Vadodara

કારેલીબાગ કાસમઆલા કબ્રસ્તાન પાસે ચાકુના ઘા મારીને ફ્રુટનો વેપાર કરતા યુવકને રહેંસી નાખ્યો

Published

on

વડોદરા શહેરના કારેલીબાગ કાશમઆલા કબ્રસ્તાન પાસે યુવકને ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી છે. આ બનાવને લઇ ચકચાર મચી જવા પામી છે. યુવકને ચકુના ઘા મારતા પોલીસ પોહચી તે પહેલાં લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જીવ છોડ્યો હતો. આ બનાવ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનને લઇ તાત્કાલિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થઇ પોહચ્યા હતા. આ ઘટનને પગલે કારેલીબાગ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી ઘટનાસ્થળે પોહચી છે. સાથે DCP ઝોન 4 પન્ના મોમાયા પણ ઘટનાસ્થળે પહોંચ્યા  હતા. આ ઘટનામાં મૃતક યુવકનું નામ નાઝીમ પઠાણ છે અને તે ફ્રુટનો વેપાર કરતો હતો. નાઝિમના મૃત્યુના સમાચાર મળતાં પરિવાર ઘટના સ્થળે પોહચી આક્રંદન કર્યું હતું.

આ બનાવ અંગે કારેલીબાગ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાની સાથે મૃતદેહના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે. હાલમાં પોલીસે આ યુવક પર થયેલ હુમલ પાછળ કારણ શું? કોણે હુમલો કર્યો? તે દિશામાં તપાસ ચાલી રહી છે. આ બનાવ ને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ બનાવ અંગે ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કાશમઆલા કબ્રસ્તાન પાસેની આ ઘટના છે. આ યુવકનું નામ નાઝીમ પઠાણ છે અને તેને ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી છે.ઘટના સ્થળે પોલીસ પહોંચી છે યુવકની હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી ચાલી રહી છે આ વ્યક્તિ ટેમ્પો ચલાવવાનું કામ કરે છે જે ફ્રુટ ની લારી અને ફ્રુટ પહોંચાડવાની કામગીરી કરતા હતા હાલમાં પરિવારમાં પત્ની અને એક દીકરો અને એક દીકરી છે હાલમાં કાર્યવાહી ચાલી રહી છે.

Advertisement

Trending

Exit mobile version