંત્રી ડૉ. પ્રદીયુમન વાજા (સામાજિક ન્યાય અને સશક્તિકરણ; પ્રાથમિક, માધ્યમિક અને પુખ્તકાળી શિક્ષણ; ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ) એ વડોદરાની ડૉ. કિરણ અને પલ્લવી પટેલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં સહભાગી થયા હતા. તેમણે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ડિગ્રી આપી અને તેમને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કુલ ૧૪૯૫ વિદ્યાર્થીઓને ડિગ્રી અને મેડલ આપવામાં આવ્યા જેમાંથી 33 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કર્યા હતા.
સમારોહમાં મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી અને સમાજસેવા માટે માર્ગદર્શન આપ્યું હતું. અને 2047 સુધી ભારતમાં વિકાસશીલ રાષ્ટ્ર બનાવવા માટે યોગદાન આપવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ડૉ. વાજાએ આ અવસરને KPGU માટે ઐતિહાસિક માઇલસ્ટોન તરીકે વર્ણવ્યું અને પાયોનિયર સ્નાતક બેચને સમાજ માટે સેવા આપવા, હેતુપૂર્વક નેતૃત્વ આપવાની અને 2047 સુધી ભારતમાં વિકાસશીલ રાષ્ટ્ર બનવાનો સાહસ આપવાનું આહવાન કર્યું હતું. તેણે વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક આશાઓ પૂરી કરવામાં મદદરૂપ થતી વિવિધ સરકારી યોજનાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો.
વિદ્યાર્થીઓને વૈશ્વિક દૃષ્ટિકોણથી વિચારવા અને સ્થાનિક સ્તરે કાર્ય કરવા પ્રેરિત કરતા, તેમણે તેમને , આત્મવિશ્વાસ, અને સામાજિક સેવા માટેની પ્રતિબદ્ધતા સાથે તેમના નવા પ્રવાસની શરૂઆત કરવા પ્રેરણા આપી હતી. અગાઉ, ગુજરાત વિધાનસભાના મુખ્યદંડકશ્રી બાલકૃષ્ણ શુક્લાએ સ્નાતકોને શુભકામનાઓ પાઠવી અને તેમને પોતાની શક્તિઓ અને કમજોરીઓને સમજવા માટે આત્મવિશ્લેષણ કરી યોગ્ય અવસરો પસંદ કરવા અને ભવિષ્યની પડકારોનો સામનો કરવા માટેનું આવશ્યક પગથિયું અંગે માર્ગદર્શન આપ્યુ હતું.
આ સમારોહમાં કેબિનેટ મંત્રી ડૉ. પ્રધ્યુમન વાજા, ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક, શ્રી બાલકૃષ્ણ શુક્લા, KPGU ના અધ્યક્ષ જગદીશ પટેલ, ઉપાધ્યક્ષ કંમલાબેન પટેલ, પ્રોવોસ્ટ ડૉ. એ.બી. ચૌધરી, રજિસ્ટ્રાર ડૉ. ચિરાગ, તેમજ અન્ય મહેમાનો, વિભાગ વડાઓ અને વિદ્યાર્થીઓના માતા-પિતા, કાર્યક્રમમાં હાજર રહ્યા.