National

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી : જાણો કોને NDAને સમર્થન આપતા એકઝાટકે વધી ગયા 11 વોટ

Published

on

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAની જીત નિશ્ચિત મનાઈ રહી છે. આ દરમિયાન YSRCPના અધ્યક્ષ જગન મોહન રેડ્ડીએ NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

  • NDAને સીધા 11 મતોનો ફાયદો થયો છે.
  • પીયૂષ ગોયલ સાથેની મુલાકાત બાદ રેડ્ડીએ આ નિર્ણય લીધો હતો.
  • YSR કોંગ્રેસના લોકસભામાં 4 અને રાજ્યસભામાં 7 સાંસદો છે.

જેનાથી આંધ્રપ્રદેશના લોકો જગન મોહન રેડ્ડીનો વિશ્વાસઘાત ભૂલશે નહીં. તેમણે આક્ષેપ કર્યો કે રેડ્ડીએ રાજ્યના હિતોને બદલે પોતાના CBI કેસના ડરથી RSS-સમર્થિત ઉમેદવારને સમર્થન આપ્યું છે.ટાગોરે જણાવ્યું કે, ‘જગન મોહનનો આ નિર્ણય કોઈ રાજકીય રણનીતિ નથી, પરંતુ નરેન્દ્ર મોદીના દબાણ સામેનું આત્મસમર્પણ છે.’ તેમણે તમામ સાંસદોને અપીલ કરી કે તેઓ બંધારણનું સમર્થન કરનાર ઉમેદવારને જ મત આપે, નહીં કે RSSના ઉમેદવારને.’

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતદાર મંડળમાં રાજ્યસભાના 233 ચૂંટાયેલા, 12 નામાંકિત અને લોકસભાના 543 ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે, જે કુલ 788 સભ્યો છે (વર્તમાનમાં 781). આ વખતે બંને ઉમેદવારો દક્ષિણ ભારતમાંથી છે, જેમાં એનડીએના ઉમેદવાર રાધાકૃષ્ણન તમિલનાડુથી અને વિપક્ષના રેડ્ડી તેલંગાણાથી છે. આંકડા મુજબ એનડીએનું પલડું ભારે છે, જોકે રેડ્ડીએ આ લડાઈને વૈચારિક ગણાવી છે.

લોકસભાના 542 સાંસદોમાંથી NDA પાસે 293 સાંસદોનું સમર્થન છે, જેમાં એકલા ભાજપના 240 સાંસદો છે. આ ઉપરાંત TDPના 16, JDUના 12, શિવસેનાના 7 અને લોજપાના 5 સાંસદો પણ NDAની સાથે છે. હવે YSRCPએ પણ સમર્થન જાહેર કરતા NDAનું સંખ્યાબળ વધુ મજબૂત બન્યું છે.

રાજ્યસભામાં, ભાજપના 102 સાંસદો સહિત NDA પાસે કુલ 125 સાંસદો છે. YSR કોંગ્રેસના 7 સાંસદોના સમર્થન સાથે આ સંખ્યા 132 થઈ જાય છે. બીજી તરફ, વિપક્ષી ગઠબંધન પાસે માત્ર 85 સાંસદો છે. આમ, કુલ અપેક્ષિત મતોમાં NDAને 434 અને ઈન્ડિયા ગઠબંધનને 320 મત મળવાની શક્યતા છે.

Trending

Exit mobile version