Vadodara

વડોદરાના સ્થાનિક તંત્ર પરથી લોકોનો ભરોસો ઉઠી ગયો!, નાગરિકોએ PMOને ટ્વીટ કરવાની કરી શરૂઆત

Published

on

વડોદરામાં જળબંબાકારની સ્થિતી વચ્ચે વડોદરાવાસીઓને સ્થાનિક તંત્ર પરથી ભરોસો ઉઠ્યો હોવાની પ્રતિતિ કરાવે તેવી ઘટના સામે આવી છે. તાજેતરમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યાના કારણે એક નાગરિકે પ્રધાનમંત્રી કાર્યાલયને ટ્વીટર માકરફતે સમાધાન માંગતી રજુઆત કરી છે. જેના કારણે પહેલા વરસાદમાં જ લોકોને તંત્ર પરનો વિશ્વાસ ડગમગી ગયો હોય તેવું લાગી રહ્યું છે. જો આવુને આવું ચાલશે તો આખું ચોમાસુ લોકો સ્થાનિક ફરિયાદ વડાપ્રધાન કાર્યાલયને કરતા રહેશે.

Advertisement

વડોદરામાં પહેલા જ વરસાદમાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે. વડોદરા પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓની પોલ પહેલા વરસાદે જ ખોલી નાંખી છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો સહિત ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. આ વચ્ચે તંત્ર લોકોની આશાઓ પર ખરુ ઉતરી શક્યું નથી. કેટલાક વિસ્તારોમાં લોકો ભગવાન ભરોસે હોય તેવું અનુભવી રહ્યા છે. તેવામાં વડોદરાના ડભોઇ રીંગ રોડ પર પાણી ભરાઇ જવાની ઘટના અંગે નિરાલી રાઠોડ નામના યુઝર એકાઉન્ટ દ્વારા વડાપ્રધાન કાર્યાલય ને ટ્વીટ મારફતે મેસેજ કરવામાં આવ્યો છે.

નિરાલી રાઠોડે કરેલા મેસેજમાં લખ્યું કે, ડિયર સર, વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર આવેલા આદિત્ય હાઇટ્સ વિસ્તારમાં પાણી ભરાઇ ગયું છે. આ અંગે મે અગાઉ પીએમઓ પોર્ટલ પર ફરિયાદ કરી હતી. ત્યારે તેનું પંપ મુકીને નિરાકરણ લાવી આપવામાં આવ્યું હતું. છેલ્લા બે દિવસથી અમારા વિસ્તારમાં પાણી ભરાયેલું છે. આ સમસ્યાનો ઉકેલ લાવી આપો.

આ ટ્વીટ પરથી અંદાજો લગાડી શકાય કે, વડોદરામાં પાણી ભરાય તો પણ સ્થાનિક તંત્ર કરતા વડાપ્રધાન કાર્યાલય પર લોકોને વધારે ભરોસો છે. જો સ્થાનિક તંત્ર દ્વારા લોકોનો વિશ્વાસ જીતવા અસરકારક કામગીરી કરવામાં નહી આવે તો આવનાર સમયમાં વડાપ્રધાન કાર્યાલયમાં વડોદરાવાસીઓની ફરિયાદોનો ઢગલો થઇ જશે.

Advertisement

Trending

Exit mobile version