ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ પાસે નું નંદેરીયા ગામ જે નર્મદા કિનારે આવેલા ઉપ જ્યોતિર્લિંગ નંદીકેશ્વર મહાદેવજી મહાત્મય ને લઈ વિખ્યાત છે. ભારે વરસાદ ના કારણે આ નંદેરીયા ગામમાં પ્રવેશવાના એકમાત્ર માર્ગ ઉપર આવેલ નાના પુલ નું ધોવાણ થઈ બેસી જતા આ માર્ગ પરનો વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ જવા પામ્યો છે.
જોકે આ પુલની સમારકામની કામગીરી ગ્રામ પંચાયત અંતર્ગત આવતી હોય તંત્ર દ્વારા યોગ્ય ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે તેવી માંગ નગરજનો કરી રહ્યા છે. જેથી વરસાદના વિરામ બાદ પુલ અને માર્ગ નું જરૂરી સમારકામ કરાવી શકાય અને રાબેતા મુજબ આ માર્ગ પર પુનઃ વ્યવહાર કાર્યરત થવાથી વિદ્યા અભ્યાસ માટે ચાંદોદ આવતા વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે.