Dabhoi

ડભોઇ: ભારે વરસાદના પગલે નંદેરીયા ગામના મુખ્ય માર્ગ પર નાના પુલના મધ્ય ભાગનું મોટા પાયે ધોવાણ થતા વાહન વ્યવહાર સદંતર બંધ થયો

Published

on

ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ પાસે નું નંદેરીયા ગામ જે નર્મદા કિનારે આવેલા ઉપ જ્યોતિર્લિંગ નંદીકેશ્વર મહાદેવજી મહાત્મય ને લઈ વિખ્યાત છે. ભારે વરસાદ ના કારણે આ નંદેરીયા ગામમાં પ્રવેશવાના એકમાત્ર માર્ગ ઉપર આવેલ નાના પુલ નું ધોવાણ થઈ બેસી જતા આ માર્ગ પરનો વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ જવા પામ્યો છે.

જોકે આ પુલની સમારકામની કામગીરી ગ્રામ પંચાયત અંતર્ગત આવતી હોય તંત્ર દ્વારા યોગ્ય ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે તેવી માંગ નગરજનો કરી રહ્યા છે. જેથી વરસાદના વિરામ બાદ પુલ અને માર્ગ નું જરૂરી સમારકામ કરાવી શકાય અને રાબેતા મુજબ આ માર્ગ પર પુનઃ વ્યવહાર કાર્યરત થવાથી વિદ્યા અભ્યાસ માટે ચાંદોદ આવતા વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version