શહેરના દક્ષિણ વિસ્તારમાં અટલાદરા-સ્વામિનારાયણ મંદિર મેઈન રોડ પર ગેરકાયદે 11 ઝૂંપડા અને 45 જેટલા દબાણો હટાવાયા.
આ કામગીરી દબાણ શાખા અને સ્થાનિક પોલીસ, એસઆરપી, ફાયર બ્રિગેડ, વીજ અને ટાઉન પ્લાનિંગ સ્ટાફની સાથે થઈ.
વધતાં ટ્રાફિક અને વિકાસને કારણે વિસ્તારમાં વાહન વાહન વ્યવહાર વધ્યો છે.
સ્થાનિક લોકો પાસેથી ગેરકાયદે દબાણો અંગે ઘણી ફરિયાદો મળવાના કારણે પાલિકા તંત્રએ મેગા ઓપરેશન કર્યું.
ચારથી પાંચ બુલડોઝર, ડોઝર તથા ટ્રકો સાથે દબાણો હટાવવાના કામ સવારે શરૂ થઈ.
ચોમાસા બાદ પાલિકા તંત્ર ફરી એક્શન મોડમાં આવ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં થયેલા ગેરકાયદે દબાણો, ઢોરવાડા, લારીઓ અને પથારા સામે પાલિકાની દબાણ શાખાએ કાર્યવાહી શરૂ કરી છે.શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા અટલાદરા-સ્વામિનારાયણ મંદિર મેઇન રોડ પર વર્ષોથી ગેરકાયદે ઉભા કરાયેલા કુલ 11 ઝૂંપડા અને 45 જેટલા કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે.
કામગીરી દરમિયાન દબાણ શાખાની સાથે સ્થાનિક પોલીસ, એસઆરપી, ફાયર બ્રિગેડ, વીજ નિગમ અને ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમો પણ તૈનાત રહી હતી.અટલાદરા વિસ્તાર ઝડપથી વિકાસ પામી રહ્યો હોવાથી વાહન વ્યવહાર દિવસેને દિવસે વધી રહ્યો છે. ટ્રાફિકજામની સમસ્યા દૂર કરવા અને રસ્તા ખુલ્લા કરવા માટે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
પાલિકા તંત્રના ચારથી પાંચ બુલડોઝર, ડોઝર અને ટ્રકોની મદદથી સવારે શરૂ કરાયેલા મેગા ઓપરેશન દરમિયાન કોઈ વિક્ષેપ વિના તમામ ગેરકાયદે દુકાનો અને છાપરા હટાવી દેવામાં આવ્યા હતા.કાર્ય દરમ્યાન સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોવા એકત્ર થયા હતા, પરંતુ પોલીસ અને એસઆરપી ટીમે સંયમપૂર્વક સ્થિતિ સંભાળી લીધી હતી. અંતે દબાણ શાખાનું મેગા ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.