National

“અયોધ્યા થી પરત ફરતી ભક્તોની બસ  20 ફૂટ ઉંડી ખીણમાં પડી, અનેક ના મોત અને ગંભીર ઈજાઓ”

Published

on

મોકામા ફોરલેન પર દુર્ઘટના: અયોધ્યાથી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસ ખીણમાં ઉતરી, અહેવાલો પ્રમાણે એક મહિલાનો મોત – 25 ગંભીર ઇજા

  • ડ્રાઈવર જ ઝોકાંને કારણે બસનો કાબૂ ગુમાવી 20 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ.
  • બસમાં કુલ 45 શ્રદ્ધાળુઓ મધુબની જિલ્લાના રહેવાસી હતા.
  • ઈજાગ્રસ્તોને મોકામા ટ્રોમા સેન્ટર અને રેફરલ હોસ્પિટલે દાખલ કરાયા.

બિહારના પટણાના પૂરગ્રસ્ત વિસ્તારમાં આવેલ મોકામા ફોરલેન પર શુક્રવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અયોધ્યાથી સિમરિયા ધામ પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી બસ ડ્રાઈવરના નિયંત્રણથી બહાર જઈ 20 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.આ દુર્ઘટનામાં એક મહિલા શ્રદ્ધાળુનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય 25 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ઈજાગ્રસ્તોને તાત્કાલિક મોકામા ટ્રોમા સેન્ટર અને રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.અહેવાલો મુજબ, બસમાં કુલ 45 શ્રદ્ધાળુઓ સવાર હતા, જે બધા મધુબની જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. બસ બરહાપુર બાયપાસ નજીક પહોંચતા ડ્રાઈવરને અચાનક ઝોકું આવી જવાથી સ્ટિયરિંગ પરનો કાબૂ છૂટી ગયો હતો. પરિણામે, બસ સીધી ખીણમાં ખાબકી હતી.

અકસ્માત બાદ સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક બચાવકાર્યમાં જોડાયા હતા. મોકામા પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

Trending

Exit mobile version