Vadodara

“VMCની ઘોર નિંદ્રા: શું કોઈના મોત બાદ જ પરશુરામ ભઠ્ઠાની ખુલ્લી ગટરો પર ઢાંકણા લાગશે?”

Published

on

વડોદરા: એક બાજુ વડોદરાને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, તો બીજી બાજુ શહેરના પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારીને કારણે નાગરિકોના જીવનું જોખમ ઉભું થયું છે. અહીંની ખુલ્લી ગટરો અને અસુરક્ષિત ડ્રેનેજ લાઈનો જાણે કોઈ મોટી દુર્ઘટનાને નિમંત્રણ આપી રહી હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે.

⚠️ બાળકો અને રાહદારીઓ પર જોખમ

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં ગટરો લાંબા સમયથી ખુલ્લી હાલતમાં છે.

  • બાળકોની સુરક્ષા: આસપાસના વિસ્તારમાં નાના બાળકો રમતા હોય છે, જે ગમે ત્યારે આ ખુલ્લી ગટરમાં ખાબકી શકે છે.
  • અંધારામાં અકસ્માત: રાત્રિના સમયે પૂરતી લાઈટના અભાવે અજાણ્યા રાહદારીઓ કે વાહનચાલકો આ ખાડાઓમાં ગરકાવ થઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
  • ગંભીર સવાલ: સ્થાનિકો પૂછી રહ્યા છે કે, “જો કોઈનું મૃત્યુ થશે કે કોઈને ગંભીર ઈજા થશે, તો તેનો જવાબદાર કોણ? શું VMC (વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન) કોઈના મોતની રાહ જોઈ રહ્યું છે?”
    તંત્ર ઘોર નિંદ્રામાં: ‘પેટનું પાણી નથી હલતું’

🫵સ્થાનિક લોકોમાં તંત્ર સામે પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે:

“અમે ફરિયાદો કરી કરીને થાક્યા છીએ, પરંતુ સત્તાધીશોના પેટનું પાણી નથી હલતું. હમણાં જ તંત્રની બેદરકારીને કારણે એક મૃત્યુ થયું હોવા છતાં તંત્ર હજુ પણ ગોર નિંદ્રામાં છે.”

👉નાગરિકોની માંગ

વારંવારની રજૂઆતો છતાં જો સમારકામ કરવામાં નહીં આવતા લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે તમામ ખુલ્લી ગટરો પર ઢાંકણા લગાવવામાં આવે અને આસપાસ બેરિકેટિંગ કરવામાં આવે.

Trending

Exit mobile version