Vadodara

કપાસની ખરીદી માટે કરજણમાં CCIનું કેન્દ્ર શરુ કરવાની માંગ સાથે જીલ્લા ભાજપ અધ્યક્ષે કૃષિ મંત્રીને પત્ર લખ્યો

Published

on

રાજ્યભરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જયારે મધ્ય ગુજરાતમાં કપાસની ખેતી કરતા ખેડૂતો પર તેની મોટી અસર જોવા મળી છે. વરસાદને કારણે કપાસનો ઉભો પાક બેસી ગયો છે. જયારે બીજી તરફ ખેડૂતોને કપાસનો પોષણક્ષમ ભાવ મળતો નથી. જેને લઈને જીલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલે કપાસની ખરીદી માટે સી.સી.આઈ નું કેન્દ્ર વહેલીતકે શરુ કરવાની માંગણી કરતો પત્ર કૃષિમંત્રીને લખવામાં આવ્યો છે.
શિયાળાની શરૂઆતમાં જ વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ એક સપ્તાહ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ રહ્યો હતો. કેટલાક સ્થળે તો કરાં પણ પડ્યા હતા. જેને કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાન થયું છે.વડોદરા જીલ્લાના મોટા ભાગના ખેડૂતો કપાસની ખેતી કરે છે. જે ખેતીમાં વરસાદને કારણે ભારે નુકશાન થયું છે. બીજી તરફ ખેડૂતો કપાસ વેચવા જાય છે ત્યારે તેઓને ઉંચા ભાવ મળતા નથી. છોટાઉદેપુર જીલ્લામાં કપાસની ખેતી કરતા ખેડૂતો પાસેથી સીધી કપાસની ખરીદી કરવા માટે બોડેલી અને સંખેડામાં સી.સી.આઈ (કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) દ્વારા ખરીદી શરુ કરી દેવામાં આવી છે.જયારે વડોદરા જીલ્લામાં તેની ખરીદી શરુ નહિ થતા ખેડૂતો દુવિધામાં મુકાયા છે. ખાનગી વેપારીઓ ખેડૂતોની મજબૂરીનો લાભ લઈને ખુબજ સસ્તા ભાવે કપાસની ખરીદી કરે છે. જેના કારણે ખેડૂતોને જરૂરી વળતર મળતું નથી. આ અંગે જીલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલે કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને વડોદરામાં કરજણ ખાતે ખેડૂતો પાસેથી સીધી કપાસની ખરીદી શરુ થાય તે માટે સી.સી.આઈનું કેન્દ્ર શરુ કરવાની માંગ કરી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version