Dabhoi

ડભોઈમાં નવનિર્મિત સરિતા ઓવરબ્રિજ 7 દિવસ માટે બંધ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું,કેવડિયા-રાજપીપળા તરફ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા જાણો..

Published

on

વડોદરા જિલ્લાના ડભોઇ નગરમાં તાજેતરમાં તૈયાર થયેલા સરિતા ફાટક ઓવરબ્રિજ ની કામગીરી હજી પણ પ્રગતિમાં છે. એક તરફના બ્રિજના નિર્માણ બાદ બીજી તરફના બ્રિજની કામગીરી હાલ ચાલુ કરવામાં આવી છે. આ સાથે હયાત બ્રિજ ઉપર ડામર લેયરની બાકી કામગીરી કરવા માટે તેમજ વારંવાર થતાં અકસ્માત રોકવા બ્રિજની હેડ વૉલ પર રંગકામ કરવા માટે આ બ્રિજને સાત દિવસ માટે બંધ કરવાનું જાહેરનામુ જિલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિજ પર છેલ્લા ઘણા સમયથી વારંવાર અકસ્માતો સર્જાઇ રહ્યા હતા. આ સાથે સાથે એક્સપાન્શન જોઈન્ટ માંથી બ્રિજ તૂટી ગયો હોવાની પણ વાતો વહેતી થઈ હતી. જેના સમારકામ માટે પણ આ સાત દિવસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Advertisement

ભારદારી વાહનો તેમજ હળવા વાહનો માટે વડોદરા થી ડભોઇ જવા માટેનો ફક્ત આ એક જ મુખ્યમાર્ગ હતો ત્યારે હવે સાત દિવસ માટે રાજપીપળા- કેવડીયા થી વડોદરા તરફ તેમજ વડોદરા થી કેવડિયા અને રાજપીપળા તરફ જવા માટે જિલ્લા કલેકટર દ્વારા ડાયવર્ઝનની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.

Trending

Exit mobile version