Vadodara

વડોદરા કોર્ટ સંકુલ હવે ટ્રાફિક મુક્ત: વકીલો અને અસીલો માટે વર્ષો જૂની સમસ્યાનું સુખદ નિરાકરણ.

Published

on

વડોદરાના ઐતિહાસિક ન્યાયમંદિર કોર્ટ સંકુલમાં વકીલો અને અસીલો માટે માથાના દુખાવા સમાન બનેલી પાર્કિંગની સમસ્યાનું આખરે સુખદ નિરાકરણ આવ્યું છે. બરોડા બાર એસોસિએશનની નવી બોડીએ સત્તા સંભાળતાની સાથે જ ‘એક્શન મોડ’માં આવીને કોર્ટ સંકુલને ટ્રાફિક મુક્ત બનાવ્યું છે.

વડોદરા ન્યાયમંદિર કોર્ટ સંકુલ હવે પહેલા કરતા વધુ વ્યવસ્થિત અને સુંદર દેખાઈ રહ્યું છે. વર્ષોથી જે પ્રશ્ન વણઉકેલ્યો હતો, તેને બરોડા બાર એસોસિએશનની વર્ષ 2025-26ની નવી ચૂંટાયેલી ટીમે ઉકેલી બતાવ્યો છે. પ્રમુખ હસમુખ ભટ્ટ અને તેમની ટીમે ગ્રાઉન્ડ લેવલ પર ઉતરીને આ કામગીરી પૂર્ણ કરી છે.

👇ઘટનાક્રમ અને કામગીરી:

  • નેતૃત્વ: પ્રમુખ હસમુખ ભટ્ટે હોદ્દો સંભાળતાની સાથે જ પાર્કિંગને પ્રાથમિકતા આપી.
  • મેદાનમાં ઉતરી કામગીરી: પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી સહિતના કારોબારી સભ્યોએ પોતે એન્ટ્રન્સ ગેટ પર હાજર રહી વકીલો અને અસીલોને યોગ્ય પાર્કિંગ માટે સમજાવ્યા.
  • સહયોગ: આ સફળતામાં ડિસ્ટ્રિક્ટ જજ, ટ્રાફિક SP અને વકીલ મંડળનો મહત્વનો ફાળો રહ્યો છે.

🧐થયેલા મુખ્ય ફેરફારો એક નજરે

👉 (પ્રમુખ હસમુખ ભટ્ટ):

“અમે વકીલ મિત્રોને વચન આપ્યું હતું કે પાર્કિંગની સમસ્યા હલ કરીશું. આજે તમામ સિનિયર-જુનિયર વકીલો અને વહીવટી તંત્રના સહયોગથી કોર્ટ સંકુલ ટ્રાફિક મુક્ત બન્યું છે. આ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમે સૌને અપીલ કરીએ છીએ.”

👉નવી વ્યવસ્થાને કારણે હવે કોર્ટમાં આવતા પક્ષકારો અને વકીલોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વર્ષો બાદ ન્યાયમંદિરનું આંગણું શિસ્તબદ્ધ રીતે સજ્જ જોવા મળી રહ્યું છે

Trending

Exit mobile version