વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલની મિલકત સંબંધી ગુનાઓ રોકવાની સૂચના હેઠળ જવાહરનગર પોલીસે મોટી સફળતા મેળવી છે. બાજવા વિસ્તારમાં આવેલી કંપનીના ગોડાઉનમાંથી કોપર કેબલના સ્ક્રેપની ચોરી કરનાર ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા છે.
🚨ખાનગી બાતમી અને સર્ચ ઓપરેશન
જવાહરનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. ડો. બી.બી. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ શૈલેન્દ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ હર્ષપાલસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, રણોલી રેલવે સ્ટેશનથી GACL જવાના રસ્તા પર ત્રણ શંકાસ્પદ ઇસમો પ્લાસ્ટિકના મીણીયામાં ચોરીનો કોપર કેબલ લઈને તેને વેચવાની પેરવીમાં ઉભા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ત્રણેય ઇસમોને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા.
✍️રૂ. ૧.૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપીઓ પાસે રહેલા પ્લાસ્ટિકના મીણીયાની તપાસ કરતા તેમાંથી ૧૦૨ કિલોગ્રામ કોપર કેબલનો સ્ક્રેપ મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે ₹૧,૧૩,૨૨૦/- થાય છે. આરોપીઓ પાસે આ માલ અંગે કોઈ બિલ કે આધાર પુરાવા ન હોવાથી પોલીસે કડકાઈથી પૂછપરછ કરી હતી.
🧐૨૦ દિવસ પહેલા ગોડાઉનનું શટર તોડ્યું હતું
પોલીસની યુક્તિ-પ્રયુક્તિથી કરવામાં આવેલી પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે, અંદાજે ૨૦ દિવસ પહેલા રાત્રિના સમયે તેઓએ બાજવા રેલવે સ્ટેશન સામે આવેલા જી.એમ. કમ્પાઉન્ડના એક ગોડાઉનનું શટર તોડી આ કોપરની ચોરી કરી હતી.
જવાહરનગર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૫(એ) અને ૩૩૧(૪) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીથી વિસ્તારમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ પર લગામ આવશે તેવી આશા સેવાઈ રહી