સિમલા:હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં શુક્રવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. કુપવીથી શિમલા જઈ રહેલી એક ખાનગી બસ હરિપુરધાર પાસે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા અચાનક ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયાની સત્તાવાર પુષ્ટિ થઈ છે.
બસ જ્યારે ખાઈમાં પડી ત્યારે અકસ્માત એટલો પ્રચંડ હતો કે બસના કૂચડ બોલી ગયા હતા. બસમાં અંદાજે 30 થી 35 મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું છે, જેને કારણે મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા સેવાઈ રહી છે. ઘટના સ્થળે ચીસાચીસ અને આક્રંદના દ્રશ્યો સર્જાયા હતા.
🧐યુદ્ધના ધોરણે બચાવ કામગીરી
સ્થાનિક લોકોએ માનવતા દાખવી સૌથી પહેલા બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઈજાગ્રસ્તોને ખાઈમાંથી બહાર કાઢી સડક સુધી પહોંચાડ્યા હતા.
એસપી નિશ્ચિંત સિંહ નેગીના જણાવ્યા અનુસાર પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ઘટનાસ્થળે કાર્યરત છે.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત 5 મુસાફરોને વધુ સારવાર માટે સંગડાહ, દદાહૂ અને નાહન મેડિકલ કોલેજ ખાતે રિફર કરવામાં આવ્યા છે.
🙏મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો શોક
હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ આ દુર્ઘટના અંગે ટ્વીટ કરીને ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રને નીચે મુજબના આદેશો આપ્યા છે:
મૃતકોના પરિવારજનોને તાત્કાલિક શક્ય તમામ સહાય પૂરી પાડવી.
તમામ ઈજાગ્રસ્તોને નિઃશુલ્ક અને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવી.
અકસ્માતના કારણોની તપાસ કરવી.
ઉદ્યોગ મંત્રી હર્ષવર્ધન ચૌહાણ અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ વિનય કુમારે પણ આ કરૂણ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરી શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે.
🚨દુર્ઘટના પર એક નજર:
ક્યાં: હરિપુરધાર પાસે, સિરમૌર જિલ્લો (હિમાચલ પ્રદેશ)