Blog

દેશમાં ભાજપના 5 સ્ટાર કાર્યાલય બને છે પણ સ્કુલ બનતી નથી,30 વર્ષના શાસન બાદ પણ સ્કુલ માંગવી પડે તો શરમ આવવી જોઈએ: કેજરીવાલ

Published

on

વડોદરા શહેરમાં આજે આમ આદમી પાર્ટીના સ્થાપક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવી પહોચ્યા હતા. વડોદરા એરપોર્ટ પર તેઓનું આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સ્વાગત કર્યું હતું. જે બાદ ખાનગી હોટલમાં કાર્યકર્તા સંબોધન કર્યું હતું.


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને ટાંકીને વડોદરામાં કાર્યાલયના ઉદ્ઘાટન સમયે થયેલો કિસ્સો કાર્યકરો સમક્ષ મુક્યો હતો. વૈભવી કાર્યાલય બને છે પણ શાળાઓ બનતી નથી તેમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું. ભાજપના 30 વર્ષના શાસન પર સવાલો ઉભા કર્યા હતા.

Trending

Exit mobile version