Vadodara

ડભોઈ : વઢવાણાના ખેડૂતો હવે આરપારના મૂડમાં! 4 વર્ષ, 4 કરોડ, છતાં કામગીરી શૂન્ય!

Published

on

  • તંત્રની ઘોર ઉદાસીનતા: કાગળ પર કેનાલ ‘ચકાચક’, જમીન પર ખેડૂતો ‘પાયમાલ’.
  • ભ્રષ્ટાચારની ગંધ? કેનાલોના નામે કરોડોનું આંધણ, પણ પાણી માટે ખેડૂતો વલખાં મારે છે
  • 4 કરોડનું બજેટ ગયું ક્યાં? ડભોઇના ૨૨ ગામના ખેડૂતોનો તંત્રને સવાલ.
  • પાણી વગર પાક મુરઝાયો: વઢવાણાના ખેડૂતોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી.

ડભોઇ તાલુકાના વઢવાણા વિસ્તારમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. જે ખેડૂતોને જગતનો તાત કહેવામાં આવે છે, આજે એ જ ખેડૂત સિંચાઈના પાણી માટે વલખાં મારી રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, જે કેનાલોના નવીનીકરણ માટે કરોડો રૂપિયા મંજૂર થયા, તે રૂપિયા ક્યાં ગયા એ કોઈને ખબર નથી!

આ દ્રશ્યો છે ડભોઇ તાલુકાના વઢવાણા વિસ્તારના. વઢવાણા તળાવમાંથી નીકળતી પાંચ અલગ-અલગ ઝોનની કેનાલો આસપાસના 22 ગામો માટે જીવાદોરી સમાન છે. પરંતુ આજે આ જીવાદોરી જ જોખમમાં છે.

  • શું છે સમગ્ર મામલો? 4 વર્ષ પહેલાં તંત્ર દ્વારા આ કેનાલોના નવીનીકરણ માટે 4 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ મંજૂર કરવામાં આવી હતી. અધિકારીઓએ સર્વે કર્યો, માપણી કરી અને ખેડૂતોને આશા જાગી કે હવે દિવસો બદલાશે. પરંતુ 4 વર્ષ વીતી ગયા છતાં, ધરાતલ પર એક ઈંટ પણ મુકાઈ નથી.

🧐તંત્રની આ ઘોર ઉદાસીનતાને કારણે 22 ગામના ખેડૂતો પાયમાલ થવાની આરે છે. સવાલ એ થાય છે કે જો બજેટ ફાળવાઈ ગયું હતું, તો એ રકમનો ઉપયોગ ક્યાં થયો? શું અધિકારીઓ માત્ર એસી ઓફિસોમાં બેસીને કાગળ પર જ કેનાલોનું સમારકામ કરી રહ્યા છે?

🫵હવે જોવાનું એ રહે છે કે, 22 ગામના ખેડૂતોની આ ચીમકી બાદ નિંભર તંત્ર જાગે છે કે પછી આ 4 કરોડનો વિવાદ હજુ વધુ વકરશે.

Trending

Exit mobile version